'ગુજરાત BJPનો ગઢ હતો, છે અને રહેશે', શાહે ઐતિહાસિક જીત પર ગર્જના કરી

ગુજરાતના સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ BJPના સુરત શહેર અને જિલ્લા સમિતિ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધતા અમિત શાહે ગુજરાત ચૂંટણીમાં મળેલી જીતને ખાસ ગણાવી હતી.

અમિત શાહે કહ્યું કે, ગુજરાતની જીતથી દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે. તેમણે કહ્યું કે, આ જીત આગામી ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં BJP માટે સકારાત્મક આપનારી જીત છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વિના તેના પર પણ નિશાન સાધ્યું અને BJPની જીતનો શ્રેય પેજ પ્રમુખોને પણ આપ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુજરાત ચૂંટણીમાં આટલી મોટી જીત BJPના કાર્યકરોના કારણે છે. તેમણે આ ચૂંટણી જીતમાં પેજ પ્રમુખોની ભૂમિકાને પણ મહત્વની ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ બધાએ સાથે મળીને અમારી યોજના જમીન પર ઉતારી હતી. અમિત શાહે કહ્યું કે, જે અભૂતપૂર્વ જીત મળી છે, આ રેકોર્ડને ભવિષ્યમાં પણ તોડવો મુશ્કેલ છે.

તેમણે આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વગર પ્રહારો કર્યા અને કહ્યું કે, ગુજરાતમાં નવા પક્ષો પણ આવ્યા. અમિત શાહે કહ્યું કે, નવી પાર્ટીઓએ મોટા-મોટા દાવા કર્યા, વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક બાંહેધરી આપી, પરંતુ જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો તેનો સફાયો થઈ ગયો. તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની જનતા BJP, PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયાર હતી.

અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામને ઘણી રીતે ખાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે, તાજેતરની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતે દેશને સંદેશ આપ્યો છે કે, ગુજરાત BJPનો ગઢ હતો, છે અને રહેશે. શાહે કહ્યું કે, ગુજરાતના આ પરિણામોની 2024ની લોકસભા ચૂંટણી પર પણ સકારાત્મક અસર પડશે. આ જીત રાજકીય ચિત્ર બદલવાવાળી સાબિત થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPનો જંગી વિજય થયો છે. ગુજરાત ચૂંટણીમાં BJPએ રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી હતી. ગત ચૂંટણીની સરખામણીએ BJPનો વોટ શેર પણ ત્રણ ટકા વધ્યો છે. આક્રમક પ્રચાર કરનાર આમ આદમી પાર્ટી (AAP)ની બેઠકો બે આંકડા સુધી પણ પહોંચી શકી નહોતી.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.