વિશ્વ માટી દિવસ : AM/NS ઈન્ડિયા અને GPCB દ્વારા જાગૃતિ કાર્યક્રમ

હજીરા-સુરત, 7 ડિસેમ્બર, 2024 : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GOCB)ના સહયોગથી ગુરુવારે "વિશ્વ માટી દિવસ" નિમિત્તે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન યોજાયેલી ઈવેન્ટમાં ઈકો-ફ્રેન્ડલી ટકાઉ પ્રથાઓ અને પ્લાસ્ટિક પ્રદૂષણના અગત્યના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હજીરામાં AMNS ટાઉનશીપના ઉત્સવ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં "અતિ સર્વત્ર વર્જયેત" થીમ પર કેન્દ્રિત એક આકર્ષક વર્કશોપ અને નાટ્ય નાટક દર્શાવવામાં આવ્યું હતું, જેનો અર્થ "કોઈપણ વસ્તુનો અતિરેક ખરાબ છે" થાય છે.

GPCBના પ્રાદેશિક અધિકારી ડો. જીજ્ઞાસા ઓઝાના કોન્સેપ્ટ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ, આ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની હાનિકારક અસરો અને જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર તેની હાનિકારક અસરો પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. ઓઝાએ તેમના સંબોધનમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવાની તાત્કાલિક જરૂરિયાત અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ ઉકેલો અને સમુદાયની ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “પ્લાસ્ટિક પ્રદૂષણ એ આજે આપણે સામનો કરી રહેલા પર્યાવરણીય પડકારો પૈકી એક છે. પ્લાસ્ટીકનું પ્રદૂષણ જમીનના સ્વાસ્થ્ય પર પણ ભારે અસર કરે છે. વિશ્વ માટી દિવસ એ સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર નિર્ભરતા ઘટાડવાની અને ભવિષ્યની પેઢીઓ માટે માટી, પાણી અને પૃથ્વીને સુરક્ષિત રાખવા માટે ટકાઉ પ્રથાઓને અપનાવવાની જરૂરિયાત વિશે એક શક્તિશાળી રીમાઇન્ડર છે. ખરીદી કરતી વખતે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીઓ અથવા અન્ય બાયોડિગ્રેડેબલ સામગ્રીથી બનેલી બેગનો ઉપયોગ કરવા જેવા નાના પગલાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવામાં ઘણા મદદરૂપ સાબિત થઈ શકે છે.”

AM/NS ઈન્ડિયા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને તેની પર્યાવરણીય અસર ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. ટકાઉ વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ તેના વ્યવસાયિક સંચાલન માટે મૂળભૂત છે અને તેણે ઘણી પહેલ કરી છે, જેના સારા પરિણામો મળ્યા છે. "વિશ્વ માટી દિવસ", ઇવેન્ટ ભવિષ્યની પેઢીઓ માટે જમીન અને પર્યાવરણને બચાવવા માટેની અમારી સહિયારી જવાબદારી અને જાગૃતિ લાવવા અને સામૂહિક પગલાંને પ્રેરણા આપવાના અમારા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

આ પહેલે આબોહવા પરિવર્તન સામે લડવામાં અને જૈવવિવિધતાના રક્ષણમાં જમીનના સ્વાસ્થ્યના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને નાગરિકોને પર્યાવરણને અનુકૂળ ઉકેલો અપનાવવા વિનંતી કરી હતી. આ પ્રયાસે માઇક્રો-પ્લાસ્ટિક દ્વારા હવા, માટી અને પાણીના દૂષણ સહિત પર્યાવરણ પર પ્લાસ્ટિકની લાંબા સમય સુધી ચાલતી અસરો તરફ ધ્યાન દોર્યું હતું.

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા) એ વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક સંસ્થાઓ, આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ભારતમાં એક અગ્રણી સંકલિત ફ્લેટ કાર્બન સ્ટીલ ઉત્પાદક, આ કંપની અત્યાધુનિક ડાઉનસ્ટ્રીમ સુવિધાઓ સાથે વાર્ષિક 9 મિલિયન ટનની ક્રૂડ સ્ટીલ ક્ષમતા ધરાવે છે. તે મૂલ્યવર્ધિત સ્ટીલ સહિત ફ્લેટ સ્ટીલ ઉત્પાદનોની સંપૂર્ણ વૈવિધ્યસભર શ્રેણીનું ઉત્પાદન કરે છે અને તેની પેલેટ ક્ષમતા 20 મિલિયન ટન છે.

About The Author

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.