મોરબી પૂલ દુર્ઘટના કેસમાંથી પોતાને દૂર રાખનારા જજ સમીર દવે કોણ છે?

ગયા વર્ષે ઓકટોબર મહિનામાં મોરબીમાં પૂલ તુટી પડવાની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. આ કેસની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે. ઓરેવા ગ્રુપના મેનેજરની એક જામીન અરજીની સુનાવણી માટે ન્યાયાધીશ સમીર દવેએ પોતાને દુર કરી દીધા છે.

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ સમીર દવેએ મોરબી પૂલ દુર્ઘટના કેસની સુનાવણીમાં પોતાને અલગ કરી દીધા છે. જજ સમીર દવેએ ઓરેવા ગ્રુપના મેનેજરની નિયમીત જામીન અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી દીધા છે. ઓરેવા ગ્રુપનો મેનેજર ગયા વર્ષે મોરબી પુલ તુટી પડવાની ઘટનામાં, જેમાં 135 લોકોના મોત થયા હતા તેની કથિત ભૂમિકા માટે જેલમાં છે.

ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવેની જામીન અરજી જ્યારે ન્યાયાધીશ સમીર દવે સમક્ષ સુનાવણી માટે આવી ત્યારે તેમણે એવું કહીને પોતાને કેસથી અલગ કરી દીધા કે મારી સમક્ષ નહીં. જો કે ન્યાયાધીશ સમીર દવેએ પોતાના આ નિર્ણય વિશે કોઇ કારણ જણાવ્યું નથી.

દિનેશ દવે એ 10 આરોપીઓમાનો એક છે, જેને ગયા વર્ષે ઓકટોબર મહિનામાં ગુજરાતના મોરબીમાં બ્રિટીશ સમયનો પૂલ તુટી પડવાની ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી. ઓરેવા ગ્રુપ દ્રારા બનાવવામા આવેલો અને સંચાલિત કરવામાં આવેલા પૂલને બનાવ્યાના થોડા દિવસો પછી તુટી પડ્યો હતો. આ કેસમાં કેટલાંક આરોપીઓને હાઇકોર્ટે જામીન આપેલા છે, જો કે ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલ અત્યારે જેલમાં છે. ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે પોતાની જામીન અરજી કરેલી છે.

મોરબી દુર્ઘટનાની સુનાવણી કેસમાં પોતાને અલગ કરનાર ન્યાયાધીશ સમીર દવે વિશે જણાવીશું. 18 ઓકટોબર 2021ના દિવસે હાઇકોર્ટમાં જજ બનેલા સમીર દવે મૂળ ગુજરાતના પાટણ જિલ્લાના રહેવાસી છે. તેમણે લાંબા સમય સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતાં નોંધણી કરીને પ્રેકટીસ કરી હતી. એ પછી તેઓ ન્યાયાધીશ બન્યા હતા.

ન્યાયાધીશ સમીર દવેએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ તીસ્તા સેતલવાડની જામીન પરની સુનાવણીમાં પણ પોતાને દુર રાખ્યા હતા. જસ્ટીસ સમીર દવેએ તાજેતરમાં સગીર બળાત્કાર પીડિતાના ગર્ભપાત કેસમાં મનુસ્મૃતિ પર ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં, તબીબી અહેવાલના આધારે, ન્યાયાધીશ સમીર દવેએ ગર્ભપાતની પીડિતાની વિનંતીને નકારી કાઢી હતી.

જો  કે પોતાને કેસથી અલગ કરવાની આ ઘટના પહેલી નથી, તાજેતરમાં હાઇકોર્ટના એક મહિલા ન્યાયાધીશે પણ રાહુલ ગાંધીના કેસની સુનાવણી વખતે કહ્યું હતું, નોટ બીફોર મી, મતલબ કે મારી સમક્ષ નહીં.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.