સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે તમામ નિયમોને નેવે મૂકી, જ્યાં મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ચાલીને જાય છે તેવા ભવનાથ તળેટીના પ્રતિબંધિત વિસ્તારમાં પોતાની ખાનગી લક્ઝરી બસ ઘુસાડી દેતા ભારે વિવાદ સર્જાયો છે.

આ વર્ષે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મેળામાં ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે અભૂતપૂર્વ નિર્ણય લેવાયો હતો. જેમાં કોઈપણ ખાનગી વાહન કે બાઈકને મેળાના ક્ષેત્રમાં પ્રવેશવાની સખત મનાઈ હતી. લાખો શ્રદ્ધાળુઓ જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે આલીશાન બસમાં છેક ભવનાથના જૂના અખાડા સુધી પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

02

પોલીસ ચેકપોસ્ટ પર કેમ કોઈએ ન રોક્યા?

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે:

  • ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીની અનેક પોલીસ ચેકપોસ્ટ પર આ મોટી બસને કેમ કોઈએ અટકાવી નહીં?
  • શું વગદાર લોકો માટે નિયમો અલગ છે?
  • જેલમાંથી છૂટેલા જયરાજ આહિરને આવી વિશેષ છૂટછાટ કોણે આપી?

કલેક્ટરના તપાસના આદેશ

આ મામલે વિવાદ વકરતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે- આ વર્ષે મેળામાં VIP કલ્ચરને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. આ બસ કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જવાબદાર વ્યક્તિઓ કે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

04

સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં નારાજગી

સ્થાનિકોના મતે તંત્રએ વાહનો પર પ્રતિબંધ મૂકીને પ્રશંસનીય કામ કર્યું હતું, જેનાથી મેળામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહી હતી. પરંતુ જયરાજ આહિરના આ 'કારસ્તાન'થી સામાન્ય શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકેલા જયરાજ સામે હવે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

About The Author

Top News

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

રાહુલ ગાંધી પણ વિયેતનામ મજા કરવા જાય છે: હરદીપ પુરી

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરી હાલ વિપક્ષના નિશાન પર છે. વિપક્ષે તેમના રાજીનામાની માગ કરતા લોકસભાની કાર્યવાહી 9 માર્ચ...
Politics 
રાહુલ ગાંધી પણ વિયેતનામ મજા કરવા જાય છે: હરદીપ પુરી

8000mAh બેટરીવાળો સૌથી પાતળો ફોન લોન્ચ, કિંમત પણ છે ઓછી

Tecnoએ Pova Curve 5Gનું અપગ્રેડેડ વર્ઝન Tecno Pova Curve 2 5G લોન્ચ કરી દીધું છે. મુખ્ય સુવિધાઓમાં 144Hz ...
Tech and Auto 
8000mAh બેટરીવાળો સૌથી પાતળો ફોન લોન્ચ, કિંમત પણ છે ઓછી

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.