ઈન્દોરમાં કોને મળશે લોકસભાની ટિકિટ? કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું ઉડતા ઉડતા...

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિયજયવર્ગીય પોતાના નીડર અંદાજ અને નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહે છે. ભાજપના કદાવર નેતાઓમાંથી એક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઈન્દોર લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આગામી ઉમેદવારને લઈને લગાવવામાં આવેલી અટકળો પરથી ઘણી હદ સુધી પરદો ઉઠાવી દીધો. ભલે મજાકીયા અંદાજમાં જ, પરંતુ કૈલાશ વિજયવર્ગીયએ ઇશારાઓ ઇશારામાં કહી દીધું કે આ વખત કોઈ મહિલા નેતાને જ ઇન્દોરના સાંસદ બનાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, કૈલાશ વિજયવર્ગીય મોહન યાદવ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને ઈન્દોર-1 વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર છે. ઈન્દોર લોકસભા સીટ આ અગાઉ સુમિત્રા મહાજન પાસે હતી અને તેઓ મહિલા સાંસદ તરીકે દિલ્હી પહોંચ્યા હતા. સુમિત્રા મહાજને વર્ષ 1989માં ઇન્દોરથી પહેલી વખત ભાજપની ટિકિટ પર જીત હાંસલ કરી હતી અને તેઓ વર્ષ 2019 સુધી અહીથી સાંસદ રહ્યા. આ દરમિયાન તેઓ લોકસભાના સ્પીકર પણ રહ્યા. લોકસભાની ચૂંટણીની તૈયારી રાજકીય પાર્ટીઓએ તેજ કરી દીધી છે.

ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે. ભાજપે મધ્ય પ્રદેશની 24 લોકસભા સીટો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે અને 5 સીટો પર નામ ફાઇનલ થયા નથી. તેમાં માળવાની ઈન્દોર સીટ પણ સામેલ છે. એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હવે ઈન્દોરમાં ભાજપ કોઈ મહિલા નેતાને લોકસભાની ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મજાક મજાકમાં મહિલા ઉમેદવાર બનાવવા તરફ ઈશારો કર્યો છે. બુધવારે (6 માર્ચે) નગરીય પ્રશાસન મંત્રી કૈલાશ વિયજયવર્ગીય બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં વડાપ્રધાનના શક્તિ વંદન આયોજનમાં જોડાયા હતા.

અહીં તેમણે મંચ પરથી કહ્યું કે, મને ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે, શંકરજી (હાલના સાંસદ શંકર લાલવાની)ની ટિકિટ એટલે કપાઈ છે કે અહીથી માત્ર મહિલાને ટિકિટ આપવાની છે. એમ ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે કોઈ મહિલાને ચૂંટણી લડાવી શકાય છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોઈ મહિલાને ચૂંટણી લડાવો અને કોઈ સેફ સીટથી લડાવો. સારું એ બતાવો કે જો વડાપ્રધાન કહે કે અમે મહિલાને ચૂંટણી લડાવવા તૈયાર છીએ, તો કોણ કોણ તૈયાર છે?

ચૂંટણી લડવાની વાત સાંભળીને ડઝનો મહિલાઓએ હાથ ઉઠાવ્યા. એ જોઈને વિજયવર્ગીય હસતા જઇને બોલ્યા કે જો એટલી મહિલાઓ વિધાનસભા-લોકસભાની ચૂંટણી લડશે તો અમે શું કરીશું? જોકે ત્યારબાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું છે તે લાલવાની અત્યારે પણ રેસમાં છે, હસી મજાકમાં કહ્યું હતું કે શંકરની ટિકિટ કપાઇ. હજુ ટિકિટ નક્કી થઇ નથી. તેઓ પણ અત્યારે ઉમેદવારીના દાવેદાર છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.