નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

BSP છોડ્યા પછી નસીમુદ્દીન સિદ્દીકી થોડા દિવસો માટે બ્રેક પર હતા. તેમણે પોતાની પાર્ટી બનાવીને પોતાને અને તેમના સમર્થકોને સુસંગત રાખવાનો પ્રયાસ કર્યો, અને પછી પરિસ્થિતિ પાટા પર આવતાની સાથે જ કોંગ્રેસમાં જોડાઈ ગયા. પરંતુ જ્યારે તેઓ કોંગ્રેસથી કંટાળી ગયા, ત્યારે તેમણે કોંગ્રેસને પણ અલવિદા કહી દીધું. તેમણે તેમના સમર્થકો સાથે રાજીનામું આપ્યું.

અને નસીમુદ્દીન સિદ્દીકીનો ટેકો જ તેમને સુસંગત રાખે છે, ભલે તેઓ વર્ષોથી કોઈ ચમત્કાર બતાવી શક્યા ન હોય. કોંગ્રેસને નસીમુદ્દીન સિદ્દીકીથી ખાસ કંઈ ફાયદો તો થયો નથી, પરંતુ તેમના પાર્ટી છોડી ગયા પછી ઘણું ખરું નુકસાન થાય તેવી આશંકા છે. તેથી જ UP કોંગ્રેસ પ્રમુખ અજય રાય તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડવાના સમાચાર બે દિવસ પહેલા જ આવ્યા હતા. અને તેમણે ત્રણ દિવસ પહેલા જ રાજીનામું આપ્યું હતું. રાજીનામું પત્ર 24 જાન્યુઆરી, 2026નો છે. મીડિયા પૂછપરછ પર, નસીમુદ્દીન સિદ્દીકીએ ચાર દિવસનો સમય લંબાવવાની વિનંતી કરી છે.

Naseemuddin Siddiqui
indiatv.in

નસીમુદ્દીન સિદ્દીકી દ્વારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી, તેમના BSPમાં પાછા ફરવા, સમાજવાદી પાર્ટીમાં જોડાવા, અથવા ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ સાથે જોડાણ કરવા અંગે અટકળો ચાલી રહી છે, અને તેમનો પોતાનો પક્ષ બનાવવાનો વિકલ્પ તો હંમેશા ખુલ્લો જ રહ્યો છે.

BSP પછી, કોંગ્રેસ જ નસીમુદ્દીન સિદ્દીકીનો એકમાત્ર વિકલ્પ હતો. મોહમ્મદ આઝમ ખાન જેવા નેતાઓ પહેલાથી જ સમાજવાદી પાર્ટીમાં પ્રભાવ ધરાવતા હતા. જ્યારે હવે એવી વાત ભલે નથી રહી કે, સમાજવાદી પાર્ટીના નેતૃત્વ માટે આઝમ ખાનને અવગણવું મુશ્કેલ છે. તેમ છતાં, કાનૂની મુશ્કેલીઓમાં તેમની ગંભીર સંડોવણી આગળની કાર્યવાહી માટે થોડી તક તો રજૂ કરે જ છે.

કોંગ્રેસમાં એવું પણ માનવામાં આવે છે કે, સહારનપુરના સાંસદ ઇમરાન મસૂદનું કદ ઘણું બધું વધી ચૂક્યું છે. તેમને પ્રિયંકા ગાંધીના નજીકના સહયોગીઓમાંના એક માનવામાં આવી રહ્યા છે. ઇમરાન પ્રતાપગઢીનો પોતાનો ખુદનો એટલો પ્રભાવ છે. રાહુલ ગાંધીના દરબારમાં તેમનો ધાક બનેલી રહી છે, જે વાતાવરણ બની રહ્યું હતું, તેને જોતાં, અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી, નસીમુદ્દીન સિદ્દીકી કોંગ્રેસમાં તેમના ભવિષ્ય વિશે ચિંતિત હોવાનું કહેવાય છે.

Naseemuddin Siddiqui
jansatta.com

BSPના સ્થાપક કાંશીરામના સમયથી પાર્ટી સાથે જોડાયેલા નસીમુદ્દીન સિદ્દીકીનો UP રાજકારણમાં ઘણો પ્રભાવ રહ્યો છે. 2007માં માયાવતીએ દલિતો અને બ્રાહ્મણોના સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા BSP સરકાર બનાવી, તે સમયે નસીમુદ્દીન સિદ્દીકીનું ખુદ એક અલગ સ્થાન હતું.

