ગુજરાત સરકારના કર્મચારીઓને મજા પડી ગઈ, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે CMના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવેલ છે.

Rushikesh-Patel
khabarchhe.com

પ્રવક્તા મંત્રીએ જણાવ્યુ કે, આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય

એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે તેમ પણ પ્રવક્તામંત્રીએ ઉમેર્યુ હતું. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Top News

એક ક્લિકમાં બદલાઈ જતી સ્ક્રીન સાથે અલ્કાટેલ V3 સ્માર્ટફોનની સીરિઝ થઇ લોન્ચ

અલ્કાટેલ ભારતીય બજારમાં પાછું ફર્યું છે અને ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ત્રણેય ફોન અલ્કાટેલ V3 શ્રેણીનો ભાગ છે...
Tech and Auto 
એક ક્લિકમાં બદલાઈ જતી સ્ક્રીન સાથે અલ્કાટેલ V3 સ્માર્ટફોનની સીરિઝ થઇ લોન્ચ

UK ભણવા જવાનું વિચારો છો તો આ સમાચાર તમારા કામના છે

અમેરિકાએ તાજેતરમાં જ ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા છે અને હવે UKએ પણ ઇમિગ્રેશન નિમયો બદલ્યા છે જેને કારણે ગુજરાતીમાં...
Education 
UK ભણવા જવાનું વિચારો છો તો આ સમાચાર તમારા કામના છે

હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું

ભારતથી એક દિવસ અગાઉ આઝાદી મેળવનાર પાકિસ્તાનની હાલત એવી છે કે તે મોટા ભાગે પોતાના મિત્ર રાષ્ટ્રો સામે ભીખનો કટોરો...
World 
હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું

શું આમીરની છેલ્લી ફિલ્મ 'મહાભારત' હશે? કહ્યું- આ પછી બીજો કોઈ પ્રોજેક્ટ બનાવી શકશે નહીં

સુપરસ્ટાર આમિર ખાન લાંબા સમય પછી મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે. તેમની નવી ફિલ્મ 'સિતારે જમીન પર...
Entertainment 
શું આમીરની છેલ્લી ફિલ્મ 'મહાભારત' હશે? કહ્યું- આ પછી બીજો કોઈ પ્રોજેક્ટ બનાવી શકશે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.