ચેક મેટ! ન શરદ પાસે જઇ શકે છે, ન CM બની શકે છે, હવે શું કરશે અજીત પવાર?

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ અજીત પવારે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન પર ચર્ચા માટે ગુરુવારે સમીક્ષા કરી. આ ચૂંટણીમાં પાર્ટી માત્ર 1 સીટ જ જીતી શકી. સમીક્ષા બેઠકમાં 41માંથી 5 ધારાસભ્ય ગેરહાજર રહ્યા. કહેવામાં આવ્યું કે, નરહરિ જિરવાલ વિદેશમાં છે અને 4 લોકો ખરાબ સ્વાસ્થ્યના કારણે બેઠકમાં ન આવ્યા. એટલે અજીત બુધવારે દિલ્હીમાં NDAના સહયોગી દળોની બેઠકમાં સામેલ ન થયા. ઘટનાક્રમોએ અજીત પવારના નેતૃત્વવાળી NCPના ભવિષ્યને લઈને ચર્ચાઓ તેજ કરી દીધી છે.

શરદ પવાર ફરી એક વખત પોતાના ભત્રીજા પર ભારે પડ્યા. તેમણે મહારાષ્ટ્રમાં 10 સીટો પર ચૂંટણી લડી અને તેમાંથી 8 સીટ પર જીત મળી. બીજી તરફ અજીત પવારની NCPએ 4 સીટો પર ચૂંટણી લડી અને માત્ર 1 સીટ પર જીતી. જે સીટો પર તેમને હારનો સામનો કરવો પડ્યો, તેમાં બારામતી પણ સામેલ હતી, જ્યાં અજીત પવારની પત્ની સુનેત્રા પવાર ઉમેદવાર હતા, સુપ્રિયા સુલેએ તેમને ભારે અંતરથી હરાવી દીધા. અજીત પવારના જૂના સંઘર્ષ અને બળવાને જોતા ચર્ચા છે કે તેઓ શરદ પવાર ગ્રુપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

https://khabarchhe.com/uploads/mc_path/17179116781.jpg

એમ પણ માનવામાં આવી રહ્યું છે કે તેમના ધારાસભ્ય મોટી સંખ્યામાં તેના માટે પ્રયાસ કરી શકે છે, જો એમ થાય છે તો એ જોવાનું રસપ્રદ રહેશે કે શરદ પવાર તેમને ફરી સ્વીકારે છે કે નહીં. હાલમાં અજીત પવાર પાસે ઘણા ઓછા વિકલ્પ છે. 6 પ્રમુખ પાર્ટીઓ વચ્ચે મહાયુતિ વર્સિસ મહાવિકાસ અઘાડી રેસમાં અજીતની પાર્ટીનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. તેને માત્ર 1 સીટ પર જીત મળી. જો કે, પવારની પાર્ટીએ બીજાઓની તુલનામાં સૌથી ઓછી લોકસભા સીટો પર ચૂંટણી લડી, પરંતુ તેણે 10 સીટો પર ચૂંટણી લડી અને 7 જીતી છે. લોકસભાના પરિણામની અસર વિધાનસભાની ચૂંટણીમાં પણ દેખાશે. આ વર્ષના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં અજીત પવારની જીતની સંભાવના ઓછી છે.

અજીત પવારે શું ભૂલ કરી?

NCP (SP) અને શરદ પવારના સહયોગી અંકુશ કાકડેએ અજીત પવારની નિંદા કરતા કહ્યું કે, મતદાતા પવાર સાહેબને છોડવા અને ભાજપ સાથે ગઠબંધન કરવા માટે સહમત નહોતા. અજીત પવારે અભિયાન બેઠકોમાં જે પ્રકારે પવાર સાહેબ પર પ્રહાર કર્યો, એ લોકોને પસંદ ન આવ્યું. જો NCP એકજૂથ થતી તો સુપ્રિયા સુલેને જીત માટે સંઘર્ષ કરવો પડી શકતો હતો, પરંતુ અજીત પાવર જે પ્રકારે શરદ પવારની નિંદા કરી રહ્યા હતા, એ બારામતીના લોકોને પસંદ ન આવ્યું અને તેમણે સુપ્રિયા સુલેને વોટ આપ્યા.

https://khabarchhe.com/uploads/mc_path/17179116782.jpg

અજીત પવાર બનશે મુખ્યમંત્રી?

હવે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. જો ફડણવીસ રાજ્યની રાજનીતિથી અલગ થઈ જાય છે તો અજીત પાવર એકનાથ શિંદેની જગ્યાએ મહાગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી બની શકે છે. આ ચૂંટણીમાં શિંદેની પાર્ટી પણ કંઇ ખાસ કરી શકી નથી. તેને 7 સીટ પર જીત મળી છે. જો કે, શિંદે મરાઠા છે, પરંતુ તેમની પહોંચ થાણે-કલ્યાણ ક્ષેત્ર સુધી જ સીમિત છે. NCPના એક નેતાએ કહ્યું કે, શિંદે પાસે મહાગઠબંધનને નેતૃત્વ કરવાનું ચમત્કાર નથી. વિધાનસભા ચૂંટણીમાં અજીત પવાર જ જીતી શકે છે. જો કે, તેમના ખાતામાં માત્ર એક સીટ છે એટલે અજીત પવારના મુખ્યમંત્રી કે મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવાની સંભાવના ઘણી ઓછી છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.