પૂર્વ MLA અને ભાજપના નેતા ગોવાભાઈ રબારી બોલ્યા- અગાઉ રબારી સામે કોઈ બોલતું નહોતું, હવે સમાજ નબળો અને ઢીલો થયો છે...

આગામી 25 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉત્તર ગુજરાત રબારી સમાજનું મહાસંમેલન આયોજિત થવા જઈ રહ્યું છે. આ સંમેલનની તૈયારીના ભાગરૂપે ગુરુવારે વાવ-થરાદના દિયોદર સ્થિત ખોડિયાર માતાજીના મંદિર ખાતે રબારી સમાજની બેઠક મળી હતી, જેમાં નવા બંધારણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં 25 જાન્યુઆરીએ ડીસા ખાતે આયોજિત નવા બંધારણ સંમેલન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. રબારી સમાજના નવા બંધારણમાં કુરિવાજોને તિલાંજલિ આપવા, લગ્ન પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચાઓ પર પ્રતિબંધ મૂકવા અને સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Govabhai-Rabari2
divyabhaskar.co.in

આ બેઠકમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમજ આ બેઠકમાં દિયોદર, કાંકરેજ અને ઓગડ એમ 3 તાલુકાના રબારી સમાજના આગેવાનો પણ આ બેઠકમાં સામેલ થયા હતા, જેમણે સમાજ સુધારણાના આ પ્રયાસને સમર્થન આપ્યું હતું.

આ બેઠકમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસ નેતા ગોવાભાઇ રબારીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અગાઉ રબારી સામે કોઈ બોલતું નહોતું, હવે રબારી સમાજ નબળો અને ઢીલો થયો છે. રબારી સમાજ સામે કોઈ ખોટી આંગળી થશે તો સામે વાળાને આંગળી કપાઈ જવાનો ભય હોવો જોઈએ.

Govabhai-Rabari1
divyabhaskar.co.in

ગોવાભાઇ રબારીએ જણાવ્યું હતું કે આત્યારે સામાજિક રીતે એક થવાની જરૂર છે. અત્યારે આપણો સમાજ દરેક જગ્યાએ અન્ય સમાજ કરતા ઢીલો થઇ ગયો છે. અન્ય સમાજમાં એક નાની માથાકૂટ થાય તો 200 લોકો આવીને ઉભા રહે, ભલે પોતાના સમાજના યુવકની ભૂલ કે વાંક હોય તો પણ.

આપણાં સમાજનો આવો ડર મટી ગયો છે. પહેલા દિયોદરની અંદર કોઈ રબારીનું નામ લેતું નહોતું, એમાં પણ ઢીલાશ આવી છે. આપણે કોઈને મારવા નથી કે કોઇની સાથે ઝઘડા કરવા નથી, પરંતુ પણ થોડો ભય તો હોવો જ જોઈએ કે રબારી સમાજ સામે કોઈ ખોટી આંગળી થશે તો આ લોકો આંગળી કાપી નાંખશે.

About The Author

Related Posts

Top News

હનુમાનજી-મા દુર્ગાની મૂર્તિ.., કૂતરો 5 દિવસથી કરી રહ્યો છે પરિક્રમા, લોકોએ ભૈરવનું સ્વરૂપ ગણાવ્યો; ડૉક્ટરે જણાવ્યું સત્ય

બિજનોર જિલ્લાના નગીના વિસ્તારના નંદપુર ગામમાં આ દિવસોમાં એક કૂતરો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મંદિરમાં કૂતરાની રહસ્યમય હરકતોથી દર્શકો અને...
National 
હનુમાનજી-મા દુર્ગાની મૂર્તિ.., કૂતરો 5 દિવસથી કરી રહ્યો છે પરિક્રમા, લોકોએ ભૈરવનું સ્વરૂપ ગણાવ્યો; ડૉક્ટરે જણાવ્યું સત્ય

BMC ઈલેક્શન રિઝલ્ટઃ ભાજપ કિંગ, ઉદ્ધવ બીજા નંબરે, શિંદેને ઝટકો

મુંબઈના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે BMCના રાજા કોણ હશે. મુંબઈકરોએ ફડણવીસ-શિંદેની જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે....
BMC ઈલેક્શન રિઝલ્ટઃ ભાજપ કિંગ, ઉદ્ધવ બીજા નંબરે, શિંદેને ઝટકો

પૂર્વ MLA અને ભાજપના નેતા ગોવાભાઈ રબારી બોલ્યા- અગાઉ રબારી સામે કોઈ બોલતું નહોતું, હવે સમાજ નબળો અને ઢીલો થયો છે...

આગામી 25 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉત્તર ગુજરાત રબારી સમાજનું મહાસંમેલન આયોજિત થવા જઈ રહ્યું છે. આ સંમેલનની તૈયારીના ભાગરૂપે...
Gujarat 
પૂર્વ MLA અને ભાજપના નેતા ગોવાભાઈ રબારી બોલ્યા- અગાઉ રબારી સામે કોઈ બોલતું નહોતું, હવે સમાજ નબળો અને ઢીલો થયો છે...

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
Opinion 
શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.