પાલનપુર પાસે પશુઓથી ભરેલી અધધ..10 ટ્રક ઝડપાઇ, 150 ઢોરને કતલખાને લઇ જવાતા હતા

રાજસ્થાનથી 150 પશુઓને કતલખાને લઇ જવા માટે 10 ટ્રક આવી રહી હતી ત્યારે બાતમીને આધારે ગૌરક્ષકોએ પાલનપુરના ચિત્રાસણી પાસે આ ટ્રકોને અટકાવી હતી તો ટ્રકના ડ્રાઇવરોએ ગૌરક્ષકો પર હુમલો કરી દીધો હતો, જો કે જીવના જોખમે બધી ટ્રકો અટકાવી દેવામાં આવી હતી અને પશુઓને કતલખાને જતા રોકી દેવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ 10 ટ્રકો પોલીસના હવાલે કરી હતી. પોલીસે ટ્રક જપ્ત કરીને, ટ્રક ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પશુઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ, ગૌરક્ષકોની માહિતી મળી હતી કે, ઘાસચારા કે પાણીની કોઇ પણ સગવડ કર્યા વગર 10 ટ્રક 150 પશુઓને લઇને રાજસ્થાનથી નિકળી છે. ગૌરક્ષકોએ પહેરો ભરીને ટ્રક અટકાવી હતી તો ડ્રાઇવરોએ તેમની પર હુમલો કરી દીધો હતો. ટ્રકમાં ભેંસ, ગાય જેવા પશુઓ ખીચોખીસ ભરેલા હતા. ગૌરક્ષકોએ હિંમત કરીને ટ્રકો પોલીસને સોંપી દીધી હતી.

પોલીસે 10 ટ્રક સહિત કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટ્રકનો કબ્જો લઇને ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પશુઓને ડીસાના કાંટ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. પાંજરાપોળમાં પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો હતો.

જો કે આવું પહેલીવાર બન્યું નથી, હજુ થોડા દિવસ પહેલાંની જ વાત છે, જીવદયા પ્રેમીઓઅ કતલખાને લઇ જવાતા 56 ઘેટા અને 213 બકરાંને છોડાવ્યા હતા. પાલનપુર પશ્ચિમ પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બકરાં અને ઘેટાઓને રાજકોટની પાંજરાપાળોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

6 મહિના પહેલાં પણ કતલખાને લઇ જવાતા 1 હજાર પશુઓને કતલખાને જતા પહેલાં બચાવી લેવામાં આવ્યા હતા. પાલનપુર હાઈવે ઉપરથી આરટી ઓ સર્કલ પાસે પાંચ ટ્રકના ચાલકો ઘેટાં-બકરા ભરી જઈ રહ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમી અને પોલીસે શંકાના આધારે ટ્રકો રોકી તપાસ કરતા ટ્રકોની અંદર 1 હજાર 378 જેટલા ઘેટાં-બકરા ખીચોખીચ ભરેલા હતા. જેમાંથી 21 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. પોલીસે પુછપરછ કરી તો ડ્રાઇવર પાસે પશુઓને હેરાફેરી કરવાની કોઇ પરમીટ નહોતી.

ઘણા લોકો એવા હોય છે, જે પશુઓ પાસેથી બધુ નિચવી લે, પછી પશુઓ કામના ન રહે ત્યારે કતલખાને મોકલી આપતા હોય છે. તેમને પછી ઘાસચારો પણ આપવામાં આવતો નથી.

About The Author

Related Posts

Top News

સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

(દિલીપ પટેલ) સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર...
Gujarat 
સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાલમાં જ ગુજરાતના વિરોધ પક્ષોને તીખી ટકોર કરી છે. તેમણે કહ્યું કે જેમ ચોમાસું પતે...
Politics 
જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

સિમ ક્લોનિંગ છેતરપિંડીનું નેટવર્ક ઝડપથી ફેલાયું છે. આ કિસ્સામાં, પહેલા તમારા સિમના ક્લોન માટે OTP માંગવામાં આવે છે, ...
Business 
OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ......
National 
કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.