મંડલા જિલ્લામાં અનોખુ કુંડ, ઠંડીમાં પણ ગરમ રહે છે પાણી અને આ રોગ દૂર કરે છે

મંડલા જિલ્લા મુખ્યાલયથી 22 કિલોમીટર દૂર મંડલા જબલપુર માર્ગ પર નર્મદા નદીના કિનારે પ્રકૃતિનો એક અનુપમ ઉપહાર જોવા મળે છે. ગામ બબેહાથી 2 કિલોમીટરની અંદર જંગલના રસ્તા પર ત્રણે તરફ નર્મદા અને બરગી ડેમના બેક વોટર્સથી ઘેરાયેલું એક કુંડ છે.

તેની ખાસિયત છે કે, ઠંડીની સીઝનમાં પણ આ કુંડનું પાણી ગરમ રહે છે. એ કારણે જ તેને ગરમ પાણીના કુંડના નામે ઓળખવામાં આવે છે. ઘણા જૂના આ કુંડ બરગીના બેક વોટરના કારણે વિલૂપ્ત થઇ ગયું હતું. બે વર્ષ પહેલા તેનો નવી રીતે જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ પહેલા પણ તેનું કાયાકલ્પ કરવામાં આવ્યું હતું.

લગભગ 250 ફૂટ ઉંડા આ કુંડને પાક્કું બનાવવામાં આવ્યું છે. આ સ્થાન એક સારા પિકનિક સ્પોટ તરીકે પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે. કહેવાઇ રહ્યું છે કે, આ કુંડના પાણીમાં સલ્ફર મળી આવે છે. જે કારણે આ કુંડમાં નહાવાથી ચર્મ રોગના દર્દીઓને ફાયદો થાય છે.

ક્ષેત્રીય નાગરિક રવિંદ્ર કછવાહાએ કહ્યું કે, અમે લોકો પડોસી ગામ સાગરથી છીએ. અમે લોકો બાળપણથી જ અહીં આવી રહ્યા છીએ. આ કુંડની વિશેષતા છે કે, તેનું પાણી ગરમ રહે છે. તેના પાણીમાં સલ્ફર હોવાના કારણે અહીં નહાવાથી ચર્મ રોગોથી મુક્તિ મળે છે. આ ઘણું જુનું કુંડ છે. પહેલા આ જગ્યા વધારે પડતી પાણીમાં ડૂબેલી રહેતી હતી. લગભગ 10 વર્ષ પહેલા એ ઉંચાઇ વધીને તેનું કાયાકલ્પ કરવામાં આવ્યું હતું.

પર્યટક મહજબીન ફાતિમાએ કહ્યું કે, પોતાના સાસરા વાળા સાથે અહીં આવ્યા છે. અહીંની ખાસ વાત એ છે કે, ત્રણે તરફથી પાણીની વચ્ચે આ ગરમ પાણીનો કુંડ છે. ઠંડીમાં ફરવા માટે આ જગ્યા ખુબ જ ફેમસ છે. ગરમ પાણીમાં નહાવાનો મોકો અને આસ પાસ ફરવાની પ્રાકૃતિક જગ્યા તેને ખૂબ જ ખાસ બનાવે છે.

આ કુંડ ખૂબ જૂના જમાનાનું છે, પણ હવે તે ખૂબ જ ફેમસ થઇ ગયું છે. હવે આ જગ્યા પર વધારે પડતા લોકો આવવા લાગ્યા છે. મહજબીને કહ્યું કે, બાળકો માટે અહીં સુરક્ષા વધારવામાં આવે અને પાર્ક વિકસિત કરવામાં આવે, જેથી બાળકો તેનો વધારે આનંદ લઇ શકે.

એક પ્રવાસી શેખ જાવેદે કહ્યું કે, લગભગ એક મહિના પહેલા આ જગ્યા વિશે ખબર પડી હતી. ત્યારથી જ ત્યાં આવવાનો પ્લાન કરી રહ્યા હતા. એ આશ્ચર્યજનક છે કે, ઠંડીમાં પણ આ કુંડનું પાણી આટલું ગરમ રહે છે. અમારા માટે આ એક અનોખી જગ્યા છે. પોતાના જીવનમાં પહેલી વખત આવી જગ્યા જોઇ છે. અહીં થોડી સાફ સફાઇની જરૂર છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.