‘સાવરકર અને ગોડશે સંબંધી હતા’, રાહુલ ગાંધીના દાવા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ, કોણે કરી ફરિયાદ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હિન્દુત્વના વિચારક વિનાયક સાવરકર મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના સંબંધી હતા. રાહુલે પુણે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ દાવો કર્યો છે. રાહુલના આ સોગંદનામા બાદ, સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાહુલે સાત્યકી પર જાણીજોઇને પોતાના માતૃવંશ છુપાવવાનો આરોપ લગાવ્યો છે, જે તેમને ગોડસે સાથે જોડે છે. રાહુલે પોતાના સોગંદનામામાં ફરિયાદકર્તા દ્વારા પોતાના માતૃપક્ષનું વિવરણ છુપાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે ફરિયાદકર્તાની માતા હિમાની અશોક સાવરકર નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ વિનાયક ગોડસેના પુત્રી છે.

Savarkar
ndtv.com

 

રાહુલ ગાંધીએ સોગંદનામામાં શું કહ્યું?

સોગંદનામામાં કહેવામા આવ્યું છે કે, હિમાની સાવરકર એક હિન્દુત્વવાદી કાર્યકર્તા હતી. તેમના લગ્ન વિનાયક સાવરકરના ભત્રીજા અશોક સાવરકર સાથે થયા હતા. વિનાયક સાવરકર મહાત્મા ગાંધી હત્યાકાંડમાં સહ-આરોપી હતા, પરંતુ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સોગંદનામામાં જણાવાયું છે કે ગોપાલ ગોડસેને મહાત્મા ગાંધીની હત્યામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ફરિયાદકર્તાએ પોતાના માતૃપક્ષના વંશાવલી છુપાવી છે. કાયદામાં સ્થાપિત સ્થિતિ અને સિદ્ધાંત છે કે જો કોઈ પક્ષ સાથે કોર્ટમાં સ્પષ્ટ તથ્યો સાથે ન આવે, તો તેને સુનાવણી કે કોઈપણ પ્રકારની રાહત મેળવવાનો અધિકાર નથી. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોર્ટથી તથ્યોને દબાવવા અથવા છુપાવવા એ એક ગંભીર મુદ્દો છે, જેને કોર્ટ સાથે છેતરપિંડી માનવામાં આવે છે. તેનાથી કેસ ફગાવી શકાય છે અથવા રાહત આપવાનો ઇનકાર કરી શકાય છે.

સોગંદનામા અનુસાર, ફરિયાદકર્તાએ જાણી જોઈને તથ્યો દબાવવાનું કામ કર્યું છે. સાત્યકી સાવરકરે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે માત્ર પોતાના પૈતૃક પક્ષની વંશાવલી ઉપલબ્ધ કરાવી છે, માતૃપક્ષની નહીં. સાવરકર પરિવાર અને ગોડસે પરિવારનો પરસ્પર લોહીના સંબંધ છે. તમને જણાવી દઈએ કે વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે માર્ચ 2023માં લંડનમાં આપેલા રાહુલના નિવેદન સામે ફરિયાદ નોંધાવી હતી.  તેમણે રાહુલ પર સાવરકરને લઈને ખોટા તથ્યોનો સંદર્ભ આપવાનો આરોપ લગાવ્યો છે.

rahul1
indiatoday.in

 

રાહુલે કહ્યું હતું કે સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના કેટલાક મિત્રોએ મુસ્લિમ વ્યક્તિને માર મારવાથી ખુશ થવાનો દાવો કર્યો હતો. સાત્યકીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી અને સાવરકરે આવું કંઈ લખ્યું નથી. ફરિયાદમાં રાહુલના આરોપને કાલ્પનિક, ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવવામાં આવ્યા છે. રાહુલે આ જ કેસમાં ચાલી રહેલા માનહાનિના દાવામાં આ સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં તેમણે સાવરકર અને ગોડસે સંબંધી હોવાનો દાવો કર્યો છે.

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના ...
National 
સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.