‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જાતિગત સર્વેક્ષણને લઈને ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. મુદ્દો પોતાના નેતા રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે સીધો સંદેશ આપ્યો કે, જાતિગત વસ્તી ગણતરી કરો, પરંતુ તે સારી રીતે કરો. રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઈએ. આ વાત તેમણે કર્ણાટકના હોસપેટમાં કોંગ્રેસ સરકારના 2 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં કહી. સામે રાહુલ ગાંધી ઉપસ્થિત હતા. સાથે જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને ઘણા મંત્રીઓ પણ હતા. ખડગેએ કહ્યું કે, હું સિદ્ધારમૈયા અને તેમના મંત્રીમંડળના તમામ મંત્રીઓને કહેવા માગુ છું કે જાતિગત વસ્તી ગણતરી કરાવો, પરંતુ તેને સારી રીતે કરો. તેનાથી રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઈએ. જો તમે કામનો શ્રેય ઈચ્છો છો, પરંતુ તેનાથી સમસ્યાઓ પેદા થાય છે, તો તેની અસર આખા રાજ્ય પર પડશે.

kharge1
x.com/kharge

ખડગેનું નિવેદન એક તરફ કોંગ્રેસ સરકારને ચેતવણી છે અને બીજી તરફ, તે રાહુલ ગાંધીની છબી બચાવવાનો પ્રયાસ પણ. જાતિગત સર્વેનો મુદ્દો હવે માત્ર રાજ્યની રાજનીતિ સુધી સીમિત નથી રહ્યો. આ એક રાષ્ટ્રીય બહેસ બની ચૂક્યો છે અને કોંગ્રેસ નેતૃત્વ નથી ઇચ્છતું કે કર્ણાટકમાં કોઈ ભૂલ પાર્ટીને દેશભરમાં મુશ્કેલીમાં નાખી દે. ખડગેએ સ્પષ્ટ કહ્યું કે, જો તમે કામનો શ્રેય લેવા માગો છો, પરંતુ તેનાથી સમસ્યાઓ ઉભી થાય છે, તો તેની અસર આખા રાજ્ય પર પડશે. આ સર્વે એવી રીતે કરો કે કાલે કોઈ સવાલ ન ઊભો કરી શકે. રાહુલ ગાંધીનું નામ બિનજરૂરી રીતે વિવાદમાં ન આવવું જોઈએ.

આ નિવેદન ત્યારે  આવ્યું છે, જ્યારે કર્ણાટક સરકાર અત્યાર સુધી આ સર્વેનો રિપોર્ટને સાર્વજનિક કરી શકી નથી. આ સર્વેને જાતિગત વસ્તી ગણતરી કહેવામાં આવી રહ્યો છે અને ઘણા સમુદાયો તેને અવૈજ્ઞાનિક ગણાવીને વિરોધ કરી ચૂક્યા છે. રાજ્યના બે મુખ્ય સમુદાય- વોક્કાલિગા અને વીરશૈવ-લિંગાયત, આ સર્વે વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે સર્વેની પ્રક્રિયા ખોટી છે અને તેને રદ કરીને તેને ફરીથી કરાવવી જોઈએ. માત્ર બહારથી જ નહીં, કોંગ્રેસની અંદરથી પણ વિરોધના સૂર ઉઠ્યા છે.

kharge2
indianexpress.com

ખડગેએ બીજો એક વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવ્યો. બેડા જંગમા સમુદાયને અનુસૂચિત જાતિ (SC) લિસ્ટમાં સામેલ કરવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે, હૈદરાબાદ-કર્ણાટક ક્ષેત્રમાં આ સમુદાયના માત્ર 500 લોકો હતા, હવે વસ્તી 4-5 લાખ કેવી રીતે થઈ ગઈ? આ અન્યાય છે. તેનાથી અસલી દલિત સમુદાયોને નુકસાન થશે. શું આપણે અનુસૂચિત જાતિઓની મદદ કરી રહ્યા છીએ કે તેમના અધિકારો છીનવી રહ્યા છીએ? તેમણે સરકાર પાસેથી નકલી જાતિ પ્રમાણપત્રો રજૂ કરનારાઓ સામે કડક કાર્યવાહીની પણ માગ કરી. ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના દબાણ બાદ જ કેન્દ્રની મોદી સરકારે હવે દેશવ્યાપી જાતિગત વસ્તી ગણતરી માટે સહમતિ વ્યક્ત કરી છે.

Related Posts

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.