દુબળા-પાતળા લોકોનું વજન આ કારણોથી વધતું નથી, વૈજ્ઞાનિકોએ શોધ્યું તેનું સિક્રેટ

જે લોકો દુબળા-પાતળા હોય છે તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ કંઈપણ ખાઈ શકે છે કારણકે તેઓ ચાલતા-ફરતા વધુ હોય છે તેથી તેમનું વજન વધતું નથી. પરંતુ હાલમાં જ થયેલા અભ્યાસે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે.

ઘણા સમયથી આ ઘારણા બનેલી હતી કે જે લોકો પાતળા હોય છે તેમની શારીરિક પ્રવૃત્તિ વધુ હોય છે અથવા તો તેઓ ચાલતા વધુ હોય છે. પરંતુ હાલમાં જ થયેલા એક રિસર્ચે આ વાતને ખેટી સાબિત કરી છે. રિસર્ચસે જાણ્યું કે દુબળા-પતળા લોકો બાકી લોકોની સરખામણીમાં વધુ કસરત કરતા નથી પરંતુ ઓછો ખોરાક લે છે. ઓછું ખાવાથી તેમનું વજન ઓછું રહે છે. આ રિસર્ચમાં 150 એકદમ પાતળા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિસર્ચથી વૈજ્ઞાનિકોએ પરિણામ કાઢ્યું અને આ વાતને તથ્ય સાથે સાબિત કરી.

રિસર્ચમાં આ જાણવા મળ્યું

એબરડીન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં 150 ઘણા પાતળા લોકોની ડાયટ અને શક્તિ ક્ષમતાને જોવામાં આવી અને તેની સરખામણી સામાન્ય 173 લોકો સાથે કરી બે અઠવાડિયામાં જાણ્યું કે પાતળા લોકોએ 23 ટકા ઓછી શારીરિક પ્રવૃત્તિ કરી અને બેસવામાં સમય પસાર કર્યો. આ ઉપરાંત તેમણે સામાન્ય માણસોથી 12 ટકા ઓછો ખોરાક લીધો પરંતુ જાણવા મળ્યું કે તેમનું રેસ્ટીંગ મેટાબોલિઝમ ઝડપી હતું જે તેમને સામાન્ય વ્યક્તિની સરખામણીમાં નિષ્ક્રિય હોવા છતા વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

એબરડીન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા રિસર્ચનું નેતૃત્વ કરનાર પ્રોફેસર જોન સ્પીકમૈને કહ્યું કે આ અભ્યાસનું પરિણામ ખરેખરમાં આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે જયારે પાતળા લોકો સાથે વાત કરી તેમને કહીએ છીએ કે તમે જે ઈચ્છો તે ખાઈ શકો છો પરંતુ અમારો અભ્યાસ દર્શાવે છે કે પાતળા લોકો વધુ શારીરિક પ્રવૃત્તિને કારણે નહીં પરંતુ ઓછું ખાવાથી હોય છે તેઓ જે ખાઈ છે તે સામાન્ય બોડી માંસ ઈન્ડેક્સ(BMI) શ્રેણીના લોકોની સરખામણીમાં ઘણું ઓછું છે.

પાતળા લોકો પોતાનો 96 ટકા સમય કોઈ પ્રવૃત્તિ કરતા નથી અથવા તો હલકી શારીરિક પ્રવૃત્તિ કરે છે પરંતુ તેઓ સામાન્ય માણસો જેમનું BMI 21.5 થી વધુ અને 25 થી ઓછું હતું. એટલે કે તેઓ ઓછી કેલરીનું સેવન કરે છે તેથી તેઓ પાતળા હોય છે.

શોધકર્તાઓની સલાહ છે કે રિસર્ચમાં ભાગ લીધેલ દુબળા-પાતળા લોકોને સામાન્ય વજનના લોકોની સરખામણીમાં આશરે 12 ટકા ઓછું ખાધું હશે. પરંતુ તેમણે બેઠા બેઠા કેલરી બર્ન કરી. જેનું કારણ સામાન્ય માણસોની સરખામણીમાં તેમનું મેટાબોલિઝમ ઝડપી હોવાનું છે.

રોજ કેટલા પ્રમાણમાં કેલરી લેવી જોઈએ

સામાન્ય વયની મહિલાઓએ દિવસમાં 2000 કેલરી અને પુરૂષોએ 2500 કેલરી લેવી જોઈએ. આ એનર્જીની માત્રા પર પણ નિર્ભર કરે છે જે શરીરના વિવિધ કાર્યને કરવા, પૂર્ણ દિવસ ચાલવા અને કામ કામ કરવા માટે જરૂરી છે. જે લોકો વધુ પ્રમાણમાં કસરત કરે છે તેમને વધુ કેલરી ખાવાની જરૂર હોય છે. જો તમે એક દિવસમાં જેટલી કેલરી બર્ન કરો છો તેનાથી વધુ કેલરી લો તો જાડા થઈ જશો. તમારા દ્વારા બર્ન કરેલી કેલરીથી ઓછું ખાવાથી તમારું વજન ઓછું થશે. જે ખાદ્ય પદાર્થોને પ્રોસેસ્ડ કરવામાં આવે છે અને જેમાં કાર્બોહાઈડ્રેટ, ખાંડ અને મીઠું વધુ હોય છે તેમાં તાજા ફળ અને શાકભાજીની સરખામણીમાં વધુ કેલરી હોય છે તેથી આવો ખોરાક ખાવાથી બચવું જોઈએ.

 

Top News

જેમને કોઇ ઓળખતું નથી એવા પૂર્વ ક્રિક્રેટર BCCIના પ્રમુખ કેમ બનવાના છે?

BCCIના નવા પ્રમુખનું નામ જાહેર થઇ ગયું હોવાનું મોટા ભાગના મીડિયામાં કહેવામાં આવ્યું છે. BCCIએ જ્મ્મુ-કાશ્મીરના મિથુન મન્હાસને...
Sports 
જેમને કોઇ ઓળખતું નથી એવા પૂર્વ ક્રિક્રેટર BCCIના પ્રમુખ કેમ બનવાના છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 23-09-2025 વાર- મંગળવાર મેષ - આજે કોર્ટ-કચેરીની બાબતમાં ખાસ ધ્યાન આપજો, આજે પૈસા ઉધાર આપવા કે લેવા નહીં,  આજે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીએ કહ્યું- આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે

હિંડનબર્ગના આરોપો પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના...
Business 
SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીએ કહ્યું- આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે

એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર

બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હાહાકાર મચી ગયો...
National 
એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર
Copyright (c) Khabarchhe All Rights Reserved.