જીવલેણ છે ડિયોમાંથી નીકળતો ગેસ, 14 વર્ષની છોકરીને ઍટેક આવ્યો, નિધન

પરસેવાની દુર્ગંધથી બચવા માટે આજકાલ લોકો Deodorant એટલે કે ડિયો કે પરફ્યૂમનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છે. તો ઘણા લોકો શિયાળામાં નાહવાની જગ્યાએ Deo પર વધારે ભરોસો કરે છે, પરંતુ સતત Deoનો ઉપયોગ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. Deoમાં ઉપસ્થિત કેમિકલ્સના કારણે ન માત્ર રેશેજ અને સોજો થઇ શકે છે, પરંતુ તેનાથી કેટલીક ખતરનાક બીમારીઓનું જોખમ વધી જાય છે. હાલમાં જ એક એવી ચોંકાવનારી દુર્ઘટના સામે આવી છે જે લોકો વચ્ચે ચિંતાનો વિષય બની છે.

બ્રિટનમાં એરોસોલ Deodorant સૂંઘ્યા બાદ 14 વર્ષની એક છોકરીનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થઇ ગયું છે. છોકરીના મોત બાદ તેના માતા-પિતાએ લોકોને Deodorantથી થનારા સંભવિત જોખમ બાબતે જાણકારી આપી છે. સાથે જ સાવધાની રાખવાની અપીલ કરી છે. ડૉક્ટર્સે જણાવ્યું કે, ભૂલથી એરોસોલ Deodorant સૂંઘ્યા બાદ 14 વર્ષની છોકરી જોર્જિયા ગ્રીનને કાર્ડિયાક અરેસ્ટ થઇ ગયો.

જોર્જિયા આમ તો એકદમ ફિટ અને હેલ્ધી હતી અને તે આ અગાઉ ક્યારેય ગંભીર રૂપે બીમાર થઇ નહોતી. પરંતુ એ દિવસે તેણે પોતાની રૂમમાં Deodorant છાંટ્યો, ત્યારબાદ રૂમમાં જ જોર્જિયા મૃત હાલતમાં મળી આવી હતી. જોર્જિયાના માતા-પિતાએ જણાવ્યું કે તે ઓટિસ્ટિક હતી અને રૂમમાં Deo સ્પ્રે કરવાથી શાંતિ મળતી હતી. Deodorantના એરોસોલમાં ટોક્સિક અને કેમિકલ્સ અને ગેસ ઉપસ્થિત હોય છે. જેના કારણે આ જીવલેણ સાબિત થઇ શકે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે એવી ઘટનાઓ માત્ર બાળકો સુધી જ સીમિત નથી, જાગૃતિ ફેલાવવાથી આ પ્રકારના અકસ્માતથી બચી શકાય છે. એ સિવાય બાળકોને તેનાથી દૂર રાખવા ખૂબ જરૂરી છે. Deoની જગ્યાએ ટેલકમ પાઉડરનો ઉપયોગ કરી શકાય છે. કાર્ડિયાક અરેસ્ટ એક પ્રકારની મેડિકલ ઇમરજન્સી છે, જેમાં જીવ જવાનું જોખમ વધુ હોય છે. આ સ્થિતિમાં હૃદયના ધબકારા અચાનક બંધ થઇ જાય છે અને દર્દી અચાનક બેહોશ થઇ જાય છે. એવામાં દર્દીને તાત્કાલિક મેડિકલ અટેન્શનની જરૂરિયાત હોય છે.

શું છે તેના લક્ષણ?

છાતીમાં દુઃખાવો.

કારણ વિના ગભરાટ.

શ્વાસ ફૂલવા.

બેહોશી કે ચક્કર આવવા.

માથું હલકું લાગવું.

હૃદયના ધબકારા અનિયમિત થવા.

હૃદયના ધબકારા તેજ થવા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.