દેશના આર્થિક વિકાસમાં ગુજરાત એન્જિનની ભૂમિકામાં છેઃ કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે

ભારત સરકારે જણાવ્યું કે, ભારત સરકારના MSME મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આજ રોજ અમદાવાદમાં નવી ઈમારત 'MSME ટાવર'નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એમએસએમઈની અમદાવાદ ખાતેની નવી ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ નવી ઈમારતમાં એમએસએમઈને સંબંધિત એવી જરૂરી તમામ સુવિધાઓ છે. જેનો લાભ ગુજરાતના યુવાઓ, ઉદ્યોગસાહસિકોને મળશે. રાણેએ કહ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું સપનું જોયું છે. જેમાં એમએસએમઈનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.

નારાયણ રાણેએ કહ્યું હતું કે ગુજરાત દેશના આર્થિક વિકાસનું એન્જિન છે અને તેમાં ગુજરાતના એમએસએમઈની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. તેમણે કહ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (MSME) કૃષિ ક્ષેત્ર પછી દેશના અર્થતંત્રમાં દેશના 40% આઉટપુટ, દેશની 49% નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમદાવાદની મુલાકાત દરમિયાન નારાયણ રાણે કહ્યું હતું કે અગાઉ એમએસએમઈની આ નવી ઈમારત માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂમિપૂજન કર્યુ હતું. એ સમયે અમિત શાહને વિશ્વાસ હશે કે આ ઈમારત ઘણી જ સુવિધાજનક અને ઉપયોગી બનશે, એ વિશ્વાસ સાચો ઠર્યો છે એ આ ઈમારત નિહાળીને મને લાગ્યું છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એમએસએમઈ ટાવરના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં એમએસએમઈ વિભાગને સંબોધીને કહ્યું હતું કે આ નવી ઈમારત જેટલી અંદર અને બહારથી ખૂબ જ સુંદર અને સુવિધાજનક છે એ જ સુંદરતાથી તેમાં કામ પણ થવું જરૂરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના એમએસએમઈ ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ રહેલી છે. તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ચીનમાં એમએસએમઈ ક્ષેત્રે કેટલીક ઈન્ડસ્ટ્રીઝ એવી છે જે બંધ થઈ રહી છે. ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રના લોકોએ તેનો અભ્યાસ કરીને ચીનમાં બંધ થતી ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ, જેનાથી આગળના સમયમાં નિકાસ ક્ષેત્રે પણ સફળતા મળશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના MSME મંત્રાલયની નીતિઓ અને કાર્યક્રમોની રચના અને અમલીકરણ માટે વિકાસ કમિશનર(MSME) નવી દિલ્હીની ક્ષેત્રીય કચેરી છે. ભારતના ગુજરાત રાજ્ય પ્રદેશ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની મુખ્ય કચેરી અમદાવાદ ખાતે અને બે શાખાઓ રાજકોટ અને સેલવાસામાં છે.

આ નવી ઈમારત MSME ટાવર, સિમ્સ હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે આવેલી છે તે 7237 સ્ક્વેર મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે જેમાં છ સ્તર આવેલા છે. આ ઓફિસમાં એક્સપોર્ટ ફેસિલિટેશન સેલ (EFC) અને એન્ટ્રેપ્રેનોરશિપ ફેસિલિટેશન સેન્ટર (EFC) ધરાવે છે જે આ પ્રદેશમાં MSME માંથી નિકાસને વેગ આપે છે. ઈન્ટેલેક્ચ્યુઅલ ફેસિલિટેશન સેલ MSMEને આઈપીઆરના આઈડેન્ટિફિકેશન, પ્રોટેક્શન અને મેનેજમેન્ટના બિઝનેસ ટૂલ તરીકે હેન્ડહોલ્ડ કરશે.

આ ઈમારતમાં 2 ટ્રેનિંગ હોલ છે જે નવોદિત ઉદ્યોગસાહસિકો તેમજ હાલના ઉદ્યોગસાહસિકોને સહયોગ અને તાલીમ એકસાથે આપશે. જેના માટે વિવિધ તાલીમ કાર્યક્રમો જેવા કે ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ, ઉદ્યોગસાહસિકતા તેમજ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને અન્ય કાર્યક્રમો કે જે વિવિધ MSME યોજનાઓ જેમ કે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, લીન મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ સ્કીમ, ઝીરો ઈફેક્ટ સ્કીમ, પ્રોકરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ સ્કીમ, પબ્લિક પ્રોકરમેન્ટ પોલિસી વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઓફિસમાં ઓડિટોરિયમ, વીડિયો કોન્ફરન્સ રૂમ, લાયબ્રેરી, કમ્પ્યુટર લેબ અને સ્ટાર્ટઅપ સ્ટુડિયો વગેરે પણ છે.

ભારત સરકારના MSME મંત્રાલયના ISS, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ઓ/ઓ ડેવલપમેન્ટ કમિશનર (MSME) ડી. પી. શ્રીવાસ્તવ તથા ગુજરાત સરકારનાં કમિશનર રંજીત કુમાર(IAS), ચીફ એન્જિનિયર, સીપીડબલ્યુડી રાજીવ શર્મા, ગુજરાત સ્ટેટ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન, અમદાવાદના પ્રમુખ અતુલ કપાસી, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેમંત શાહ, એમએસએમઈ-ડીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એન્ડ એચઓઓ વિકાસ ગુપ્તા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.