ધો. 10ના વિદ્યાર્થીઓ સૌથી વધુ તમાકુ ખાય છે, સરવેમાં ચોંકાવનારો ખુલાસો

ધૂમ્રપાનથી થનારા નુકસાન પ્રત્યે લોકોને જાગ્રુત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તંબાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. WHOએ આ વખતે વર્લ્ડ નો ટોબેકો ડેની થિમ આપણે ખાવાની આવશ્યકતા છે, તંબાકુની નહીં, રાખી છે. આ થિમથી WHO ખેડૂતોને તંબાકુ ઉગાડવાને બદલે વધુમાં વધુ અનાજ ઉગાડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

તંબાકુ ઉત્પાદનોના સેવનને લઇને ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. હાલમાં જ વલ્લભભાઈ પટેલ ચેસ્ટ ઇન્સ્ટીટ્યૂટે એક સર્વે કર્યો છે. જેમા એ સામે આવ્યું છે કે, તંબાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં 10મું પાસ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ હતી. ઇન્સ્ટીટ્યૂટે બુધવારે જણાવ્યું કે, તેને આ વર્ષે 30 એપ્રિલ સુધી કુલ 7139473 આઈવીઆર કોલ પ્રાપ્ત થયા હતા, જેના આધાર પર આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.

સર્વેના રિપોર્ટ અનુસાર, બુધવારે ઇન્સ્ટીટ્યૂટે વર્લ્ડ નો ટોબેકો ડે મનાવ્યો અને આ આંકડા રજૂ કર્યા હતા. ઇન્સ્ટીટ્યૂટના જણાવ્યા અનુસાર, આ વર્ષે 30 એપ્રિલ સુધી આ કેન્દ્ર દ્વારા પ્રાપ્ત આઈવીઆર કોલની કુલ સંખ્યામાંથી 2043227 કોલ્સનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું, જેમા 996302 ઇનબાઉન્ડ કોલ, 2680657 આઉટબાઉન્ડ કોલ અને 391160 કોલ સેન્ટર દ્વારા રજિસ્ટર્ડ હતી. આંકડાઓ અનુસાર, કુલ 156644 લોકોએ સફળતાપૂર્વક તંબાકુનું સેવન છોડી દીધુ છે.

ઇન્સ્ટીટ્યૂટ અનુસાર, આંકડાઓ પરથી જાણકારી મળે છે કે, તેમાંથી મોટાભાગના કુલ 123508 કોલ્સ ઉત્તર પ્રદેશથી આવ્યા. ડેટા એવુ પણ દર્શાવે છે કે, તેમા પુરુષ 98 ટકા, ત્યારબાદ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની કુલ આબાદીના 5 ટકા છે, જ્યારે મહિલાઓમાં સૌથી ઓછી ટકાવારી સામેલ છે. તંબાકુના ઉપભોક્તાઓમાં સૌથી વધુ સંખ્યા 174097 વ્યક્તિઓની છે, જેમણે 10મું ધોરણ પાસ કર્યું છે. નેશનલ ટોબેકો સેસેશન સર્વિસ ને શરૂઆતમાં સિક કાઉન્સિલર સ્ટેશનો સાથે એક રૂમમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા અને તેનો વિસ્તાર 2020માં તત્કાલીન કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ કર્યો હતો.

આ ઉપરાંત, યુવાઓમાં ઇ-સિગરેટનું ચલણ વધવાના પણ પુરાવા મળ્યા છે. ઇ-સિગરેટનું ચલણ વધવા માટે ત્રણ કારણો મુખ્યરીતે જવાબદાર છે.

  • બીડી-સિગરેટ ધુમાડો છોડે છે જ્યારે, ઈ-સિગરેટથી વેપોર નીકળે છે, જેને કારણે કોઇને ખબર નથી પડતી.
  • ઈ-સિગરેટ સંતાડવી સરળ હોય છે કારણ કે, તેને પેન અને પેન ડ્રાઇવના શેપમાં બનાવવામાં આવે છે, આથી બાળકોના હાથમાં હોવા છતા કોઇને શંકા નથી થતી.
  • તેમા નિકોટિન હોય છે, આથી દુર્ગંધ પણ નથી આવતી.

About The Author

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.