બિપરજોયનું સંકટ ટળ્યું ત્યાં અંબાલાલ પટેલે બીજી આગાહી કરીને ટેન્શનમાં લાવી દીધા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકાશી આફતની આગાહી કરી છે જે ખેડુતો માટે ચિંતા ઉભી કરનારી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતાં 21 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.

હજુ તો ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડોનું સંકટ માંડ ટળ્યું છે ત્યાં ફરી એક વખત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતના આકાશમાંથી વધુ એક આફત આવવાની આગાહી કરતા ખેડુતોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. સાથે સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં ક્યારથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે તેના વિશે પણ વાત કરી છે

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતાં 21 જૂનથી વિધીવત રીતે ચોમાસાની શરૂઆત થશે. સાથે તેમણે એક ચોંકાવનારી આગાહી એ કરી છે કે રાજ્યમાં ભારે વરસાદને કારણે જાનમાલને નુકશાન થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાને કારણે વાવેતર કરેલા પાકમાં કાતરા પડવાની સંભાવના છે, જેની સાયરલ 27 દિવસ ચાલશે.

કાતરા એટલે  અંગ્રેજીમાં Caterpillar તરીકે ઓળખાતી ઇયળ. આ ઇયળ કૃષિમાં જંતુ તરીકે માનવામાં આવે છે. આ ઇયળ ફળો અને ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચાડે છે કાતરા જીવજંતને એકદમ ખાઉધરા માનવામાં આવે છે અને આખે આખા ઉભા પાકને કોરી ખાય છે. સાથે અંબાલાલ પટેલે કહ્યું કે રાજસ્થાનના રણમાં તીડની ઉત્પત્તિ થવાની પણ સંભાવના છે,જેની પણ ગુજરાત પર અસર થઇ સકે છે. તેમણે કહ્યુ કે, અષાઢ સુદ બીજ રથયાત્રાના દિવસે વાદળો રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાનં કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવો મળ્યો છે. અરબ સાગરમાંથી ઉભા થયેલા ચક્રવાતને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થયો હતો. વરસાદ વચ્ચે વાવાઝોડું વિઘ્ન આવી જતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે.

જો કે તેમણે એક સારી વાત એ કરી છે કે આગામી જુલાઇ મહિના સુધી વરસાદ ચોમાસાની પેટર્ન મુજબ જ પડશે. આ વર્ષે પુરતો વરસાદ પડવાની પણ સંભાવના તેમણે વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત  ટળી ગઇ છે, પરંતુ  હજુ પણ તેની અસરના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે ચોમાસાનો માર્ગ મોકળો બનશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં વિધિવત ચોમાસું 21 જૂનથી બેસશે, પરંતુ 26 જૂન પછી ચોમાસું સક્રીય બનશે.

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.