15 ઓગસ્ટથી 30 લાખ લોકોને મળશે નોકરી, INDIAનું તોફાન આવી રહ્યું છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવની તરફેણમાં ચૂંટણી પ્રચાર મેદાનમાં ઉતર્યા. તેમણે ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધન INDIAની સૌથી મોટી જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે UPમાં INDIAનું તોફાન આવી રહ્યું છે. રોજગારના મુદ્દે PM નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, અમે બેરોજગારોના હિતમાં સૌથી મોટું કામ કરવાના છીએ. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 15 ઓગસ્ટ સુધીમાં 30 લાખ લોકોને નોકરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અદાણી-અંબાણી વિવાદ પર પ્રહાર કરતા તેમણે PM નરેન્દ્ર મોદીને ઘેર્યા. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદી ડરી ગયા છે. આ ડરના કારણે તેઓ તેમના મિત્રોને કહી રહ્યા છે કે, અદાણી-અંબાણી, મને બચાવો. INDIAના જોડાણે મને ઘેરી લીધો છે. હું હારી રહ્યો છું. કન્નૌજ બેઠક પર આયોજિત રેલીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સ્ટેજ શેર કર્યું હતું. જ્યારે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ તેમાં હાજર હતા.

UPમાં વિપક્ષની જીતનો દાવો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજ્યમાં વિપક્ષ ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે. BJP INDIAના વાવાઝોડામાં ઉડી જશે. ભારતીય જનતા પાર્ટી UPમાં તેની સૌથી મોટી હારનો સામનો કરવા જઈ રહી છે. રાહુલે કહ્યું, લેખિતમાં લઇ લો, BJPની દેશની સૌથી મોટી હાર UPમાં થવાની છે.

PM નરેન્દ્ર મોદીએ અગાઉ અદાણી-અંબાણીનું નામ ન લેવા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કનૌજની બેઠકમાં રાહુલ ગાંધીએ આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં PM મોદીએ અદાણી-અંબાણીનું નામ નથી લીધું. 10 વર્ષમાં હજારો ભાષણો આપ્યા. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ ડરી જાય છે, ત્યારે તે એવા લોકોના નામ લે છે, જેના વિશે તેઓ વિચારે છે, કે તે તેને બચાવી લેશે. એટલા માટે PM નરેન્દ્ર મોદીજીએ પોતાના બે મિત્રોના નામ લીધા. તેઓ કહી રહ્યા છે કે, INDIA જોડાણે મને ઘેરી લીધો છે. મને આમાંથી બચાવો. હું હારી રહ્યો છું. અદાણી-અંબાણીજી મને બચાવો. તે જાણે છે કે અદાણીજી પૈસા કેવી રીતે અને કયા ટેમ્પોમાં મોકલે છે.

રાહુલ ગાંધીએ કન્નૌજના મંચ પરથી દાવો કર્યો કે, આ વખતે PM નરેન્દ્ર મોદી PM નહીં બને. રાહુલે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં અમે અખિલેશ યાદવ સાથે મળીને કામ કરી રહ્યા હતા. અમે સુનિશ્ચિત કર્યું છે કે, BJP ફરીથી સત્તામાં ન આવે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવામાં 10-15 દિવસ બાકી છે. આ પછી પરિણામો પરથી સ્પષ્ટ થશે. તેમણે કહ્યું, લેખિતમાં લઈ લો, અમે જે કહી રહ્યા છીએ તે સાચું થશે. છેલ્લા બે વર્ષમાં આપણે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી છે. અમે ન્યાય યાત્રા દ્વારા દેશને જાગૃત કર્યો છે. અમે અમારું કામ કરી દીધું છે. આ અમારી ગેરંટી છે કે PM નરેન્દ્ર મોદી ભારતના PM નહીં બને.

About The Author

Related Posts

Top News

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.