ગાંધીનગરમાં જૂની પાઇપલાઇનો, અપૂરતું મોનિટરિંગ અને અધિકારીઓની બેદરકારીએ રોગચાળાને આમંત્રણ આપ્યું છે

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તાજેતરમાં ઉદ્ભવેલ ટાઇફોઇડ રોગચાળાની સમસ્યાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ઇન્દોર પછી પાણીજન્ય રોગની સમસ્યા ગાંધીનગરને પણ વેઠીવી પડી છે જ્યાં 100થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. આરોગ્ય અધિકારીઓએ 70 જેટલા સક્રિય કેસની પુષ્ટિ કરી છે જેમાં મુખ્યત્વે સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારના રહેવાસીઓ અસરગ્રસ્ત છે. આ બીમારીનું મુખ્ય કારણ દૂષિત પીવાનું પાણી છે જેમાં ગટરનું પાણી મિશ્રિત થયું છે. પાઇપલાઇનમાં સાત જેટલા લીકેજની ઓળખ કરવામાં આવી છે જેના કારણે આ રોગચાળો ફેલાયો છે.

આ ઘટના માત્ર એક આરોગ્ય સંકટ નથી પરંતુ તે આપણી વિકાસની વાર્તાના અંધારા પાસાને છત્તું કરે છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના કેટલી ઘાતક સાબિત થઈ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. શહેરીકરણની ઝડપી ગતિએ પાણી પુરવઠાની વ્યવસ્થાને ભારણ આપ્યું છે. જૂની પાઇપલાઇનો, અપૂરતું મોનિટરિંગ અને અધિકારીઓની બેદરકારીએ આ રોગચાળાને આમંત્રણ આપ્યું છે. આપણે વિચારીએ તો આવી ઘટનાઓ માત્ર ગાંધીનગર કે ઇન્દોર સુધી મર્યાદિત નથી બેંગલુરુમાં પણ આવી જ સમસ્યા જોવા મળી છે. આ તો સમગ્ર દેશમાં પાણીની ગુણવત્તા અને જાહેર આરોગ્યના પડકારોનું પ્રતિબિંબ છે.

1

ચિંતનના દૃષ્ટિકોણથી જોઈએ તો આ રોગચાળો આપણને માનવ અધિકારોની યાદ અપાવે છે. ભારતીય બંધારણની કલમ 21 અનુસાર જીવનનો અધિકારમાં સ્વચ્છ પાણી અને આરોગ્યપ્રદ વાતાવરણનો સમાવેશ થાય છે. પરંતુ વાસ્તવિકતામાં આ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બાળકો અને વૃદ્ધો આવા રોગચાળામાં સૌથી વધુ પીડાય છે જેમાં ગાંધીનગરમાં બે બાળકોનું મૃત્યુ પણ થયું છે. આ બેદરકારી આર્થિક નુકસાન પણ નોતરે છે હોસ્પિટલના ખર્ચ, કામકાજનું ભારણ અને આરોગ્યવિભાગ પરની વિશ્વસનીયતા. સરકારની જવાબદારી છે કે તે આવી ઘટનાઓને ન થાય તેની તકેદારી રાખે. 

3

સરકારે પાણી પુરવઠાની વ્યવસ્થાને આધુનિક બનાવવી જોઈએ. રેગ્યુલર ટેસ્ટિંગ, સ્માર્ટ મોનિટરિંગ અને ઝડપી સમારકામ. ઉપરાંત હવેની સ્થિતિમાં જનજાગૃતિ પણ મહત્વપૂર્ણ છે. લોકોએ પાણી ઉકાળીને પીવું અને સ્વચ્છતા જાળવવી જોઈએ. એનજીઓ અને સમુદાયની ભાગીદારીથી આ સમસ્યાનો ઉકેલ કાઢી શકાય. વિકાસના નામે પર્યાવરણ અને આરોગ્યની અવગણના ન થવી જોઈએ કારણ કે સ્વચ્છ પાણી વિના જીવન અસંભવ છે.

આ ઘટના આપણને યાદ અપાવે છે કે પ્રગતિની દોડમાં માનવીય મૂલ્યોને ભૂલવા જોઈએ નહીં. આખરે તો સ્વસ્થ સમાજ જ વિકસિત રાષ્ટ્રનો આધાર છે.

About The Author

Top News

માદુરો જેલમાં, ટ્રમ્પનો તેલ ભંડાર પર નિયંત્રણ; તો પછી વેનેઝુએલાના શેરબજારમાં એક જ દિવસમાં 50 ટકાનો ઉછાળો કેમ?

વેનેઝુએલાની કટોકટી હાલમાં વિશ્વમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય બનેલી છે. અને એવું થાય પણ કેમ નહીં? આખરે અમેરિકાએ દેશના...
Business 
માદુરો જેલમાં, ટ્રમ્પનો તેલ ભંડાર પર નિયંત્રણ; તો પછી વેનેઝુએલાના શેરબજારમાં એક જ દિવસમાં 50 ટકાનો ઉછાળો કેમ?

હવામાન વિભાગે જણાવ્યું ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, ઠંડી કેટલી પડશે

ગુજરાતમાં હવે શિયાળો તેના અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો...
Gujarat 
હવામાન વિભાગે જણાવ્યું ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, ઠંડી કેટલી પડશે

અમેરિકામાં 92 વર્ષના જજ સામે માદુરોનો કેસ! USમાં ન્યાયાધીશો નિવૃત્ત કેમ નથી થતા?

વિશ્વની સૌથી શક્તિશાળી અદાલતોમાંની એક ગણાતી અમેરિકન ન્યાયિક વ્યવસ્થા ફરી એકવાર સમાચારમાં છે. એનું કારણ એ છે કે, વેનેઝુએલાના...
World 
અમેરિકામાં 92 વર્ષના જજ સામે માદુરોનો કેસ! USમાં ન્યાયાધીશો નિવૃત્ત કેમ નથી થતા?

અમેરિકાના ન્યૂ જર્સીને પહેલા ગુજરાતી મેયર મળ્યા

અમેરિકામાં એક ગુજરાતીએ ઇતિહાસ રચી દીધો છે. મુળ ગુજરાતના વલસાડના પુલકિત દેસાઇ ન્યુ જર્સીની પાર્સીપની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર બન્યા છે....
World 
અમેરિકાના ન્યૂ જર્સીને પહેલા ગુજરાતી મેયર મળ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.