લાખો લઈ PSI બનાવવાનો ખેલ, વિશાલ રાઠવાના પરિવારે શું કહ્યું તે જાણો

પોલીસ ભરતીની એકપણ પરીક્ષા પાસ કર્યા વગર ગાંધીનગરના એકેડેમી તાલીમ કેન્દ્રમાં PSIની તાલીમ લઈ રહેલા ઉમેદવારોમાં એક ડભોઇનો રહીશ મયુર લાલજી તડવી તાલીમ લઈ રહ્યો હતો તે PSIમાં પરીક્ષામાં નાપાસ થયો હોવા છતાં બોગસ દસ્તાવેજો ના આધારે તાલીમ લઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને તેણે ભરૂચના વિશાલ તીરસંગ રાઠવાના સ્થાને પોતાનું નામ કોમ્પ્યુટર એડિટિંગ કરી પોતે ઉમેદવાર હોવાનું ફલિત કરી તાલીમ કેન્દ્રમાં ઘૂસી ગયો હતો પરંતુ સમગ્ર વેરિફિકેશનમાં મયુર તડવી નકલી ઉમેદવાર હોવાનો પર્દાફાસ થતા તેની ઝીણવટ ભરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

વિશાલ રાઠવા કે જેઓ સાચા PSI તરીકેના ઉમેદવાર છે તેઓના પરિવારની મુલાકાત કરવામાં આવતા તેઓનો પરિવાર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની બાજુમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટરના બ્લોક નંબર બી -4 રૂમ નંબર 47 માં રહે છે.

તેમની મુલાકાત કરવામાં આવતા તેના માતા-પિતા મળી આવ્યા હતા અને વિશાલ રાઠવા પોલીસ ભરતી પરીક્ષામાં પાસ થયો હોવાની માર્કશીટ સહિત તેણે અત્યાર સુધીની તમામ પરીક્ષાઓ પાસ કરેલી હોવાની માર્કશીટો પણ બતાવી હતી, અને પરિવારજનોએ પણ તેના દસ્તાવેજોના ગેરકાયદેસર ઉપયોગ કરી મયુર તડવીએ કૌભાંડ આચર્યું હોઇ તે વાતની તેઓ નિંદા કરી હતી અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.

PSI ની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને તાલીમ માટે તેમને લેટર આરપીએડી મારફતે મોકલવામાં આવ્યો હતો જેમાં ભરૂચના સોનેરી મહેલ ખાતે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા વિશાલ રાઠવાને પણ લેટર મળતા તે તાલીમ કેન્દ્ર ઉપર પહોંચ્યો હતો અને તેની તાલીમ ચાલી રહી હતી ત્યાં જ તેના નામે નકલી PSI તરીકે તાલીમમાં મયુર તડવી ઝડપાયો હતો જેના પગલે તેની પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો હતો ત્યારે અમદાવાદની ધારા જોશી બાદ મયુર તડવી નકલી PSI ની તાલીમ કેન્દ્રમાં ઘૂસ્યો હોવાનો વિસ્ફોટ થયો છે.

વિશાલ રાઠવાની મુલાકાત મીડિયાએ કરી હતી અને મુલાકાત દરમિયાન વિશાલની માતાએ પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું તો અભણ છું હું ભણી નથી પરંતુ મારા દીકરાએ રાત દિવસ અભ્યાસ કર્યો છે અને તેને અભ્યાસમાં અડચણ ન થાય તે માટે હું ઘરમાં વાસણ કુશળનું કામ કરું તો પણ સહેજ પણ અવાજ ન થાય તે રીતે મારા દીકરાને અભ્યાસ કરાવ્યો છે અને મારા દીકરાએ PSI ની પરીક્ષા પાસ કરી છે તેની માર્કશીટ પણ છે અને મારો દીકરો સાચો PSI છે પણ જેણે આ કૌભાંડ આચર્યું છે તેવા મયુર તડવી અને તેના પરિવાર માટે આ શરમજનક કહેવાય...? તેમ PSI ના સાચા ઉમેદવાર વિશાલ રાઠવા ની માતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.