ઠાકરે કહે- BJP નહીં MVAથી ચૂંટણી લડશે ગડકરી? નીતિન ગડકરીએ જુઓ શું કહ્યું

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મહાવિકાસ અઘાડી (MVA)ના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડવાના નિમંત્રણને ઠુકરાવી દીધું છે. તેમણે તેને અપરિપક્વ અને હાસ્યાસ્પદ કરાર આપતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની એક પ્રણાલી છે. ઠાકરેના એક હાલના નિવેદનના સંદર્ભમાં પૂછવામાં આવતા નીતિન ગડકરીએ કહ્યું કે, શિવસેના નેતાએ ભાજપના નેતાઓ બાબતે ચિંતા કરવાની જરૂરિયાત નથી.

ઉદ્ધવ ઠાકરેએ ગયા અઠવાડિયે એક રેલીમાં કહ્યું હતું કે, નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની ક્ષમતા દેખાડવી જોઈએ અને દિલ્હી સામે ઝૂકવાની જગ્યાએ રાજીનામું આપી દેવું જોઈએ. અમે MVAના ઉમેદવારના રૂપમાં તેમની જીત સુનિશ્ચિત કરીશું. નીતિન ગડકરીએ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેનું સૂચન અપરિપક્વ અને હાસ્યાસ્પદ છે. ભાજપમાં ઉમેદવારોને ટિકિટ આપવાની એક વ્યવસ્થા છે. ઠાકરેનું સૂચન આગામી લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં ટિકિટ વિતરણ પર ભાજપની ચર્ચાથી ખૂબ પહેલા આવ્યું છે.

તેમણે દ્વારકા એક્સપ્રેસ-વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા ખંડને જનતા માટે ખોલવા માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાતો કહી. ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ને લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ સીટો મળશે. તેમણે દ્વારકા એક્સપ્રેસ-વેને અત્યાધુનિક પરિયોજના કરાર આપ્યો. તેમણે કહ્યું કે, સરકારે દ્વારકા એક્સપ્રેસવેના કોન્ટ્રાક્ટ આપવામાં અનુમાનની તુલનામાં નિર્માણ ખર્ચમાં 20 ટકાની બચત કરી છે.

નીતિન ગડકરીએ કહ્યું કે, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રોડ, હાઇવે અને એક્સપ્રેસ વેના નિર્માણ માટે 65 હજાર કરોડની પરિયોજનાઓ છે. તેમાંથી 35,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓ પૂરી થઈ ચૂકી છે અને બાકી ડિસેમ્બર સુધી પૂરી થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વે'ના 19 કિલોમીટર લાંબા હરિયાણા ખંડનું ઉદ્વઘાટન કર્યું હતું. તેમાં નેશનલ હાઇવે-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે વાહનવ્યવહારમાં સુધાર થશે અને ભીડ પણ ઓછી થશે. તેનાથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓને પણ પ્રોત્સાહન મળવાનું અનુમાન છે. દ્વારકા એક્સપ્રેસ-વેની કુલ લંબાઈ 29 કિલોમીટર છે, જેમાંથી 18.9 કિલોમીટર હરિયાણા, જ્યારે બાકી 10.1 કિલોમીટર દિલ્હીમાં છે.

Related Posts

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.