નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે તેમની પાસે પૈસા નથી એટલે ચૂંટણી નથી લડી રહ્યા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે, તેમણે ચૂંટણી લડવા સંબંધિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રસ્તાવને એમ કહેતા અસ્વીકાર કરી દીધો કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે જરૂરી એ પ્રકારનું ધન નથી. તેમણે કહ્યું કે, ભાજપ અધ્યક્ષ (જે.પી. નડ્ડા)એ તેમને આંધ્ર પ્રદેશ કે તામિલનાડુથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.એક અઠવાડિયા કે 10 દિવસ સુધી વિચાર્યા બાદ મેં જવાબ આપ્યો, નહીં. મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. મને એ પણ સમસ્યા છે કે આંધ્ર પ્રદેશ કે તામિલનાડુ?

જીતવા લાયક વિભિન્ન માપદંડોનો પણ સવાલ છે. તમે આ સમુદાયથી છો કે તમે આ ધર્મથી છો? મને નથી લાગતું કે, હું એમ કરવામાં સક્ષમ છું. હું ખૂબ આભારી છું કે તેમણે મારી દલીલો સ્વીકારી. એટલે હું ચૂંટણી લડી રહી નથી. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે, દેશના નાણા મંત્રી પાસે પણ લોકસભાની ચૂંટણી લડવા માટે પૂરતું ધન કેમ નથી? તો તેમણે કહ્યું કે, ભારતની સંચિત નિધિ તેમની પોતાની નથી. મારો પગાર, મારી આવક, મારી બચત મારી છે, ન કે ભારતની સંચિત નિધિ.

ભાજપે લોકસભાની ચૂંટણીમાં રાજ્યસભાના ઘણા સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી પિયુષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સામેલ છે. નિર્મલા સીતારમણ કર્ણાટક રાજ્યથી રાજ્યસભાના સભ્ય છે. તેમણે કહ્યું કે, તેઓ વિભિન્ન ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં પણ ભાગ લઇશ. હું પ્રચાર અભિયાનમાં સામેલ રહીશ. બધી પ્રમુખ રાજનીતિક પાર્ટીઓએ ચૂંટણી બોન્ડ હાંસલ કર્યા. આ મામલે કોઈને કંઇ પણ કહેવાનો નૈતિક અધિકાર નથી કેમ કે એ બધુ કાયદેસર અને કાયદા મુજબ હતું.

તેમણે એમ પણ કહ્યું કે, ચૂંટણી બોન્ડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખતા ચૂંટણીઓના નાણાકીય પોષણ માટે સારી પ્રણાલીને લઈને વધારે ચર્ચાની જરૂરિયાત છે. નિર્મલા સીતારમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, કાયદાને સુપ્રીમ કોર્ટે હવે ફગાવી દીધો છે, પરંતુ તેને સંસદમાં પાસ કરવામાં આવ્યો હતો અને બોન્ડ એ સમયના કાયદા મુજબ ખરીદવામાં આવ્યા હતા. તેને સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યો હતો અને કાયદાના આધારે બોન્ડ બધી પાર્ટીઓને મળ્યા. દરેકે બધા પાસે ફંડ હાંસલ કર્યું, ફંડ અપનારાઓએ દરેક પાર્ટીને ફંડ આપ્યું.

નિર્મલા સીતારમણે કહ્યું કે, જે પાર્ટી હવે કહી રહી છે કે આ કૌભાંડ છે, તેમણે જે પણ બોન્ડના મધ્યમથી પૈસા લીધા હતા. અંતે કોઈને બોલવાનો શું નૈતિક અધિકાર છે કેમ કે ત્યાં સુધી કાયદા મુજબ હતું. એ બધુ કાયદાથી થયું. એ પહેલાંની તુલનામાં એક સારું પગલું હતું. આ સંબંધમાં નવી સરકાર શું કરી શકે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એ સમજવાની જરૂરિયાત છે કે વ્યવસ્થાને કેવી રીતે સારી બનાવવામાં આવે. ચૂંટણી બોન્ડ પ્રણાલી અત્યારે પણ પાછલી વ્યવસ્થાથી સારી છે. આપણે અત્યારે જૂની સ્થિતિમાં છીએ. આપણે આ સંદર્ભમાં ઘણું બધુ કરવાની જરૂરિયાત છે.

Related Posts

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.