AAP-કોંગ્રેસ ગઠબંધન પર સંદીપ દીક્ષિત કહે છે BJPનો શું વાંધો છે અમે...

On

શનિવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હી, હરિયાણા, ગુજરાત અને ચંદીગઢમાં સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેના કારણે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. BJP કોંગ્રેસ અને AAPને ઘેરવામાં વ્યસ્ત છે. જેના પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને એ સમજાતું નથી કે કોંગ્રેસ અને AAPના ગઠબંધનના કારણે BJPને શું મુશ્કેલી પડી રહી છે.

કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે વધુમાં કહ્યું કે, બિહારમાં BJPના વિજેતા ધારાસભ્યો CM નીતિશ કુમારને ગાળો આપતા હતા અને અપશબ્દોનો ઉપયોગ કરતા હતા, આજે તમે તેમની બાજુમાં બેઠા છો. પંજાબમાં BJPનું શિરોમણિ અકાલી દળ સાથે ગઠબંધન હતું, પરંતુ જ્યારે તેઓ અલગ થયા ત્યારે તમે તેમના પરિવારવાદની વાત કરવા લાગ્યા. હવે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તમે ફરી એકબીજા સાથે વાત કરી રહ્યા છો. તમે પોતે પણ તમારી તરફ એક નજર તો નાખો. તેમણે કહ્યું કે, જેમના પોતાના ઘર કાચના બનેલા છે તેમણે બીજા પર પથ્થર ન ફેંકવા જોઈએ. દરેક વસ્તુ તો BJP ખુદ પેદા કરતી હોય છે. જેમણે તમામ પક્ષોનો ફક્ત ઉપયોગ જ કર્યો હતો.

કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે, જ્યાં સુધી અણ્ણા આંદોલનની વાત છે. અણ્ણા આંદોલનમાં BJP AAPની સાથે ઉભી હતી. કોંગ્રેસે દાવો કર્યો કે, બધા જાણે છે કે, RSS અને BJPએ આને (AAPને) ફંડ આપ્યું હતું. વિવેકાનંદ ઈન્ટરનેશનલની પણ કથિત રીતે આમાં સંડોવણી હતી. તો પછી BJP બીજાને શા માટે શિખામણ આપે છે? તેમણે કહ્યું કે BJPએ તમામ લોકતાંત્રિક સંસ્થાઓને ખતમ કરી દીધી છે, તેનાથી લોકોના હાથમાં માત્ર એક, વોટ આપવાનું જ રહી જાય છે, પરંતુ લોકોને પણ એમાં શંકા છે કે, આ સિસ્ટમ પણ સારી રીતે કામ કરી રહી છે કે કેમ.

અહીં તમને જણાવી દઈએ કે, 'ઇન્ડિયા એલાયન્સ'માં સામેલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હી, હરિયાણા, ગુજરાત અને ચંદીગઢમાં સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સાથે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચે પણ બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. જેના કારણે BJPના નેતાઓએ કોંગ્રેસ અને AAPને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

Related Posts

Top News

'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

ક્રિકેટર મોહમ્મદ શમી દ્વારા રમઝાન દરમિયાન ઉપવાસ ન રાખવા બદલ ગુનેગાર ગણાવનાર મૌલવીએ હવે ફાસ્ટ બોલરની પુત્રીની હોળીની ઉજવણીને 'અવૈધ'...
Sports 
'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.