પ્રણય-ભંગનાં ખતરનાક પરિણામ - વિશ્વાસઘાત કરનારાં યુવક-યુવતીને ચેતવણી

પ્રેમને ગમે તેટલો બદનામ કરવામાં આવે છે, છતાં ઘણાં હૃદય માટે પ્રેમના અંકુર ફૂટવા તે સાવ સામાન્ય વાત છે. ફ્રેન્ચ કવિ એન્દ્રી બ્રેટને કહ્યું છે કે “માત્ર પ્રેમ દ્વારા માનવના અસ્તિત્વની અને આત્માના શ્રેષ્ઠ તત્વની ઉચ્ચતમ ઝાંખી થાય છે” અને જ્યારે આવા પ્રેમમાં નિષ્ફળ જાય છે ત્યારે પ્રેમી ભાંગી પડે છે. ટી.બી.ના અસાધ્ય રોગનો ભોગ બનેલા પ્રણયભંગ થયેલા યુવકો અને હિસ્ટીરિયાના રોગનો ભોગ બનેલી યુવતીઓ મેં નજરે જોઈ છે. એમાં પ્રથમ પ્રેમ તો વ્યક્તિના ભવિષ્યના સ્ત્રી કે પુરુષો સાથેના સંબંધ માટે મહત્ત્વનો બની જાય છે. “ધી સાઇકોલૉજી ઑફ લવિંગ” એ પુસ્તકમાં ફ્રેન્ચ લેખક ઈગ્નેસ લીપે કહ્યું છે કે “ભલે પ્રથમ પ્રેમ ક્ષણિક હોય પણ તે માનસશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો બની રહે છે.” લીસા નામની એક સોળ વર્ષની યુવતીનું સાચું દૃષ્ટાંત આપીને લેખક કહે છે કે લીસાને કોમળવયમાં પ્રેમનો આવિર્ભાવ થયો. પણ તેનો પ્રેમ કૉલેજના એક પરિણીત પ્રોફેસર ઉપર જઈ ઢળ્યો. પ્રોફેસર તેને પરણી શક્યો નહિ એટલે લીસા રખાત તરીકે રહી. પ્રોફેસર તો વિલાસી હતા, પણ લીસાનો પ્રેમ ઉત્કટ અને સાચો હતો તેમજ તે પ્રથમ પ્રેમ હતો. પ્રોફેસરે તો પ્રેમને નામે ઘણાં લફરાં કર્યાં હતાં. જ્યારે પ્રોફેસરને લીસાના શરીરમાં વધુ આકર્ષણ ન રહ્યું ત્યારે લીસાને છોડી દીધી. આને કારણે લીસાને ભયંકર આઘાત લાગ્યો. તેની નાસીપાસીને સહન કરવા અશક્ત બની ત્યારે સમાજ ઉપર અને પ્રોફેસર ઉપર વેર વાળવાનો ઘૃણાસ્પદ તુક્કો શોધી કાઢ્યો. તેણે નવા નવા “પ્રેમીઓ” શોધીને પ્રોફેસર ઉપર વેર વાળ્યું પણ અંતે તેનું જ નૈતિક દેવાળું નીકળ્યું.

લીસાના અધઃપતન માટે પ્રોફેસર જવાબદાર હતો. પરંતુ તેમાં પ્રથમ પ્રેમની નિરાશા જ કામ કરી ગઈ. આ દાખલા ઉપરથી યુવક-યુવતીઓને ચેતવણી આપવા જેવી છે કે તમારા પ્રત્યે કોઈ વ્યક્તિ આકર્ષાય તો તમને તેના પ્રત્યે ખરેખર પ્રેમ ન હોય તો માત્ર કામચલાઉ મજા કરવા ખાતર કોઈ યુવકે કે યુવતીએ સામા પાત્ર સાથે ખેલ ન કરવો. તેનાથી ખતરનાક પરિણામો આવી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.