'ગુજરાત BJPનો ગઢ હતો, છે અને રહેશે', શાહે ઐતિહાસિક જીત પર ગર્જના કરી

ગુજરાતના સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ BJPના સુરત શહેર અને જિલ્લા સમિતિ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધતા અમિત શાહે ગુજરાત ચૂંટણીમાં મળેલી જીતને ખાસ ગણાવી હતી.

અમિત શાહે કહ્યું કે, ગુજરાતની જીતથી દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે. તેમણે કહ્યું કે, આ જીત આગામી ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં BJP માટે સકારાત્મક આપનારી જીત છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વિના તેના પર પણ નિશાન સાધ્યું અને BJPની જીતનો શ્રેય પેજ પ્રમુખોને પણ આપ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુજરાત ચૂંટણીમાં આટલી મોટી જીત BJPના કાર્યકરોના કારણે છે. તેમણે આ ચૂંટણી જીતમાં પેજ પ્રમુખોની ભૂમિકાને પણ મહત્વની ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ બધાએ સાથે મળીને અમારી યોજના જમીન પર ઉતારી હતી. અમિત શાહે કહ્યું કે, જે અભૂતપૂર્વ જીત મળી છે, આ રેકોર્ડને ભવિષ્યમાં પણ તોડવો મુશ્કેલ છે.

તેમણે આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વગર પ્રહારો કર્યા અને કહ્યું કે, ગુજરાતમાં નવા પક્ષો પણ આવ્યા. અમિત શાહે કહ્યું કે, નવી પાર્ટીઓએ મોટા-મોટા દાવા કર્યા, વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક બાંહેધરી આપી, પરંતુ જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો તેનો સફાયો થઈ ગયો. તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની જનતા BJP, PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયાર હતી.

અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામને ઘણી રીતે ખાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે, તાજેતરની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતે દેશને સંદેશ આપ્યો છે કે, ગુજરાત BJPનો ગઢ હતો, છે અને રહેશે. શાહે કહ્યું કે, ગુજરાતના આ પરિણામોની 2024ની લોકસભા ચૂંટણી પર પણ સકારાત્મક અસર પડશે. આ જીત રાજકીય ચિત્ર બદલવાવાળી સાબિત થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPનો જંગી વિજય થયો છે. ગુજરાત ચૂંટણીમાં BJPએ રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી હતી. ગત ચૂંટણીની સરખામણીએ BJPનો વોટ શેર પણ ત્રણ ટકા વધ્યો છે. આક્રમક પ્રચાર કરનાર આમ આદમી પાર્ટી (AAP)ની બેઠકો બે આંકડા સુધી પણ પહોંચી શકી નહોતી.

About The Author

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.