ભરૂચમાં પાણી પીતા જ મૃત્યુ પામ્યા 25 ઊંટ, આ કારણ હોવાની શંકા

ભરૂચ જિલ્લામાં પાણી પીધા બાદ 25 ઊંટોના મોત થવાના સમાચાર મળી રહ્યા છે. ઊંટોના ટોળાએ ગામની બહાર સ્થિત તળાવમાંથી પાણી પીધું હતું, ત્યારબાદ એકાએક તેમના મોત થવાની શરૂઆત થઈ. આ ઘટના વાગરા તાલુકાના કચ્છીપુરાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, ક્રૂડ ઓઇલની પાઈપલાઇનમાંથી લિકેજ થવાથી પાણી ઝેરી થઈ ગયું છે અને આ જ કારણે ઊંટોએ જેવું જ પાણી પીધું તેમનું મોત થઈ ગયું. કચ્છીપુરા 250 લોકોની વસ્તી છે અને લગભગ 60 ઘરોવાળું એક ગામ છે.

ગામમાં માલધારી સમાજના લોકો રહે છે. માલધારી લોકો પશુપાલનની ગતિવિધિઓ સાથે સંકળાયેલા છે. ઊંટો દ્વારા જ તેઓ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ગામમાં પાણીની સમસ્યા પણ રહે છે અને જે પાણી આવી રહ્યું છે તે દૂષિત છે. ગ્રામજનોનું કહેવું છે કે, દૂષિત પાણીથી મોટા ભાગે લોકો બીમાર થઈ જાય છે અને ઘણા મોત પણ થઈ ચૂક્યા છે. વર્ષ 1916થી ઊંટોનું પાલન કરીને પારિવારિક વ્યવસાય કરી રહેલા ગામના એક 67 વર્ષીય રહેવાસી રહમાનભાઈ જાટે જણાવ્યું કે, ગામ પીવાના પાણીથી ઝઝૂમી રહ્યું છે.

તેમણે કહ્યું કે, અમને કેટલાક પ્રાઇવેટ સપ્લાયર્સ પાસેથી પાણીના ટેન્કર મળી રહ્યા હતા, પરંતુ તે છેલ્લા 2 મહિનાથી બંધ છે. અકળાવી મૂકે તેવી ગરમીથી રાહત મેળવવા માટે રવિવારે ગ્રામજનોએ ઊંટોને 5 કિલોમીટર દૂર સ્થિત ચંચવેલ તળાવ પર લઈ જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે રસ્તામાં એક તળાવ પાસે પહોંચવા પર ઊંટોના એક બાદ એક મોત થવા લાગ્યા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, 30 ઊંટોના મોત થઈ ચૂક્યા છે, જેમાંથી 25ના શબ જપ્ત કરવામાં આવ્યા છે.

એક સ્થાનિક સામાજિક કાર્યકર્તા મૂસાભાઈ અલી કચ્છીએ જણાવ્યું કે, પેયજળના પૂરતા પુરવઠા માટે સરકાર પાસે ગ્રામજનોએ વારંવાર અપીલ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલા પાણીના ટેન્કર આવતા હતા, છેલ્લા કેટલાક મહિનાથી તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ પાણી ઝેરી કે દૂષિત હોવાના સ્પષ્ટ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની એક સતર્કતા ટીમ પૂરી તપાસ કરવા માટે સોમવારે ઘટનાસ્થળ પર પહોંચી હતી.

ભરૂચમાં GPCBના ક્ષેત્રીય અધિકારી માર્ગી પટેલે કહ્યું કે પ્રદૂષકના સંભવિત સ્ત્રોતના રૂપમાં આસપાસ કોઈ પણ રાસાયણિક ઉદ્યોગની ઓળખ કરી શક્યા નથી. વિસ્તારમાં ક્રૂડ ઓઇલ પાઇપલાઇન માટે ONGC કૂવો છે, પરંતુ તેનાથી લીકેજના કોઈ રિપોર્ટ મળ્યા નથી. જ્યાં ઊંટના શબ મળ્યા હતા, ત્યાંથી નમૂના એકત્ર કરી લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોત કારણોની જાણકારી મળી શકશે. ભરૂચમાં એક સરકારી પશુ ચિકિત્સા અધિકારી ડૉ. હર્ષ ગોસ્વામીએ 25 ઊંટોના મોતની પુષ્ટિ કરી છે. જો કે, તેમના મોતનું યોગ્ય કારણ અનિશ્ચિત છે. તપાસ ચાલી રહી છે.

About The Author

Top News

મુખ્ય સચિવ તરીકે ઓળખ આપીને કલેક્ટરને આપી મહત્વની સૂચનાઓ, પોલીસે છેતરપિંડી કરનારા પિતા-પુત્ર સહિત 3ની ધરપકડ કરી

મધ્યપ્રદેશના સિંગરૌલીમાં સામાન્ય જનતા તો ઠીક પણ જિલ્લા કલેક્ટર સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરનારાઓનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે....
National 
મુખ્ય સચિવ તરીકે ઓળખ આપીને કલેક્ટરને આપી મહત્વની સૂચનાઓ, પોલીસે છેતરપિંડી કરનારા પિતા-પુત્ર સહિત 3ની ધરપકડ કરી

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.