જો તમે હાલતા ને ચાલતા Dolo 650 ખાઈ લેતા હોવ તો સાવધાન, અમેરિકન ડૉક્ટરે ચેતવ્યા

પેરાસીટામોલને સામાન્ય રીતે તાવની દવા તરીકે ઓળખવામાં આવે છે. Dolo 650 આ દવાની એક બ્રાન્ડ નામ છે. હવે તે ઘણા લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. તાવથી લઈને શરીરમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, સાઇનસ કે શરદી..., થોડી પણ પરેશાની થાય તો કેટલાક લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના આ દવા લઈ લે છે. આવું કરનારાઓ માટે ડૉક્ટરોનો એક જ મેસેજ છે, વિચાર્યા વિના પેરાસીટામોલ ન લો, તે ખતરનાક બની શકે છે. આ મામલાને લઈને અમેરિકાના એક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પલાનીઅપ્પન મણિકમે X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, ‘ભારતના લોકો Dolo 650ને કેડબરી ચોકલેટની જેમ ( સમજ્યા વિચાર્યા વિના, વધુ માત્રામાં) ખાય છે.

Dolo-6502
tv9marathi.com

 

તેમની પોસ્ટ પર બહેસ શરૂ થઈ ગઈ છે કેમ કે ભારતમાં, અન્ય દવાઓની તુલનામાં પેરાસીટામોલને લઈને ઓછી સાવધાની જોવા મળી છે. કેટલાક લોકો આ દવા લેતા પહેલા ડૉક્ટરને ડૉઝ બાબતે પૂછવાનું પણ જરૂરી સમજતા નથી. જ્યારે જરૂરિયાતથી વધારે પેરામેટામોલ કે Dolo 650 લેવાથી લીવર અને કિડની જેવા અંગો પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. જો તમારી લીવર અને કિડની પહેલાથી જ ખરાબ છે અથવા તમે નિયમિત રૂપે દારૂ પીવ છો, એટલે કે અઠવાડિયામાં 14 યુનિટથી વધુ દારૂ પીવ છો, તો પરિણામ વધુ ગંભીર હોઈ શકે છે.

પેરાસીટામોલ લેવાની રીત શું છે?

જાતે કે ફાર્માસિસ્ટની સલાહ પર પેરાસીટામોલ લેવાનું સુરક્ષિત માનવામાં આવતું નથી. તેને લેવાની એકમાત્ર સાચી રીત છે ડૉક્ટરની સલાહ. આ દવા 500 મિલિગ્રામ, 650 મિલિગ્રામ અને અહીં સુધી કે 1000 મિલિગ્રામના ડૉઝ સાથે મળે છે. તેના ઇન્જેક્શન પણ ઉપલબ્ધ છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, એક વ્યક્તિને રોજ વધુમાં વધુ  4 ગ્રામ અથવા 4000 મિલિગ્રામની માત્રાનો ડૉઝ આપી શકાય છે. તે પણ ડૉક્ટરની સલાહ બાદ જ.

Dolo-6501
businesstoday.in

 

એટલે, જો કોઈને 500 મિલિગ્રામ દવા લેવાની સલાહ આપવામાં આવી છે, તો તે 24માં વધુમાં વધુ 8 ગોળીઓ લઈ શકે છે. દરેક ગોળી વચ્ચે 4 કલાકનું અંતર રાખવું જરૂરી છે. જેથી જાણકારી મળી શકે કે સ્થિતિમાં સુધારો થયો છે કે નહીં. દવાને અસર કરવામાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. પેરાસિટામોલને પેરાસિટામોલવાળી બીજી દવાઓ સાથે બિલકુલ ન લો કેમ કે તેનાથી ઓવરડોઝનું જોખમ હોય છે.

About The Author

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.