કેટલાક લોકોને બાળકો ન હોય તો જ સારું, તમે ફક્ત ઓફિસ જઈને કામ જ કરો: નમિતા થાપર

આજકાલ પતિ-પત્ની બંને ઘર ચલાવવા અને સારી જીવનશૈલી જાળવવા માટે કામ કરે છે. પહેલા, બાળક થયા પછી, સ્ત્રીઓ ઘરે જ રહીને બાળકની સંભાળ રાખતી હતી, પરંતુ હવે આખું દૃશ્ય બદલાઈ ગયું છે. હવે સ્ત્રીઓ પણ તેમના પતિ સાથે કામ કરે છે અને તેમના પરિવાર માટે પૈસા કમાય છે.

જો આપણે ભારતમાં કામના કલાકો વિશે વાત કરીએ, તો તે ખૂબ ઊંચા છે. અહીં ઓફિસમાં દિવસમાં નવ કલાક કામ કરવું પડે છે, ત્યારપછી ઘરેથી ઓફિસ જવા માટે પણ સમય લાગે છે. આવી સ્થિતિમાં, દિવસના 11 થી 12 કલાક કામ કરવામાં અને પછી ઘરે આવીને ઘરના કામ કરવામાં વિતાવે છે. આવી સ્થિતિમાં, માતાપિતા થાકી જાય છે અને તેઓ તેમના બાળક માટે સમય કાઢી શકતા નથી. શાર્ક ટેન્કની જજ નમિતા થાપરે પણ કંઈક આવું જ કહ્યું છે.

Namita Thapar, Parents
mpbreakingnews.in

લિંક્ડઇન પર એક લાંબી પોસ્ટમાં, નમિતાએ લખ્યું છે કે, અઠવાડિયામાં 70 કલાક કામ કરવાનું બંધ કરો અને જો તમે આવું નથી ઇચ્છતા, તો તમારે માતાપિતા બનવાની કોઈ જરૂર નથી. નમિતા પોતે બે બાળકોની માતા છે અને તેમને 19 અને 14 વર્ષના બે પુત્રો છે. ભારતમાં માતાપિતાની કાર્ય પદ્ધતિ વિશે નમિતાએ શું કહ્યું છે તે જાણો.

Namita Thapar, Parents
navbharattimes.indiatimes.com

નમિતા કહે છે કે, બાળકોનું મન ખૂબ જ નાજુક હોય છે. તે પોતાના માતાપિતાને જ પોતાના આદર્શ માને છે. જ્યારે તેમને લાગે છે કે તેઓ તેમના માતાપિતાની અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યા નથી અને તેમનાથી શરમ અનુભવે છે, ત્યારે તેની બાળક પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે.

Namita Thapar
amarujala.com

જો આ સ્થિતિમાં તેના મિત્રો પણ બાળકને ધમકાવવાનું શરૂ કરે, તો તેના માટે તે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. બાળક પોતાની જાતને નફરત કરવા લાગે છે, તેનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય છે અને તેને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. બાળક મોટું થતાં આ બધી બાબતો સંભાળવા સક્ષમ રહેતું નથી.

નમિતાએ પોતાની પોસ્ટમાં પોતાના બાળપણ અને પોતાના માતા-પિતા વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, તેના માતાપિતાના ઇરાદા સારા હતા, પરંતુ તેમના કામને કારણે તેનો આત્મવિશ્વાસ ઘણા વર્ષો સુધી ઓછો રહ્યો અને તે ભાવનાત્મક રીતે નાજુક હતી. જોકે, તેણે પોતે હિંમત બતાવી અને મજબૂત રહી, પરંતુ દરેક જણ તે કરી શકતું નથી.

Namita Thapar, Parents
aajtak.in

આ સમસ્યાથી બચવાનો ઉપાય એ છે કે, તમારા બાળકને પોતાના નિર્ણયો લેવા દો, તેને શીખવાની તક આપો અને તેને પોતાનો રસ્તો જાતે નક્કી કરવા દો. તમારે ફક્ત તમારા બાળકને એટલું જ કહેવાનું છે કે, તમને તેના પર ગર્વ છે.

About The Author

Top News

RSS મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

દેશભરમાં 40 લાખથી વધારે સભ્યો અને 83 હજારથી વધારે શાખા ધરાવતું રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) હવે પોતાના માળખામાં...
National 
RSS  મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

ઓડીએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કરી દીધી છે. કંપનીએ બ્રાન્ડની પ્રીમિયમ કાર ઓડી SQ8 લોન્ચ કરી છે. આ...
Tech and Auto 
Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

ખોવાઇ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલનો UPમાં મોટો દાવ

દલિતો અને પછાત જાતિના મસીહા ગણાતા દિવગંત કાંશીરામની 15 માર્ચે જન્મ જયંતિ છે, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 માર્ચ,...
Politics 
ખોવાઇ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલનો UPમાં મોટો દાવ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 19-03-2026 વાર- ગુરુવાર મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.