વ્યાજખોરોએ 3 લાખના 7.70 લાખ વસૂલીને ખેડૂતનું મકાન લખાવી લીધું

શીલ તાબેના ઝરીયાવાડામાં રહેતા શેરખા ઈબ્રાહિમખા બેલીમ ઉંમર વર્ષ 53 એ ખેતરના ભાગ્યમાં નુકસાની જતા ખેતી ખર્ચ માટે રૂપિયાની જરૂરિયાત પડતા દોઢેક વર્ષ પહેલા હબીબખા કાસમખા બેલીમ પાસેથી 15 ટકા વ્યાજે દોઢ લાખ રૂપિયા લીધા હતા. એક મહિનામાં વ્યાજ સાથે મળી બે લાખ આપી દીધા હતા એકાદ માસ પહેલા શેરખાને હબીબખાએ તારે મને હજુ બે લાખ આપવા પડશે, ત્યારે શેરખાને કહ્યું હતું કે દોઢના બે લાખ આપી દીધા છે તો પણ ગત તારીખ 4.1.2023 ના હબીબખાને ફરી શેરખાનને મારા રૂપિયા આપી દેજે નહિતર જોયા જેવી થશે તેવી વાત કરી હતી.

શેરખાને 50000 રૂપિયાનું દર મહિને 20,000 રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. થોડા સમય પૈસા આપવામાં પહોંચ્યા ન હતા તો પણ રસીદખા હબીબખા બેલીમે બે લાખ માંગ્યા હતા અને તારી પાસે પૈસા ન હોય તો ચેક લખી દે મકાન લખી દેજે જેથી શેરખાને ત્રણ કોરા ચેક અને મકાનનું લખાણ કરી દીધું હતું.

દસેક દિવસ પહેલાં રસીદખા મળ્યો ત્યારે ફરી બે લાખ આપી દે નહીંતર સારાવાટ નહીં રહે તેમ કહ્યું હતું આમ શેરખાને અલગ અલગ સમયે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. તેના 7.70 લાખ ચૂકવી આપ્યા છતાં વ્યાજખોરોએ વધુ પૈસાની માંગણી કરી છે. તેમજ લખાણ લઈ અવારનવાર ધમકી આપી હતી આ અંગે શેરખા બેલી મેં હબીબખા કાસમખા બેલીમ અને રસીદખા હબીબખા બેલીમ સામે ફરિયાદ કરતા શીલ પોલીસે વ્યાજખોર પિતા પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.