AAP-કોંગ્રેસ ગઠબંધન પર સંદીપ દીક્ષિત કહે છે BJPનો શું વાંધો છે અમે...

શનિવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હી, હરિયાણા, ગુજરાત અને ચંદીગઢમાં સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેના કારણે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. BJP કોંગ્રેસ અને AAPને ઘેરવામાં વ્યસ્ત છે. જેના પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને એ સમજાતું નથી કે કોંગ્રેસ અને AAPના ગઠબંધનના કારણે BJPને શું મુશ્કેલી પડી રહી છે.

કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે વધુમાં કહ્યું કે, બિહારમાં BJPના વિજેતા ધારાસભ્યો CM નીતિશ કુમારને ગાળો આપતા હતા અને અપશબ્દોનો ઉપયોગ કરતા હતા, આજે તમે તેમની બાજુમાં બેઠા છો. પંજાબમાં BJPનું શિરોમણિ અકાલી દળ સાથે ગઠબંધન હતું, પરંતુ જ્યારે તેઓ અલગ થયા ત્યારે તમે તેમના પરિવારવાદની વાત કરવા લાગ્યા. હવે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તમે ફરી એકબીજા સાથે વાત કરી રહ્યા છો. તમે પોતે પણ તમારી તરફ એક નજર તો નાખો. તેમણે કહ્યું કે, જેમના પોતાના ઘર કાચના બનેલા છે તેમણે બીજા પર પથ્થર ન ફેંકવા જોઈએ. દરેક વસ્તુ તો BJP ખુદ પેદા કરતી હોય છે. જેમણે તમામ પક્ષોનો ફક્ત ઉપયોગ જ કર્યો હતો.

કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે, જ્યાં સુધી અણ્ણા આંદોલનની વાત છે. અણ્ણા આંદોલનમાં BJP AAPની સાથે ઉભી હતી. કોંગ્રેસે દાવો કર્યો કે, બધા જાણે છે કે, RSS અને BJPએ આને (AAPને) ફંડ આપ્યું હતું. વિવેકાનંદ ઈન્ટરનેશનલની પણ કથિત રીતે આમાં સંડોવણી હતી. તો પછી BJP બીજાને શા માટે શિખામણ આપે છે? તેમણે કહ્યું કે BJPએ તમામ લોકતાંત્રિક સંસ્થાઓને ખતમ કરી દીધી છે, તેનાથી લોકોના હાથમાં માત્ર એક, વોટ આપવાનું જ રહી જાય છે, પરંતુ લોકોને પણ એમાં શંકા છે કે, આ સિસ્ટમ પણ સારી રીતે કામ કરી રહી છે કે કેમ.

અહીં તમને જણાવી દઈએ કે, 'ઇન્ડિયા એલાયન્સ'માં સામેલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હી, હરિયાણા, ગુજરાત અને ચંદીગઢમાં સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સાથે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચે પણ બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. જેના કારણે BJPના નેતાઓએ કોંગ્રેસ અને AAPને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

Related Posts

Top News

શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તમની પાસે 1 હજાર વર્ષ...
Gujarat 
શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. IPL ટુર્નામેન્ટ હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ...
Sports 
તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
Gujarat 
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
National 
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.