'હિન્દુઓએ 4 બાળકોને જન્મ આપવો જોઈએ, મારા લગ્ન પછી હું પણ તેમ કરીશ...' ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું

RSSના વડા મોહન ભાગવતના નિવેદન પછી, બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેઓ તેમની સ્પષ્ટવક્તા શૈલી અને 'હિન્દુ રાષ્ટ્ર'ના ખ્યાલ માટે જાણીતા છે, તેમણે ઘટતી હિન્દુ વસ્તી પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ધાર્મિક ધર્માંતરણ અને ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પર સીધા અને તીક્ષ્ણ શબ્દોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ભાગવતે હિન્દુઓને 3 બાળકો પેદા કરવાની સલાહ આપી હતી, જ્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિન્દુઓને 4 બાળકો પેદા કરવાની સલાહ આપી છે.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હનુમાન કથા માટે પુષ્કરની ત્રણ દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેમણે ભારતીય મુસ્લિમોની ઘરવાપસી સહિત વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.

Dhirendra-Shastri
etvbharat.com

ઘટતી હિન્દુ વસ્તી અંગે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, 'આ એક ખૂબ જ વૈશ્વિક મુદ્દો છે, અને ખાસ કરીને ભારતમાં એક મુખ્ય મુદ્દો છે. ઘટતી હિન્દુ વસ્તી અને વધતી ધાર્મિક કટ્ટરતા દેશને વિનાશ તરફ દોરી રહી છે.'

શાસ્ત્રીએ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે ત્રણ મુખ્ય સલાહ આપી:- શિક્ષણ:- નિરક્ષરતા નાબૂદ કરવા માટે શિક્ષણની જરૂર છે. ભક્તિ:- અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે ભગવાન પ્રત્યે ભક્તિ જરૂરી છે. સહકાર:- આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે, શ્રીમંત હિન્દુઓએ ગરીબ હિન્દુઓને ટેકો આપવો જોઈએ.

Dhirendra-Shastri2
etvbharat.com

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આગળ કહ્યું, 'હિન્દુઓએ ઓછામાં ઓછા 4 બાળકોને જન્મ આપવો જોઈએ. મારા તો લગ્ન નથી થયા, તેથી લોકો મારા પર ટિપ્પણી તો કરશે જ કે, 'બાબા, તમારું શું યોગદાન છે?' જ્યારે મારા લગ્ન થઇ જશે, ત્યારે હું પણ હિન્દુ વસ્તી વધારવામાં ફાળો આપીશ.'

ભારતીય મુસ્લિમોના 'ઘર વાપસી'ના પ્રશ્ન અંગે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે, તેમના પૂર્વજો હિન્દુ હતા. તેમણે કહ્યું, 'અમર અકબર એન્થોની' નામની એક ફિલ્મ હતી, જેમાં ત્રણેયના પિતા કન્હૈયાલાલ નીકળ્યા હતા. જો તેમને આ વાત સમજમાં આવી જશે તો તેઓ ઘરે પાછા ફરશે.'

Dhirendra-Shastri1
amarujala.com

ધીરેન્દ્ર શાસ્ત્રીએ યુવાનોને, ખાસ કરીને દીકરીઓને સોશિયલ મીડિયાના વિક્ષેપોથી બચવાની સલાહ આપી. તેમણે કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ રીલ્સ બનાવવાને બદલે દીકરીઓએ IAS, IPS, દુર્ગા અને કાલી બનવું જોઈએ. તેમણે કહ્યું કે સનાતન પરંપરાઓનો ત્યાગ કરવો અને અન્ય સંસ્કૃતિઓનું આંધળું અનુકરણ કરવું ખોટું છે. એક વીડિયો સંદેશ દ્વારા તેમણે ગીતાના શ્લોક 'સ્વધર્મે નિધાનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ'નો ઉલ્લેખ કર્યો.

Dhirendra-Shastri
navbharattimes.indiatimes.com

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અજમેર શરીફ દરગાહની મુલાકાત લેતા હિન્દુઓને અપીલ કરી. તેમણે કહ્યું, 'દરેકના પોતાના વિચારો હોય છે, પરંતુ હું સનાતનીઓને વિનંતી કરવા માંગુ છું કે, ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે, પોતાના ધર્મનું પાલન કરવું અને તેમાં રહેવું યોગ્ય છે. અન્યને તેમના ધર્મોની સેવા કરવા દો. આપણે આપણી શ્રદ્ધા ભાવનાથી પૂજા કરવી જોઈએ અને મને એમ લાગે છે કે હિન્દુઓમાં દેવતાઓની કોઈ કમી નથી.'

About The Author

Related Posts

Top News

દેશમાં 40 ટકા સ્નાતકોને નોકરી મળતી નથી; અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટમાં થયો ખુલાસો!

દેશમાં 20થી 29 વર્ષની વયના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર છે, અને બહુ ઓછા સ્નાતકોને સ્નાતક થયાના...
National 
દેશમાં 40 ટકા સ્નાતકોને નોકરી મળતી નથી; અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટમાં થયો ખુલાસો!

દીકરા-વહુએ વૃદ્ધ પિતાને કોથળામાં પૂરી પાર્સલ કરી દીધા, કુરિયર ઓફિસમાં પેકેટ ખોલતા...

સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની ભૂખ અત્યારે લોકોના માથે કઈ હદે સવાર છે, તેનો એક અત્યંત ચોંકાવનારો...
National 
દીકરા-વહુએ વૃદ્ધ પિતાને કોથળામાં પૂરી પાર્સલ કરી દીધા, કુરિયર ઓફિસમાં પેકેટ ખોલતા...

RSS મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

દેશભરમાં 40 લાખથી વધારે સભ્યો અને 83 હજારથી વધારે શાખા ધરાવતું રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) હવે પોતાના માળખામાં...
National 
RSS  મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

ઓડીએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કરી દીધી છે. કંપનીએ બ્રાન્ડની પ્રીમિયમ કાર ઓડી SQ8 લોન્ચ કરી છે. આ...
Tech and Auto 
Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.