પુત્રએ માતાને ભરણપોષણના 3 હજાર ચૂકવવા પડશે

કેસની વિગત મુજબ અરજદાર માતા(સાવકી) શારદા કોટડીયા કે જે કતારગામ સુરત મુકામે રહેતા આવેલા તેમના લગ્ન 1991માં આશિષ કોટડીયા સવાણી (પક્ષકારોના નામ બદલેલા છે) સાથે થયેલા. બંને પક્ષકારોને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્રીનો જન્મ થયેલો.

શારદાબેનના મનોજભાઇ સવાણી સાથે બીજા લગ્ન હતા. મનોજભાઇને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર રાજેશ સવાણી કે જે આ કામના સામાવાળા થતા આવેલા છે તેનો જન્મ થયેલો અને અરજદાર પરીણીતાએ લગ્ન બાદ માતા(સાવકી) તરીકેની તેમની તમામ જવાબદારીઓ નિભાવતા હતા. અરજદાર માતાના પતિનું યાને કે સામાવાળાના પિતાનું માંદગીના કારણે 2013માં અવસાન થયું હતું. અરજદાર માતાએ અવસાન બાદ પુત્રને મોટો કરેલો અને સાથે સાથે પુત્રીને પણ મોટી કરેલી. અરજદાર માતાએ પુત્રને ભણાવેલ ગણાવેલ અને મોટો કરેલો. પતિના યાને કે સામાવાળા પુત્રના પિતાના અવસાન બાદ પુત્રએ માતાની સાથે નાની નાની બાબતે ત્રાસ આપવાનું શરૂ કરેલ. પિતાના બચતના રૂપિયા સામાવાળા પુત્રએ ધીમે ધીમે કરી લઇ લીધેલા અને પુત્ર જે કઇ પણ આવક મેળવતો આવેલો તેમાથી માતાને એક સામાવાળા પુત્ર તેની બહેનની પણ કાળજી દરકાર રાખતા નહી અને પુત્ર માતા અને બહેનને ત્રાસ આપતા આવેલા.

2017માં સામાવાળા પુત્રએ ભાગીને લગ્ન કર્યા બાદ અરજદાર માતાનો ત્યાગ કરી દિધેલો અને અલગ રહેવા જતા રહેલા અને ત્યારબાદ પુત્રએ માતા અને બહેનની કોઇ કાળજી દરકાર રાખેલ નહી કે ભરણપોષણની પણ કોઇ જ જોગવાઇ કરેલી નહી. અરજદાર માતા પાસે આવકનું કોઇ જ સાધન ન હોય સામાવાળા પુત્ર માતાનું ભરણપોષણ ન કરતો હોય અરજદાર માતાએ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે ભરણપોષણનો કેસ સુરત ફેમીલી કોર્ટમાં દાખલ કરેલો. કેસ ચાલી જતા સુરત ફેમીલી કોર્ટે પુત્રને માસિક રૂપિયા ૩૦૦૦ ભરણપોષણ ચુકવવાનો હુકમ કરેલો. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી અને તૃપ્તી ઠકકરે દલીલો કરેલી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.