છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડાનું વધી રહ્યું છે પ્રમાણ, જાણો તેની પાછળના કારણો

કપલ્સમાં લડાઈ-ઝઘડા તો થતા જ રહે છે. કહેવાય છે કે, નારાજગી અને ઝઘડાના કારણે જ સંબંધમાં પ્રેમ જળવાઈ રહે છે. પરંતુ, ઘણીવાર આ ઝઘડો એટલો વધી જાય છે કે, લોકો લગ્નને સમાપ્ત કરવાનો નિર્ણય કરી લે છે. લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે, પરંતુ એકબીજા સાથે અણબનાવ, વૈચારિક મતભેદ અને અન્ય કારણોને પગલે આ સંબંધ થોડાં જ દિવસો બાદ તૂટી જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં છૂટાછેડાના મામલા ખૂબ જ ઝડપથી વધવા માંડ્યા છે. આખરે કયા કારણોને પગલે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. તેના કેટલાક સામાન્ય કારણો નીચે જણાવવામાં આવ્યા છે.

ભૂમિકાઓમાં થયો છે બદલાવ

પહેલા મહિલાઓને ઘર સંભાળવાની જવાબદારી આપવામાં આવતી હતી અને પુરુષ બહારના કામો જોતા હતા. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં આ ભૂમિકાઓ બદલાઈ છે. એવી ઘણી મહિલાઓ છે, જે ઓફિસ જાય છે અને તેમના પતિ ઘરના કામોમાં પણ મદદ કરે છે. છતા ભૂમિકાઓમાં આવેલા આ બદલાવ ઘણીવાર તણાવનું કારણ બની જાય છે.

ફાયનાન્સિયલ પ્રોબ્લેમ્સ

આવક અને પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ મોટાભાગે છૂટાછેડાના પ્રમુખ કારણોમાં જોવા મળે છે. પૈસાની તંગી સારામાં સારા સંબંધોને પણ બગાડી નાંખે છે. ખર્ચા કરવાની આદત, દેવુ અને બચતની પ્રાથમિકતાઓ પર અસહમતિથી પણ લગ્નમાં તણાવ અને પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર

લગ્ન બાદ પાર્ટનરના કોઈ અન્ય વ્યક્તિ સાથેના સંબંધ ઘણા સંબંધોને તોડી ચુક્યા છે. આજના જીવનમાં સોશિયલ મીડિયા અને ઓનલાઇન ડેટિંગ સાઇટ્સ સુધી પહોંચવું સરળ બની ગયુ છે, જેના કારણે લગ્નમાં ચીટિંગના મામલા વધતા જઈ રહ્યા છે. આ પ્રકારના સંબંધ એક પતિ અને પત્નીની વચ્ચેના વિશ્વાસને તોડી નાંખે છે, જેના કારણે સંબંધો અંત તરફ જવા માંડે છે.

કપલ્સની વચ્ચે કમ્યુનિકેશન ગેપ

વાતચીત કરવી કોઈપણ સંબંધનો મજબૂત પાયો માનવામાં આવે છે. જ્યારે કપલ્સની વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન ના થતું હોય, તો તેમની વચ્ચે ગેરસમજ અને ઝઘડા થવાના શરૂ થઈ જાય છે અને આ રીતે બંને વચ્ચે અંતર વધવા માંડે છે.

એકબીજાને બદલવાનો પ્રયત્ન

પાર્ટનર જેવો છે એવો સ્વીકાર કરવામાં ઘણા લોકો ખચકાટ અનુભવે છે. તેઓ પોતાના પાર્ટનરની બીજા લોકો સાથે સરખામણી કરવા માંડે છે. તેઓ પોતાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ માટે કંટ્રોલ કરવા અથવા તો પછી ચાલાકીથી કામ કરાવવાનો પ્રયત્ન કરે છે. જેને કારણે સંબંધોમાં નિરાશા અને આત્મ-સંદેહ પેદા થાય છે.

અવાસ્તવિક આશાઓ

ફિલ્મો અને સોશિયલ મીડિયાના કારણે સામાન્યરીતે લોકોના મગજમાં લગ્નને લઇને એક અવાસ્તવિક તસવીર બનેલી હોય છે. તેઓ તેની સાથે જ લગ્નના સંબંધની શરૂઆત કરે છે અને પોતાના પાર્ટનર પાસેથી અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન રાખે છે. ત્યારબાદ તેમના હાથમાં માત્ર નિરાશા જ લાગે છે. આજે મોટાભાગના લોકો ન્યૂક્લિયર ફેમિલીમાં રહે છે, જેના કારણે એક જ વ્યક્તિ પાસે ઘણી બધી આશાઓ થઈ જાય છે, જેને પગલે તેના પર ખૂબ જ પ્રેશર બનવા માંડે છે.

માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી મુશ્કેલીઓ

ડિપ્રેશન, એંગ્ઝાયટી, ડ્રગ્સનો ઉપયોગ અને આ પ્રકારની  બીજી માનસિક સ્થિતિઓ એક કપલના સંબંધ પર ભારે અસર કરે છે. જે તણાવ, મુશ્કેલી અને સંઘર્ષનું કારણ બને છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.