બિપરજોયનું સંકટ ટળ્યું ત્યાં અંબાલાલ પટેલે બીજી આગાહી કરીને ટેન્શનમાં લાવી દીધા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકાશી આફતની આગાહી કરી છે જે ખેડુતો માટે ચિંતા ઉભી કરનારી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતાં 21 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.

હજુ તો ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડોનું સંકટ માંડ ટળ્યું છે ત્યાં ફરી એક વખત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતના આકાશમાંથી વધુ એક આફત આવવાની આગાહી કરતા ખેડુતોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. સાથે સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં ક્યારથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે તેના વિશે પણ વાત કરી છે

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતાં 21 જૂનથી વિધીવત રીતે ચોમાસાની શરૂઆત થશે. સાથે તેમણે એક ચોંકાવનારી આગાહી એ કરી છે કે રાજ્યમાં ભારે વરસાદને કારણે જાનમાલને નુકશાન થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાને કારણે વાવેતર કરેલા પાકમાં કાતરા પડવાની સંભાવના છે, જેની સાયરલ 27 દિવસ ચાલશે.

કાતરા એટલે  અંગ્રેજીમાં Caterpillar તરીકે ઓળખાતી ઇયળ. આ ઇયળ કૃષિમાં જંતુ તરીકે માનવામાં આવે છે. આ ઇયળ ફળો અને ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચાડે છે કાતરા જીવજંતને એકદમ ખાઉધરા માનવામાં આવે છે અને આખે આખા ઉભા પાકને કોરી ખાય છે. સાથે અંબાલાલ પટેલે કહ્યું કે રાજસ્થાનના રણમાં તીડની ઉત્પત્તિ થવાની પણ સંભાવના છે,જેની પણ ગુજરાત પર અસર થઇ સકે છે. તેમણે કહ્યુ કે, અષાઢ સુદ બીજ રથયાત્રાના દિવસે વાદળો રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાનં કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવો મળ્યો છે. અરબ સાગરમાંથી ઉભા થયેલા ચક્રવાતને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થયો હતો. વરસાદ વચ્ચે વાવાઝોડું વિઘ્ન આવી જતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે.

જો કે તેમણે એક સારી વાત એ કરી છે કે આગામી જુલાઇ મહિના સુધી વરસાદ ચોમાસાની પેટર્ન મુજબ જ પડશે. આ વર્ષે પુરતો વરસાદ પડવાની પણ સંભાવના તેમણે વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત  ટળી ગઇ છે, પરંતુ  હજુ પણ તેની અસરના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે ચોમાસાનો માર્ગ મોકળો બનશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં વિધિવત ચોમાસું 21 જૂનથી બેસશે, પરંતુ 26 જૂન પછી ચોમાસું સક્રીય બનશે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.