જો તમે હાલતા ને ચાલતા Dolo 650 ખાઈ લેતા હોવ તો સાવધાન, અમેરિકન ડૉક્ટરે ચેતવ્યા

પેરાસીટામોલને સામાન્ય રીતે તાવની દવા તરીકે ઓળખવામાં આવે છે. Dolo 650 આ દવાની એક બ્રાન્ડ નામ છે. હવે તે ઘણા લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. તાવથી લઈને શરીરમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, સાઇનસ કે શરદી..., થોડી પણ પરેશાની થાય તો કેટલાક લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના આ દવા લઈ લે છે. આવું કરનારાઓ માટે ડૉક્ટરોનો એક જ મેસેજ છે, વિચાર્યા વિના પેરાસીટામોલ ન લો, તે ખતરનાક બની શકે છે. આ મામલાને લઈને અમેરિકાના એક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પલાનીઅપ્પન મણિકમે X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, ‘ભારતના લોકો Dolo 650ને કેડબરી ચોકલેટની જેમ ( સમજ્યા વિચાર્યા વિના, વધુ માત્રામાં) ખાય છે.

Dolo-6502
tv9marathi.com

 

તેમની પોસ્ટ પર બહેસ શરૂ થઈ ગઈ છે કેમ કે ભારતમાં, અન્ય દવાઓની તુલનામાં પેરાસીટામોલને લઈને ઓછી સાવધાની જોવા મળી છે. કેટલાક લોકો આ દવા લેતા પહેલા ડૉક્ટરને ડૉઝ બાબતે પૂછવાનું પણ જરૂરી સમજતા નથી. જ્યારે જરૂરિયાતથી વધારે પેરામેટામોલ કે Dolo 650 લેવાથી લીવર અને કિડની જેવા અંગો પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. જો તમારી લીવર અને કિડની પહેલાથી જ ખરાબ છે અથવા તમે નિયમિત રૂપે દારૂ પીવ છો, એટલે કે અઠવાડિયામાં 14 યુનિટથી વધુ દારૂ પીવ છો, તો પરિણામ વધુ ગંભીર હોઈ શકે છે.

પેરાસીટામોલ લેવાની રીત શું છે?

જાતે કે ફાર્માસિસ્ટની સલાહ પર પેરાસીટામોલ લેવાનું સુરક્ષિત માનવામાં આવતું નથી. તેને લેવાની એકમાત્ર સાચી રીત છે ડૉક્ટરની સલાહ. આ દવા 500 મિલિગ્રામ, 650 મિલિગ્રામ અને અહીં સુધી કે 1000 મિલિગ્રામના ડૉઝ સાથે મળે છે. તેના ઇન્જેક્શન પણ ઉપલબ્ધ છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, એક વ્યક્તિને રોજ વધુમાં વધુ  4 ગ્રામ અથવા 4000 મિલિગ્રામની માત્રાનો ડૉઝ આપી શકાય છે. તે પણ ડૉક્ટરની સલાહ બાદ જ.

Dolo-6501
businesstoday.in

 

એટલે, જો કોઈને 500 મિલિગ્રામ દવા લેવાની સલાહ આપવામાં આવી છે, તો તે 24માં વધુમાં વધુ 8 ગોળીઓ લઈ શકે છે. દરેક ગોળી વચ્ચે 4 કલાકનું અંતર રાખવું જરૂરી છે. જેથી જાણકારી મળી શકે કે સ્થિતિમાં સુધારો થયો છે કે નહીં. દવાને અસર કરવામાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. પેરાસિટામોલને પેરાસિટામોલવાળી બીજી દવાઓ સાથે બિલકુલ ન લો કેમ કે તેનાથી ઓવરડોઝનું જોખમ હોય છે.

Top News

કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
Sports 
કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
World 
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Business 
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે
Copyright (c) Khabarchhe All Rights Reserved.