રબારી સમાજનો નિર્ણય, છૂટાછેડા થાય તો 21 લાખ આપવા, લગ્નમાં ઘરેણા ન આપવા, સગાઈમાં...

અત્યારે ઘણા સમાજો પોતાના સામાજિક બંધારણ બનાવી રહ્યા છે, જેમાં દેખાદેખીમાં થતા ભારે ખર્ચાઓથી લોકોને બચાવવા, કુરિવાજો નાથવા માટેના પ્રયાસો છે. અત્યારે મોટાભાગના સમાજ પોતાના બંધારણ ઘડે છે, જેમાં લગ્ન-મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચા રોકવા માટે જરૂર પડતા નિર્ણયો લેતા હોય છે. આ નિયમોનો મુખ્ય હેતુ લગ્ન અને મરણ પ્રસંગોમાં થતો બિનજરૂરી ખર્ચ અટકાવવો, વ્યસનમુક્ત સમાજ ઊભો કરવો અને મધ્યમવર્ગીય પરિવારો પર પડતો આર્થિક બોજ ઘટાડવાનો છે.

એવામાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ગઢવાડા–દાંતારી રબારી સમાજે સામાજિક સુધારાની દિશામાં એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. સમાજના અગ્રણીઓની હાજરીમાં આયોજિત વિશાળ બેઠકમાં સમાજનું નવું બંધારણ સર્વાનુમતે અમલી બનાવવામાં આવ્યું છે.

મહેસાણાના સતલાસણા, ટીંબા, હડોલ, સુદાસણા સહિતના ગામોના સમાજના આગેવાનો ઈશ્વરભાઈ હડોલ, લીલાભાઈ હડોલ અને તેજાભાઈ ભચડિયા સહિતના આગેવાનો દ્વારા આ નિયમો અમલમાં મુકાયા છે. બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો કે સમાજની પ્રગતિ માટે દેખાવ કરતા સંસ્કાર વધુ મહત્ત્વના છે.

rabari-community
gujarati.news18.com

લગ્ન પ્રસંગના નિયમ

આ નિયમોમાં લગ્ન પ્રસંગે DJ, વરઘોડો અને ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગ હવે સાદગીથી જ ઉજવાશે. મીઠાઈ અને ભોજન પણ સાદું જ રાખવાનું રહેશે. વીડિયોગ્રાફી પર પ્રતિબંધ.

લગ્નની આમંત્રણ પત્રિકાઓ મર્યાદિત કરીને ફક્ત 5 પત્રિકા છપાવવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે વોટ્સએપ પર આમંત્રણ મોકલવાની રહેશે.

હવે મામેરું રૂપિયા 51,000 થી 2,51,000 સુધી જ કરી શકાશે, આનાથી વધારે. મામા તરફથી રોકડ રૂપિયા 25,000 થી 51,000 જ આપવાની મર્યાદા નક્કી કરાઈ છે.

સામે ઓઢામણી લેવી કે આપવી નહીં, તેમજ કાપડની ઓઢામણીની પ્રથા બંધ કરવામાં આવી છે.

સગપણ પ્રસંગે માત્ર રૂપિયા 1 અને શ્રીફળ આપવું.

ઘરેણાં નહીં લઈ જઇ શકાય.

ચૂડો ગળી વગરનો પહેરવાનો રહેશે અને પ્રસંગોમાં ચૂડો પહેરીને જ આવવાનું ફરજિયાત રાખવામાં આવ્યું છે.

તોરણ પુખવામાં ઊંટની છૂટ આપવામાં આવી છે, પરંતુ તોરણ ઉપર કાપડ લટકાવવું નહીં.

સમાજ સિવાય અન્ય વ્યક્તિઓને જાનમાં નહીં લઈ જઈ શકાય.

દરેક પ્રસંગ નશામુક્ત રાખવાનો કડક નિયમ બનાવાયો છે.

છૂટાછેડાના નિયમ

છૂટાછેડા અંગે સમાજમાં શિસ્ત જળવાઈ રહે તે માટે કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

કુંવારું સગપણ તૂટે તો રૂપિયા 5 લાખ રૂપિયા, પરણેલા દંપતિ છૂટાછેડા લે તો રૂપિયા 11 લાખ અને સંતાનો સાથે છૂટાછેડા થાય તો રૂપિયા 21 લાખ સુધીનું વળતર લેવાનું/આપવાનું રહેશે.

ઢવાડા–દાંતારી પરગણામાંથી છૂટું થયેલું સગપણ આ બંને પરગણા છોડીને જ નવેસરથી કરવાનું રહેશે.

1
gujarati.news18.com

મરણ પ્રસંગના નિયમ

મરણ પ્રસંગે અફીણ, ડોડા જેવા નશા પર પૂરી રીતે પ્રતિબંધિત કરાયો છે.

મરણ પ્રસંગે સોગની ઓરણી આપવી નહીં, તેમજ જમણવારમાં શીરો, ખીચડી, કઢી-રોટલી અને શાક જેવી સાદી વાનગીઓ જ રાખવાની રહેશે.

બારમાના દિવસે એક જ લોકાચાર રાખીને પરિવાર અને ગામની રીતે પ્રસંગ પૂર્ણ કરવો.

મરણ પ્રસંગે માત્ર નજીકના સગાઓને જ ફોન દ્વારા જાણ કરવી, જેથી અનાવશ્યક ભીડ અને ખર્ચ ટળે.

કુવાસીયોને રોકડમાં ઓઢામણી કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

આ નિયમોનો ભંગ કરનાર સામે સમાજ દંડ સહિતની કાર્યવાહી કરશે. DJ કે વરઘોડો રાખનારને સમાજ સામે બોલાવવામાં આવશે અને જરૂરી હોય તો કાયદાકીય પગલાં પણ લેવાશે.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.