ભરૂચમાં પાણી પીતા જ મૃત્યુ પામ્યા 25 ઊંટ, આ કારણ હોવાની શંકા

ભરૂચ જિલ્લામાં પાણી પીધા બાદ 25 ઊંટોના મોત થવાના સમાચાર મળી રહ્યા છે. ઊંટોના ટોળાએ ગામની બહાર સ્થિત તળાવમાંથી પાણી પીધું હતું, ત્યારબાદ એકાએક તેમના મોત થવાની શરૂઆત થઈ. આ ઘટના વાગરા તાલુકાના કચ્છીપુરાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, ક્રૂડ ઓઇલની પાઈપલાઇનમાંથી લિકેજ થવાથી પાણી ઝેરી થઈ ગયું છે અને આ જ કારણે ઊંટોએ જેવું જ પાણી પીધું તેમનું મોત થઈ ગયું. કચ્છીપુરા 250 લોકોની વસ્તી છે અને લગભગ 60 ઘરોવાળું એક ગામ છે.

ગામમાં માલધારી સમાજના લોકો રહે છે. માલધારી લોકો પશુપાલનની ગતિવિધિઓ સાથે સંકળાયેલા છે. ઊંટો દ્વારા જ તેઓ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ગામમાં પાણીની સમસ્યા પણ રહે છે અને જે પાણી આવી રહ્યું છે તે દૂષિત છે. ગ્રામજનોનું કહેવું છે કે, દૂષિત પાણીથી મોટા ભાગે લોકો બીમાર થઈ જાય છે અને ઘણા મોત પણ થઈ ચૂક્યા છે. વર્ષ 1916થી ઊંટોનું પાલન કરીને પારિવારિક વ્યવસાય કરી રહેલા ગામના એક 67 વર્ષીય રહેવાસી રહમાનભાઈ જાટે જણાવ્યું કે, ગામ પીવાના પાણીથી ઝઝૂમી રહ્યું છે.

તેમણે કહ્યું કે, અમને કેટલાક પ્રાઇવેટ સપ્લાયર્સ પાસેથી પાણીના ટેન્કર મળી રહ્યા હતા, પરંતુ તે છેલ્લા 2 મહિનાથી બંધ છે. અકળાવી મૂકે તેવી ગરમીથી રાહત મેળવવા માટે રવિવારે ગ્રામજનોએ ઊંટોને 5 કિલોમીટર દૂર સ્થિત ચંચવેલ તળાવ પર લઈ જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે રસ્તામાં એક તળાવ પાસે પહોંચવા પર ઊંટોના એક બાદ એક મોત થવા લાગ્યા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, 30 ઊંટોના મોત થઈ ચૂક્યા છે, જેમાંથી 25ના શબ જપ્ત કરવામાં આવ્યા છે.

એક સ્થાનિક સામાજિક કાર્યકર્તા મૂસાભાઈ અલી કચ્છીએ જણાવ્યું કે, પેયજળના પૂરતા પુરવઠા માટે સરકાર પાસે ગ્રામજનોએ વારંવાર અપીલ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલા પાણીના ટેન્કર આવતા હતા, છેલ્લા કેટલાક મહિનાથી તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ પાણી ઝેરી કે દૂષિત હોવાના સ્પષ્ટ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની એક સતર્કતા ટીમ પૂરી તપાસ કરવા માટે સોમવારે ઘટનાસ્થળ પર પહોંચી હતી.

ભરૂચમાં GPCBના ક્ષેત્રીય અધિકારી માર્ગી પટેલે કહ્યું કે પ્રદૂષકના સંભવિત સ્ત્રોતના રૂપમાં આસપાસ કોઈ પણ રાસાયણિક ઉદ્યોગની ઓળખ કરી શક્યા નથી. વિસ્તારમાં ક્રૂડ ઓઇલ પાઇપલાઇન માટે ONGC કૂવો છે, પરંતુ તેનાથી લીકેજના કોઈ રિપોર્ટ મળ્યા નથી. જ્યાં ઊંટના શબ મળ્યા હતા, ત્યાંથી નમૂના એકત્ર કરી લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોત કારણોની જાણકારી મળી શકશે. ભરૂચમાં એક સરકારી પશુ ચિકિત્સા અધિકારી ડૉ. હર્ષ ગોસ્વામીએ 25 ઊંટોના મોતની પુષ્ટિ કરી છે. જો કે, તેમના મોતનું યોગ્ય કારણ અનિશ્ચિત છે. તપાસ ચાલી રહી છે.

About The Author

Top News

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.