‘સાવરકર અને ગોડશે સંબંધી હતા’, રાહુલ ગાંધીના દાવા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ, કોણે કરી ફરિયાદ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હિન્દુત્વના વિચારક વિનાયક સાવરકર મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના સંબંધી હતા. રાહુલે પુણે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ દાવો કર્યો છે. રાહુલના આ સોગંદનામા બાદ, સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાહુલે સાત્યકી પર જાણીજોઇને પોતાના માતૃવંશ છુપાવવાનો આરોપ લગાવ્યો છે, જે તેમને ગોડસે સાથે જોડે છે. રાહુલે પોતાના સોગંદનામામાં ફરિયાદકર્તા દ્વારા પોતાના માતૃપક્ષનું વિવરણ છુપાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે ફરિયાદકર્તાની માતા હિમાની અશોક સાવરકર નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ વિનાયક ગોડસેના પુત્રી છે.

Savarkar
ndtv.com

 

રાહુલ ગાંધીએ સોગંદનામામાં શું કહ્યું?

સોગંદનામામાં કહેવામા આવ્યું છે કે, હિમાની સાવરકર એક હિન્દુત્વવાદી કાર્યકર્તા હતી. તેમના લગ્ન વિનાયક સાવરકરના ભત્રીજા અશોક સાવરકર સાથે થયા હતા. વિનાયક સાવરકર મહાત્મા ગાંધી હત્યાકાંડમાં સહ-આરોપી હતા, પરંતુ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સોગંદનામામાં જણાવાયું છે કે ગોપાલ ગોડસેને મહાત્મા ગાંધીની હત્યામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ફરિયાદકર્તાએ પોતાના માતૃપક્ષના વંશાવલી છુપાવી છે. કાયદામાં સ્થાપિત સ્થિતિ અને સિદ્ધાંત છે કે જો કોઈ પક્ષ સાથે કોર્ટમાં સ્પષ્ટ તથ્યો સાથે ન આવે, તો તેને સુનાવણી કે કોઈપણ પ્રકારની રાહત મેળવવાનો અધિકાર નથી. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોર્ટથી તથ્યોને દબાવવા અથવા છુપાવવા એ એક ગંભીર મુદ્દો છે, જેને કોર્ટ સાથે છેતરપિંડી માનવામાં આવે છે. તેનાથી કેસ ફગાવી શકાય છે અથવા રાહત આપવાનો ઇનકાર કરી શકાય છે.

સોગંદનામા અનુસાર, ફરિયાદકર્તાએ જાણી જોઈને તથ્યો દબાવવાનું કામ કર્યું છે. સાત્યકી સાવરકરે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે માત્ર પોતાના પૈતૃક પક્ષની વંશાવલી ઉપલબ્ધ કરાવી છે, માતૃપક્ષની નહીં. સાવરકર પરિવાર અને ગોડસે પરિવારનો પરસ્પર લોહીના સંબંધ છે. તમને જણાવી દઈએ કે વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે માર્ચ 2023માં લંડનમાં આપેલા રાહુલના નિવેદન સામે ફરિયાદ નોંધાવી હતી.  તેમણે રાહુલ પર સાવરકરને લઈને ખોટા તથ્યોનો સંદર્ભ આપવાનો આરોપ લગાવ્યો છે.

rahul1
indiatoday.in

 

રાહુલે કહ્યું હતું કે સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના કેટલાક મિત્રોએ મુસ્લિમ વ્યક્તિને માર મારવાથી ખુશ થવાનો દાવો કર્યો હતો. સાત્યકીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી અને સાવરકરે આવું કંઈ લખ્યું નથી. ફરિયાદમાં રાહુલના આરોપને કાલ્પનિક, ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવવામાં આવ્યા છે. રાહુલે આ જ કેસમાં ચાલી રહેલા માનહાનિના દાવામાં આ સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં તેમણે સાવરકર અને ગોડસે સંબંધી હોવાનો દાવો કર્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.