ઈન્દોરમાં કોને મળશે લોકસભાની ટિકિટ? કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું ઉડતા ઉડતા...

On

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિયજયવર્ગીય પોતાના નીડર અંદાજ અને નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહે છે. ભાજપના કદાવર નેતાઓમાંથી એક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઈન્દોર લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આગામી ઉમેદવારને લઈને લગાવવામાં આવેલી અટકળો પરથી ઘણી હદ સુધી પરદો ઉઠાવી દીધો. ભલે મજાકીયા અંદાજમાં જ, પરંતુ કૈલાશ વિજયવર્ગીયએ ઇશારાઓ ઇશારામાં કહી દીધું કે આ વખત કોઈ મહિલા નેતાને જ ઇન્દોરના સાંસદ બનાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, કૈલાશ વિજયવર્ગીય મોહન યાદવ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને ઈન્દોર-1 વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર છે. ઈન્દોર લોકસભા સીટ આ અગાઉ સુમિત્રા મહાજન પાસે હતી અને તેઓ મહિલા સાંસદ તરીકે દિલ્હી પહોંચ્યા હતા. સુમિત્રા મહાજને વર્ષ 1989માં ઇન્દોરથી પહેલી વખત ભાજપની ટિકિટ પર જીત હાંસલ કરી હતી અને તેઓ વર્ષ 2019 સુધી અહીથી સાંસદ રહ્યા. આ દરમિયાન તેઓ લોકસભાના સ્પીકર પણ રહ્યા. લોકસભાની ચૂંટણીની તૈયારી રાજકીય પાર્ટીઓએ તેજ કરી દીધી છે.

ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે. ભાજપે મધ્ય પ્રદેશની 24 લોકસભા સીટો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે અને 5 સીટો પર નામ ફાઇનલ થયા નથી. તેમાં માળવાની ઈન્દોર સીટ પણ સામેલ છે. એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હવે ઈન્દોરમાં ભાજપ કોઈ મહિલા નેતાને લોકસભાની ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મજાક મજાકમાં મહિલા ઉમેદવાર બનાવવા તરફ ઈશારો કર્યો છે. બુધવારે (6 માર્ચે) નગરીય પ્રશાસન મંત્રી કૈલાશ વિયજયવર્ગીય બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં વડાપ્રધાનના શક્તિ વંદન આયોજનમાં જોડાયા હતા.

અહીં તેમણે મંચ પરથી કહ્યું કે, મને ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે, શંકરજી (હાલના સાંસદ શંકર લાલવાની)ની ટિકિટ એટલે કપાઈ છે કે અહીથી માત્ર મહિલાને ટિકિટ આપવાની છે. એમ ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે કોઈ મહિલાને ચૂંટણી લડાવી શકાય છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોઈ મહિલાને ચૂંટણી લડાવો અને કોઈ સેફ સીટથી લડાવો. સારું એ બતાવો કે જો વડાપ્રધાન કહે કે અમે મહિલાને ચૂંટણી લડાવવા તૈયાર છીએ, તો કોણ કોણ તૈયાર છે?

ચૂંટણી લડવાની વાત સાંભળીને ડઝનો મહિલાઓએ હાથ ઉઠાવ્યા. એ જોઈને વિજયવર્ગીય હસતા જઇને બોલ્યા કે જો એટલી મહિલાઓ વિધાનસભા-લોકસભાની ચૂંટણી લડશે તો અમે શું કરીશું? જોકે ત્યારબાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું છે તે લાલવાની અત્યારે પણ રેસમાં છે, હસી મજાકમાં કહ્યું હતું કે શંકરની ટિકિટ કપાઇ. હજુ ટિકિટ નક્કી થઇ નથી. તેઓ પણ અત્યારે ઉમેદવારીના દાવેદાર છે.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.