પ્રૂફરીડર કોને કહેવાય?

લેખક, કટારલેખક, તંત્રી કે ઉપતંત્રી માટે ઑથર, કૉલમિસ્ટ, એડિટર કે સબએડિટર જેવા શબ્દો સામાન્યતઃ ગુજરાતી લેખનમાં વપરાતા નથી પરંતુ જો આવા અંગ્રેજી શબ્દો વપરાય તો તે માટે પ્રથમ વાંધો કાઢનારા પ્રૂફરીડર માટે હજી પણ પ્રૂફરીડર શબ્દ જ ગુજરાતી લેખનમાં વપરાય છે. પ્રૂફરીડર એ પત્રકારત્વ કે પુસ્તક પ્રકાશનનો એક અનોખો જીવ છે. પ્રૂફરીડરનું આ અનોખાપણું ઘણા તંત્રીઓ સ્વીકારતા આવ્યા છે. માત્ર યશવંત દોશીને આ બાબતમાં વાંકું પડ્યું તેમાં પ્રૂફરીડરોનું સમકાલીનમંડળ લેવાદેવા વગર મારા ઉપર વરસી પડ્યું.

ખેર, ‘વ્યાપાર’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હી.ઝ. ગિલાણી અને ‘જન્મભૂમિ’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. મોહનલાલ મહેતા પ્રૂફરીડરોનો આદર કરતા હતા. ગિલાણી વ્યાપારના દિવાળી અંક માટે તંત્રીલેખ લખતા ત્યારે સૌપ્રથમ તેઓ એ લેખ તેમના સહાયક તંત્રીને નહીં પણ પ્રૂફરીડરને મૂલ્યાંકન માટે તેમ જ હકીકતદોષ શોધવા માટે વાંચવા આપતા.

હું 1967થી 1977 સુધી જન્મભૂમિ જૂથમાં તંત્રી રહ્યો ત્યારે મારા કરતાં સાહિત્યનું વધુ જ્ઞાન ધરાવનાર પ્રૂફરીડરો એ સંસ્થામાં હતા. પત્રકારત્વના તમામ ક્ષેત્રનાં ધોરણ કથળ્યાં છે પણ હજી પ્રૂફરીડિંગનું ધોરણ મહદંશે જળવાયું છે. જન્મભૂમિના હાલના ન્યૂઝ એડિટર વ્રજલાલ વસાણી એક જમાનામાં પ્રૂફરીડર હતા. 1967માં હું મલેશિયાથી મુંબઈ આવ્યો ત્યારે ગણ્યાંગાંઠ્યા જૂના કાટલાં જેવા લેખકો જોડણી અને વ્યાકરણ ઉપર ખૂબ ધ્યાન આપતા. આ બધા પોતાની જ મોજ ખાતર લખતા.

મેં વાચકને ધ્યાનમાં લઈને જે હાથમાં આવે તે લખવાનું શરૂ કર્યું અને મારે એ જથ્થાબંધ રીતે શરૂ કરવું પડ્યું. એ વખતે સૌથી મોટો સધિયારો કે સહકાર જન્મભૂમિના પ્રૂફરીડરોનો હતો. બુલેટની ઝડપે લખાયેલા લેખોના વ્યાકરણ કે જોડણીના દોષો પ્રૂફરીડરો સુધારી લેતા. આવી સ્પીડ માટે હું હંમેશાં પ્રૂફરીડરોનો જ ઋણી રહ્યો છું.

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના ...
National 
સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.