અબજોપતિ રોકાણકાર બૈરી સ્ટર્નલીકચ મેયર મમદાની પર ગુસ્સે થતા કહ્યું કે, '...તો મુંબઈ જેવું બની જશે ન્યૂ યોર્ક...'

અબજપતિ રોકાણકાર બૈરી સ્ટર્નલીકચએ ચેતવણી આપી છે કે, જો મેયર ઝોહરાન મમદાનીની નીતિઓ ચાલુ રહેશે, તો ન્યુ યોર્ક શહેર 'મુંબઈ' જેવું બની જશે. એટલું જ નહીં, તેમણે મેયર મમદાની પર વ્યવસાય વિરોધી નીતિઓ અપનાવવાનો આરોપ પણ મૂક્યો છે. તેમનું કહેવું છે કે, ઝોહરાન મમદાનીની વ્યવસાય વિરોધી નીતિઓ રોકાણકારો અને જનતા વચ્ચેનું અંતર વધારી શકે છે.

એક TV ચેનલ સાથેની મુલાકાતમાં, સ્ટારવુડ કેપિટલ ગ્રુપના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં બાંધકામ ખર્ચ ખૂબ જ વધી ગયો છે, અને યુનિયન વર્ચસ્વ અને ડાબેરીની હાઉસિંગ નીતિઓ વિકાસને લગભગ અશક્ય બનાવી રહી છે. ન્યૂ યોર્કમાં 10 કરોડ ડૉલરથી વધુના દરેક પ્રોજેક્ટનું યુનિયનાઇઝેશન થવું જોઈએ. આ ખુબ મોંઘુ છે અને તે ખર્ચમાં ઘણો એવો વધારો કરે છે.

Zohran Mamdani
hindi.news18.com

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એક મુખ્ય કારણ છે કે અમેરિકાના 'બ્લુ સ્ટેટ્સ' (જેમ કે ન્યુ યોર્ક, કેલિફોર્નિયા, વગેરે, જ્યાં ડેમોક્રેટિક પાર્ટીની સરકારો સામાન્ય રીતે કાર્યરત હોય છે)માં રહેવું ખૂબ ખર્ચાળ છે. ત્યાં નવા ઘરો અથવા એપાર્ટમેન્ટ બનાવવા ખૂબ મુશ્કેલ છે. પછી, જ્યારે કેટલાક ડાબેરીઓ કહેવા લાગે છે કે ભાડૂઆતોએ ભાડું ચૂકવવું જ ન જોઈએ, ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. આવી સ્થિતિમાં, ન્યૂ યોર્ક જેવું મોટું અને શ્રીમંત શહેર પણ મુંબઈ જેવા ઝૂંપડપટ્ટીવાળા શહેરમાં ફેરવાઈ શકે છે.

તેમણે સમજાવ્યું કે, તેમની કંપની હવે શહેરમાં 'સફળતા થી નફરત' અને વિકાસકર્તાઓ પ્રત્યે દુશ્મનાવટના વધતા વાતાવરણને કારણે તેની ઓફિસ ન્યૂ યોર્કની બહાર ખસેડવાનું વિચારી રહી છે. તેમણે મામદાનીની ભાડા-સ્થિરીકરણ નીતિ પર પ્રશ્ન ઉઠાવ્યો, અને કહ્યું કે વાસ્તવિક સમસ્યા ભાડા નિયંત્રણ નહીં, પરંતુ રહેઠાણ પુરવઠાનો અભાવ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, મામદાની મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન જ નથી આપતા.

Barry Sternlicht
ndtv.com

તેમણે કહ્યું કે રહેવા માટે મકાનો વધારવાની જરૂર છે. આ સરળતાથી નહીં થાય. જો સરકાર ઇચ્છે છે કે આપણે યુનિયનો સાથે કામ કરીએ, તો તમારે ગંભીર સરકારી સબસિડીની જરૂર પડશે. બૈરી સ્ટર્નલીકચએ જાહેર સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે ચેતવણી આપી હતી કે, પોલીસિંગ પર મમદાનીના પ્રગતિશીલ વલણથી પરિવારો શહેર છોડીને જઈ શકે છે.

Zohran Mamdani
nypost.com

પરંતુ બૈરી સ્ટર્નલીકચ માને છે કે, ન્યૂ યોર્ક આખરે સુધરશે. જો કે, નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેમણે મામદાની પર સફળ લોકો પર સજા આપવાનો અને સમાજવાદ થોપવાનો આરોપ પણ મૂક્યો હતો.

About The Author

Related Posts

Top News

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.