સાસરિયાવાળાને 9 લાખ આપ્યા છતા ન ધરાયા, થાર કાર માંગી, કરિયાવરના ત્રાસથી પરિણીતા જીવન ટુંકાવી દીધું

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના ભરવાડ વાસમાં રહેતી રિદ્ધિબેન ભરવાડ નામની પરિણીતાએ સાસરિયાંના સતત માનસિક અને શારીરિક ત્રાસ અને દહેજની માગણીઓથી ત્રાસીને આત્મહત્યા કરી છે. માત્ર દોઢ વર્ષના આ લગ્નજીવનનો કરુણ અંત આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

crime
oneindia.com

સગાઈ પહેલાં જ 'થાર કાર' માટે પૈસાની માગણી

મૃતક રિદ્ધિના પિયરપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે કે, લગ્ન પહેલાં જ જમાઈ દિલીપ ભરવાડે 'થાર' કાર ખરીદવા માટે પૈસાની માંગણી કરી હતી. રિદ્ધિના માતા હંસાબેનના જણાવ્યા મુજબ, તેમની દીકરી પિયરમાંથી ટુકડે ટુકડે કુલ ₹9 લાખની રકમ સાસરિયાંને આપી ચૂકી હતી, તેમ છતાં પતિ દિલીપ અને સાસરિયાં દ્વારા તેને શારીરિક માર મારવામાં આવતો અને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

સાસરિયાં મૃતદેહ મૂકીને નાસી છૂટ્યા

પરિવારનો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે, રિદ્ધિએ આત્મહત્યા કરી લીધા બાદ સાસરિયાં પક્ષના લોકોએ આ અંગેની જાણકારી મૃતકના પરિવારને સીધી રીતે આપી ન હતી. જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે તેમને ખાનગી હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવી કે રિદ્ધિના સાસરિયાં તેને અહીં મૂકીને નાસી છૂટ્યા છે. મૃતકના ગળા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે.

પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી

રિદ્ધિના પરિવારે જ્યાં સુધી ફરિયાદ નોંધાય નહીં અને આરોપીઓની ધરપકડ ન થાય, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસે પરિણીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (Abetment to suicide) આપવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનો નોંધાયા બાદ જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. હાલમાં પરિણીતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સોલા સિવિલ ખાતે કરવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.