ચૈતર વસાવાએ કહ્યું- સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી, મંત્રીએ આપ્યો જવાબ

થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટેની શિષ્યવૃત્તિ બંધ થવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરી હતી. વસાવાએ કહ્યું હતું કે ગયા વર્ષે રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટેની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી, જેના કારણે લગભગ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર પડી છે. હવે આ મામલે આદિજાતિ મંત્રી નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.  મંત્રી નરેશ પટેલે આ મામલે શું કહ્યું એ તરફ નજર કરતા પહેલા ચૈતર વસાવાએ શું આરોપ લગાવ્યો હતો એ બાબતે જાણીએ. 

chaitar-vasava
indianexpress.com

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો કે, ‘સરકારે જાહેરાત તો કરી કે શિષ્યવૃત્તિ ફરી શરૂ થશે, પરંતુ આજ સુધી એક પણ વિદ્યાર્થીને રૂપિયા મળ્યા નથી. અગાઉ પણ આ મુદ્દે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વિધાનસભામાં પણ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ સરકાર તરફથી કોઈ અસરકારક નિર્ણય લેવામાં આવ્યો નથી.

https://www.instagram.com/p/DSCAqnoiEBe/

ધારાસભ્ય ચૈતર વસાવાએ માગ કરી હતી કે, વર્ષ 2024-25ના તેમજ હાલના શૈક્ષણિક વર્ષના તમામ વિદ્યાર્થીઓને તરત જ શિષ્યવૃત્તિ આપવામાં આવે. સાથે જ ચૈતર વસાવાએ ચીમકી આપી હતી કે, જો આગામી 15 દિવસમાં શિષ્યવૃત્તિ આપવામાં નહીં આવે તો 9 ડિસેમ્બરે ફરીથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સચિવાલય અને બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવશે.

સરકારના આદિજાતિ વિકાસના બજેટ પર પણ વસાવાએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જો આટલું મોટું બજેટ હોવા છતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નથી મળતી, તો પછી આ બજેટ ક્યાં વપરાય છે? શું આદિજાતિ વિકાસનો ફાળો જાહેરાતો અને બેનરોમાં વપરાઈ રહ્યો છે? આ મુદ્દે હવે આદિજાતિ મંત્રી  મુકેશ પટેલે જવાબ આપ્યો છે.

naresh-patel1
facebook.com/min.nareshpatel

આદિજાતિ મંત્રી નરેશ પટેલે કહ્યું કે, 1,13,844 અરજી મળ્યા બાદ આજથી રાજ્ય સરકાર 460 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરશે. ચૈતરભાઈને જવાબ આપવા માગું છુ કે, તમે પહેલી વખત ચૂંટાયા છો, આ રાજ્ય સરકાર 16-17થી આ વિદ્યાર્થીઓની ચિંતા કરે છે. ચૈતર વસાવા બોલે એ કંઈ અમે લોકો માની લેતા નથી, અમે અમારી રીતે કામ કરીએ છીએ.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.