સાસરિયાવાળાને 9 લાખ આપ્યા છતા ન ધરાયા, થાર કાર માંગી, કરિયાવરના ત્રાસથી પરિણીતા જીવન ટુંકાવી દીધું

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના ભરવાડ વાસમાં રહેતી રિદ્ધિબેન ભરવાડ નામની પરિણીતાએ સાસરિયાંના સતત માનસિક અને શારીરિક ત્રાસ અને દહેજની માગણીઓથી ત્રાસીને આત્મહત્યા કરી છે. માત્ર દોઢ વર્ષના આ લગ્નજીવનનો કરુણ અંત આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

crime
oneindia.com

સગાઈ પહેલાં જ 'થાર કાર' માટે પૈસાની માગણી

મૃતક રિદ્ધિના પિયરપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે કે, લગ્ન પહેલાં જ જમાઈ દિલીપ ભરવાડે 'થાર' કાર ખરીદવા માટે પૈસાની માંગણી કરી હતી. રિદ્ધિના માતા હંસાબેનના જણાવ્યા મુજબ, તેમની દીકરી પિયરમાંથી ટુકડે ટુકડે કુલ ₹9 લાખની રકમ સાસરિયાંને આપી ચૂકી હતી, તેમ છતાં પતિ દિલીપ અને સાસરિયાં દ્વારા તેને શારીરિક માર મારવામાં આવતો અને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

સાસરિયાં મૃતદેહ મૂકીને નાસી છૂટ્યા

પરિવારનો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે, રિદ્ધિએ આત્મહત્યા કરી લીધા બાદ સાસરિયાં પક્ષના લોકોએ આ અંગેની જાણકારી મૃતકના પરિવારને સીધી રીતે આપી ન હતી. જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે તેમને ખાનગી હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવી કે રિદ્ધિના સાસરિયાં તેને અહીં મૂકીને નાસી છૂટ્યા છે. મૃતકના ગળા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે.

પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી

રિદ્ધિના પરિવારે જ્યાં સુધી ફરિયાદ નોંધાય નહીં અને આરોપીઓની ધરપકડ ન થાય, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસે પરિણીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (Abetment to suicide) આપવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનો નોંધાયા બાદ જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. હાલમાં પરિણીતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સોલા સિવિલ ખાતે કરવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.