‘સાવરકર અને ગોડશે સંબંધી હતા’, રાહુલ ગાંધીના દાવા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ, કોણે કરી ફરિયાદ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હિન્દુત્વના વિચારક વિનાયક સાવરકર મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના સંબંધી હતા. રાહુલે પુણે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ દાવો કર્યો છે. રાહુલના આ સોગંદનામા બાદ, સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાહુલે સાત્યકી પર જાણીજોઇને પોતાના માતૃવંશ છુપાવવાનો આરોપ લગાવ્યો છે, જે તેમને ગોડસે સાથે જોડે છે. રાહુલે પોતાના સોગંદનામામાં ફરિયાદકર્તા દ્વારા પોતાના માતૃપક્ષનું વિવરણ છુપાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે ફરિયાદકર્તાની માતા હિમાની અશોક સાવરકર નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ વિનાયક ગોડસેના પુત્રી છે.

Savarkar
ndtv.com

 

રાહુલ ગાંધીએ સોગંદનામામાં શું કહ્યું?

સોગંદનામામાં કહેવામા આવ્યું છે કે, હિમાની સાવરકર એક હિન્દુત્વવાદી કાર્યકર્તા હતી. તેમના લગ્ન વિનાયક સાવરકરના ભત્રીજા અશોક સાવરકર સાથે થયા હતા. વિનાયક સાવરકર મહાત્મા ગાંધી હત્યાકાંડમાં સહ-આરોપી હતા, પરંતુ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સોગંદનામામાં જણાવાયું છે કે ગોપાલ ગોડસેને મહાત્મા ગાંધીની હત્યામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ફરિયાદકર્તાએ પોતાના માતૃપક્ષના વંશાવલી છુપાવી છે. કાયદામાં સ્થાપિત સ્થિતિ અને સિદ્ધાંત છે કે જો કોઈ પક્ષ સાથે કોર્ટમાં સ્પષ્ટ તથ્યો સાથે ન આવે, તો તેને સુનાવણી કે કોઈપણ પ્રકારની રાહત મેળવવાનો અધિકાર નથી. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોર્ટથી તથ્યોને દબાવવા અથવા છુપાવવા એ એક ગંભીર મુદ્દો છે, જેને કોર્ટ સાથે છેતરપિંડી માનવામાં આવે છે. તેનાથી કેસ ફગાવી શકાય છે અથવા રાહત આપવાનો ઇનકાર કરી શકાય છે.

સોગંદનામા અનુસાર, ફરિયાદકર્તાએ જાણી જોઈને તથ્યો દબાવવાનું કામ કર્યું છે. સાત્યકી સાવરકરે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે માત્ર પોતાના પૈતૃક પક્ષની વંશાવલી ઉપલબ્ધ કરાવી છે, માતૃપક્ષની નહીં. સાવરકર પરિવાર અને ગોડસે પરિવારનો પરસ્પર લોહીના સંબંધ છે. તમને જણાવી દઈએ કે વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે માર્ચ 2023માં લંડનમાં આપેલા રાહુલના નિવેદન સામે ફરિયાદ નોંધાવી હતી.  તેમણે રાહુલ પર સાવરકરને લઈને ખોટા તથ્યોનો સંદર્ભ આપવાનો આરોપ લગાવ્યો છે.

rahul1
indiatoday.in

 

રાહુલે કહ્યું હતું કે સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના કેટલાક મિત્રોએ મુસ્લિમ વ્યક્તિને માર મારવાથી ખુશ થવાનો દાવો કર્યો હતો. સાત્યકીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી અને સાવરકરે આવું કંઈ લખ્યું નથી. ફરિયાદમાં રાહુલના આરોપને કાલ્પનિક, ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવવામાં આવ્યા છે. રાહુલે આ જ કેસમાં ચાલી રહેલા માનહાનિના દાવામાં આ સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં તેમણે સાવરકર અને ગોડસે સંબંધી હોવાનો દાવો કર્યો છે.

About The Author

Related Posts

Top News

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

AM/NS Indiaની નવી ઓટોમોટિવ સ્ટીલ લાઇન, સુરતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત કરશે

હજીરા - સુરત, એપ્રિલ 30, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ...
Gujarat 
AM/NS Indiaની નવી ઓટોમોટિવ સ્ટીલ લાઇન, સુરતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત કરશે

1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઇથેનોલને જે રીતે 'ક્રાંતિ' ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં ઉર્જા સુરક્ષાના નામે...
National 
1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.