રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ લાલ કિલ્લા પર 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત બીજા વર્ષે આ સરકારી સમારોહમાં હાજર રહ્યા ન હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠક વ્યવસ્થા અને યોગ્ય પ્રોટોકોલનું પાલન ન થવાને કારણે બંને નેતાઓએ આ કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું. આ પહેલા વર્ષ 2024માં પણ રાહુલ ગાંધીએ પોતાની બેઠક વ્યવસ્થાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને સ્વતંત્રતા દિવસ સમારોહ માટે વિધિવત આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે તેમની બેઠક વ્યવસ્થા 'ટેબલ ઓફ પ્રેસિડન્સ'  મુજબ નક્કી કરવામાં આવશે. નિયમ મુજબ લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો કેન્દ્રીય કેબિનેટ મંત્રીની સમકક્ષ ગણાય છે. તેમ છતાં, બંને નેતાઓ કાર્યક્રમમાં પહોંચ્યા ન હતા.

06

આ ગેરહાજરીનું કારણ પણ સામે આવ્યું છે. સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ, સીટિંગ એરેન્જમેન્ટ અને સમારોહ સાથે જોડાયેલા અન્ય પ્રોટોકોલ તેમના હોદ્દાની ગરિમા મુજબ યોગ્ય ન હતા. પ્રોટોકોલમાં કથિત ખામી અને ક્ષતિઓના કારણે જ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ લાલ કિલ્લાના આ સ્વતંત્રતા સમારોહમાં જવાનું ટાળ્યું હતું.

વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓ પછી રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. તે જ વર્ષે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન લાલ કિલ્લા પર તેમને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ બેઠક વ્યવસ્થાની તીખી ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે સરકારે વિરોધ પક્ષના નેતાના પદનું અપમાન કર્યું છે.

તે સમયે સંરક્ષણ મંત્રાલયે આ આરોપોને ફગાવી દેતા ખુલાસો કર્યો હતો કે સમારોહમાં ઉપસ્થિત ઓલિમ્પિક ખેલાડીઓને આગળની હરોળમાં સ્થાન આપવાનું હોવાથી આ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવી પડી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વર્ષ 2025માં પણ સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થયા ન હતા.

05

આ ઉપરાંત, કોંગ્રેસે આ વર્ષના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા અંગે પણ આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીનો આરોપ હતો કે રાહુલ ગાંધી અને ખડગેને ત્રીજી લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા. તેની સામે સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે 2025 અને 2026ના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં બેઠક વ્યવસ્થા સંપૂર્ણપણે 'ટેબલ ઓફ પ્રેસિડન્સ'ના નિયમો અનુસાર જ ગોઠવવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કોર્ટે ટેક કંપનીના માલિકને તેમની ભૂતપૂર્વ પત્નીને 640 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો

દક્ષિણ કોરિયાની એક કોર્ટે શુક્રવારે અબજોપતિ SK ગ્રુપના ચેરમેન ચે તાઈ-વોનને તેમની ભૂતપૂર્વ પત્નીને 944 બિલિયન વોન (640 મિલિયન...
World 
કોર્ટે ટેક કંપનીના માલિકને તેમની ભૂતપૂર્વ પત્નીને 640 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો

‘મર્યાદામાં રહો’ ગોવિંદાનો પત્ની સુનિતા આહુજાને જવાબ, કહ્યું- ‘તારી પાસેથી અપેક્ષા નથી’

ગોવિંદા અને સુનિતા આહુજા એક સમયે બોલિવુડના સૌથી પ્રિય યુગલોમાંના એક માનવામાં આવતા હતા, પરંતુ હવે તેમની વચ્ચે તિરાડ...
Entertainment 
‘મર્યાદામાં રહો’ ગોવિંદાનો પત્ની સુનિતા આહુજાને જવાબ, કહ્યું- ‘તારી પાસેથી અપેક્ષા નથી’

આ લોકો બનાવતા કંઈ રીતે હશે? ઉદ્ઘાટનના 45 દિવસમાં જ પૂલની દિવાલ ધરાશાયી

શું માત્ર દોઢ મહિના પહેલા જ ઉદ્ઘાટન થયેલા નવા પુલ પર કોઈ સવાલ ઉઠાવી શકાય? રાજસ્થાનના બારાં જિલ્લામાં આવું...
National 
આ લોકો બનાવતા કંઈ રીતે હશે? ઉદ્ઘાટનના 45 દિવસમાં જ પૂલની દિવાલ ધરાશાયી

રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ લાલ કિલ્લા પર 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ...
National 
રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સામે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.