‘સાવરકર અને ગોડશે સંબંધી હતા’, રાહુલ ગાંધીના દાવા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ, કોણે કરી ફરિયાદ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હિન્દુત્વના વિચારક વિનાયક સાવરકર મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના સંબંધી હતા. રાહુલે પુણે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ દાવો કર્યો છે. રાહુલના આ સોગંદનામા બાદ, સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાહુલે સાત્યકી પર જાણીજોઇને પોતાના માતૃવંશ છુપાવવાનો આરોપ લગાવ્યો છે, જે તેમને ગોડસે સાથે જોડે છે. રાહુલે પોતાના સોગંદનામામાં ફરિયાદકર્તા દ્વારા પોતાના માતૃપક્ષનું વિવરણ છુપાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે ફરિયાદકર્તાની માતા હિમાની અશોક સાવરકર નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ વિનાયક ગોડસેના પુત્રી છે.

Savarkar
ndtv.com

 

રાહુલ ગાંધીએ સોગંદનામામાં શું કહ્યું?

સોગંદનામામાં કહેવામા આવ્યું છે કે, હિમાની સાવરકર એક હિન્દુત્વવાદી કાર્યકર્તા હતી. તેમના લગ્ન વિનાયક સાવરકરના ભત્રીજા અશોક સાવરકર સાથે થયા હતા. વિનાયક સાવરકર મહાત્મા ગાંધી હત્યાકાંડમાં સહ-આરોપી હતા, પરંતુ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સોગંદનામામાં જણાવાયું છે કે ગોપાલ ગોડસેને મહાત્મા ગાંધીની હત્યામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ફરિયાદકર્તાએ પોતાના માતૃપક્ષના વંશાવલી છુપાવી છે. કાયદામાં સ્થાપિત સ્થિતિ અને સિદ્ધાંત છે કે જો કોઈ પક્ષ સાથે કોર્ટમાં સ્પષ્ટ તથ્યો સાથે ન આવે, તો તેને સુનાવણી કે કોઈપણ પ્રકારની રાહત મેળવવાનો અધિકાર નથી. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોર્ટથી તથ્યોને દબાવવા અથવા છુપાવવા એ એક ગંભીર મુદ્દો છે, જેને કોર્ટ સાથે છેતરપિંડી માનવામાં આવે છે. તેનાથી કેસ ફગાવી શકાય છે અથવા રાહત આપવાનો ઇનકાર કરી શકાય છે.

સોગંદનામા અનુસાર, ફરિયાદકર્તાએ જાણી જોઈને તથ્યો દબાવવાનું કામ કર્યું છે. સાત્યકી સાવરકરે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે માત્ર પોતાના પૈતૃક પક્ષની વંશાવલી ઉપલબ્ધ કરાવી છે, માતૃપક્ષની નહીં. સાવરકર પરિવાર અને ગોડસે પરિવારનો પરસ્પર લોહીના સંબંધ છે. તમને જણાવી દઈએ કે વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે માર્ચ 2023માં લંડનમાં આપેલા રાહુલના નિવેદન સામે ફરિયાદ નોંધાવી હતી.  તેમણે રાહુલ પર સાવરકરને લઈને ખોટા તથ્યોનો સંદર્ભ આપવાનો આરોપ લગાવ્યો છે.

rahul1
indiatoday.in

 

રાહુલે કહ્યું હતું કે સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના કેટલાક મિત્રોએ મુસ્લિમ વ્યક્તિને માર મારવાથી ખુશ થવાનો દાવો કર્યો હતો. સાત્યકીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી અને સાવરકરે આવું કંઈ લખ્યું નથી. ફરિયાદમાં રાહુલના આરોપને કાલ્પનિક, ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવવામાં આવ્યા છે. રાહુલે આ જ કેસમાં ચાલી રહેલા માનહાનિના દાવામાં આ સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં તેમણે સાવરકર અને ગોડસે સંબંધી હોવાનો દાવો કર્યો છે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.