વી.ટી.ચોકસી લો કોલેજમાં સેમિનાર યોજાયો

વી.ટી. ચોકસી લો કોલેજ, માં “Indian Knowledge System" ના સંદર્ભમા “Bhagwad Gita : A Socio – Legal Discourse” વિષય પર એડવોકેટ  શ્રેયસ દેસાઈ (ચે૨મેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટિ, વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ) અને ડો. ઈ૨મલા દયાલ (ઈન્ચાર્જ પ્રિન્સિપલ, વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ) ના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રેયસ દેસાઈએ વિષયના અનુસંધાનમાં કર્મ અને ફળ વિશે ચર્ચા કરી હતી. આ સેમિનારમાં રિસોર્સ પર્સન્સ તરીકે જર્નાલિસ્ટ બકુલ ટેલર અને દીપક સોલિયા ઉપસ્થિત રહ્યા હતા. બકુલ ટેલર દ્વારા કૃષ્ણ અને સમાજના લોકો વિશે જ્ઞાન અપાયેલ હતું. આ ઉપરાંત સમાજના લોકોને શ્રીમદ ભગવદ ગીતામાંથી દરેક પ્રશ્નોના જવાબ કઈ રીતે મળી શકે તેની સમજ પૂરી પાડેલ હતી. તેમજ  દીપક સોલિયા દ્વારા સ૨ળ શબ્દોમાં કૃષ્ણ અને અર્જુનના સંવાદ, યોગના પ્રકાર, ઉપદેશો તેમજ સર્વશ્વા કૃષ્ણ જ છે જેવી ચર્ચા થકી ગીતા નો સાર સમજાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલાતના સફરમાં કર્મનું મહત્વ, નૈતિકતા અને સફળતા સાથે પોતાનો સંવાદને તેમણે પુર્ણ કર્યો હતો. કોલેજના 440થી વધુ વિદ્યાર્થીઓએ આ સેમિનારના તજજ્ઞના જ્ઞાનનો લાભ લીધો હતો.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.