અંબાલાલ પટેલની મોટી આગાહી, ડિસેમ્બરથી ફરી માવઠાનું સંકટ

ગુજરાતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીનો માહોલ છે, પરંતુ હવે ઋતુચક્રમાં અચાનક ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. ઠંડીની વચ્ચે ખેડૂતો માટે ફરી એક વાર માવઠાનું સંકટ ઊભું થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે. તેમના અનુમાન મુજબ રાજ્યમાં આવતા દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થશે—સવારે ઠંડી અને બપોરે ગરમી.

weather
tv9gujarati.com

તાપમાનમાં હલચલ

અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ 23 અને 24 નવેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહી શકે છે. 25-26 નવેમ્બર બાદ તેમાં ધીમે ધીમે વધારો થઈને તે 16 થી 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા હોવાથી લોકો સવારે ઠંડી અને બપોરે ગરમી—બેવડી ઋતુનો અનુભવ કરશે.

weather
news18.com

ડિસેમ્બરમાં માવઠાની ચેતવણી

હવામાન નિષ્ણાંતે વધુમાં જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં વાતાવરણ બદલાઈ શકે છે. 15થી 17 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી હળવો વરસાદ—માવઠાની શક્યતા છે. ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની આશંકા છે, જેના કારણે બીજા સપ્તાહથી માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા

અંદાજ મુજબ 20 ડિસેમ્બરથી દેશના ઉત્તર પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ ઠંડી વધારશે.

ડિસેમ્બર અંતથી જાન્યુઆરીમાં કાતિલ ઠંડી

અંબાલાલ પટેલે આગાહી કરી કે 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી શરૂ થઈ શકે છે અને ડિસેમ્બર અંતમાં પણ હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી પડતા કાતિલ ઠંડીને વેગ મળશે, જેથી જાન્યુઆરી દરમ્યાન પણ હાડ થીજવતી ઠંડીનો ચમકારો રહેશે. 11-12 જાન્યુઆરી બાદ ઠંડી ફરી તીવ્ર બની શકે છે.

ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની શક્યતા

તેમના અનુમાન મુજબ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ રાજ્યના જુદા જુદા ભાગોમાં માવઠા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.