પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું કે હકાલપટ્ટી કરવામાં આવી?

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને મોટું માથું ગણાતા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ બધા પદો પરથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લાં એક સપ્તાહથી  પ્રદિપસિંહના રાજીનામાની ચર્ચા ચાલતી હતી અને PM મોદીની મુલાકાત પછી તેમણે રાજીનામું આપી દીધું છે અને  પ્રદેશ ભાજપે રાજીનામું સ્વીકારી પણ લીધું છે. જો કે, રાજકારણમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પ્રદેશ મહામંત્રીએ રાજીનામું આપ્યું કે પછી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે? સૂત્રોએ કહ્યુ હતું કે હાઇકમાન્ડે પ્રદિપસિંહને કમલમમાં પગ મુકવાની ચોખ્ખી ના પાડી છે.પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી ઉત્તર ગુજરાતના મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ યુવા મોર્ચાનો નેતા રહી ચુકેલા પ્રદિપસિંહ વાઘેલા ઘણા સમયથી ગુજરાતના પ્રદેશ મંહામંત્રી હતા અને તેમને દક્ષિણ ગુજરાતના સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રદિપસિંહ ગાંધીનગરમાં ભાજપની કમલમ ઓફીસમાં બેસીને કામકાજ કરતા હતા. જો કે સૂત્રોનું કહેવું છે કે, પ્રદિપસિંહ કમલમમાં બેસીને ભાજપનું કામ કરવાને બદલે પોતાનો જ વહીવટ કરતા હતા.

પ્રદિપસિંહ વાઘેલા સામે ગુજરાત યુનિવર્સિટીથી માંડીને સાણંદની જમીન પચાવી પાડ્યાનો આરોપ પણ લાગ્યો હતો. આખરે હાઇકમાન્ડના ધ્યાન પર આ વાત આવી હતી અને તેમણે આખરે રાજીનામું આપી દેવાની નોબત ઉભી થઇ છે.પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી ઉત્તર ગુજરાતના મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં છેલ્લાં કેટલાંક દિવસોથી પત્રિકાનું આતંરિક યુદ્ધ શરૂ થયું છે. પ્રદિપસિંગ વાઘેલા સામે પણ પત્રિકા ફરતી થઇ હતી અને તેમાં તેમની પર ભ્રષ્ટાચારના આરોપ મુકવામાં આવ્યા હતા.

હજુ 4 મહિના પહેલા ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી મધ્ય ગુજરાતના મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટને પણ હટાવી દેવાયા હતા. વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટનાથી ભાજપ સરકારનું નામ ખરાબ થયું હતું. ઉપરાંત ભાર્ગવ ભટ્ટ તંત્રની કામગીરીમાં ચંચૂપાત કરતો હોવાના અને તોફોનીઓને પીઠબળ પુરુ પાડતા હોવાનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો હતો.

 કારણો ગમે તે હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખેંચતાણ સામે આવી રહી છે અને મોટા માથાઓએ રાજીનામા આપવા પડી રહ્યા છે.પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામાની  ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. હવે તેમણે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.