તાજેતરમાં, મુસ્લિમ નેતાઓએ એક અલગ પ્રભાવ પાડ્યો છે. BJPના વધતા પ્રભાવ વચ્ચે, અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓ રાષ્ટ્રીય મંચ પર ઝડપથી ઉભરી રહ્યા છે. પાંચ વર્ષ પછી, ઓવૈસીએ બિહાર ચૂંટણીમાં પોતાનો રાજકીય પ્રભાવ જાળવી રાખ્યો છે, જેમ કે પરિણામો સાક્ષી આપે છે. તે પહેલાં, ઓપરેશન સિંદૂર દરમિયાન તેમની રાષ્ટ્રવાદી છબી નોંધપાત્ર અસર કરી રહી હતી.

આગામી UP ચૂંટણીમાં મુસ્લિમ વોટ બેંક પણ રાજકારણને પ્રભાવિત કરશે. PDA ફોર્મ્યુલા સાથે ચૂંટણીની તૈયારી કરી રહેલા ભૂતપૂર્વ CM અખિલેશ યાદવનો મુસ્લિમ વોટ બેંક પર પહેલો દાવો છે. સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરતી કોંગ્રેસનો પણ એક અલગ દાવો છે.

નસીમુદ્દીન સિદ્દીકી તેમની સ્થિતિ સારી રીતે જાણી ચુક્યા છે અને તે મુજબ UPના ચૂંટણી રાજકારણમાં તેમની ભૂમિકાનું મૂલ્યાંકન કરી રહ્યા હોવા જોઈએ. માયાવતી 2027ની UP ચૂંટણી માટે પણ તૈયારી કરી રહ્યા છે, અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ નવી તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. અહેવાલ મુજબ, નસીમુદ્દીન સિદ્દીકી માટે આ ચોક્કસપણે એક મોટી તક તો છે જ.

Naseemuddin Siddiqui
hindi.news18.com

ગયા અઠવાડિયે રાહુલ ગાંધી રાયબરેલી ગયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હંમેશની જેમ અમૌસી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. નસીમુદ્દીન સિદ્દીકીને ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. અન્ય લોકો માટે, આ એકમાત્ર સમજૂતી હોઈ શકે છે. લોકો કહી રહ્યા છે કે નસીમુદ્દીન સિદ્દીકી તક શોધી રહ્યા હતા, અને તેમને તે મળી પણ ગઈ.

નસીમુદ્દીન સિદ્દીકીએ યોગ્ય સમય જોઈને પોતાનું રાજીનામું મોકલ્યું. નસીમુદ્દીન સિદ્દીકીના રાજીનામા પત્રનો ટેક્સ્ટ પણ ખૂબ રસપ્રદ છે. સામાન્ય રીતે, રાજીનામા પાર્ટીના નેતા અથવા પ્રમુખને સંબોધવામાં આવે છે, અને કાર્બન કોપી અન્ય લોકોને મોકલવામાં આવે છે. જોકે, નસીમુદ્દીન સિદ્દીકીએ બધા ટોચના નેતાઓને ક્રમમાં સંબોધ્યા છે. પહેલું નામ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું જ છે, ત્યારપછી સોનિયા ગાંધી, પછી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અવિનાશ પાંડે અને અજય રાયનું છે.

અને, સિદ્દીકી એકલા રાજીનામું આપી રહ્યા નથી. તેમના 70થી વધુ સમર્થક નેતાઓ અને કાર્યકરો પણ તેમની સાથે છે, જેમાં ઘણા ભૂતપૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. નસીમુદ્દીન સિદ્દીકીએ લખ્યું, 'સર/મેડમ, અનિવાર્ય કારણોસર, હું કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું... કૃપા કરીને સ્વીકાર કરશો.'

નસીમુદ્દીન સિદ્દીકી કહે છે, 'હું રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીનો આદર કરું છું, અને આગળ પણ કરતો રહીશ. જોકે, પાર્ટીમાં મારા માટે કોઈ કામ નહોતું... હું કોમવાદ સામે લડવા માટે કોંગ્રેસમાં જોડાયો હતો... પરંતુ હવે તે નથી થઇ રહ્યું.'

Naseemuddin Siddiqui
prabhasakshi.com

મારી પાસે એક કબૂલાત પણ છે, હું જાતિવાદ સામે લડવા માટે કોંગ્રેસમાં જોડાયો હતો... હું આઠ વર્ષથી કોઈ ઠોસ કામ કરી શક્યો નથી... મારામાં આળસ ભરાઈ ગઈ હતી.

2022ની UP વિધાનસભા ચૂંટણી પહેલા, તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ સાથે મુસ્લિમ વોટ બેંકને કોંગ્રેસ તરફેણમાં મજબૂત બનાવવા માટે વ્યાપકપણે કામ કર્યું. તેઓ અનેક પરિષદોમાં સક્રિય રીતે ભાગ લેતા જોવા મળ્યા હતા, પરંતુ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં ફક્ત બે બેઠકો મેળવવામાં સફળ રહી હતી. કોંગ્રેસની પહેલા 2017ની ચૂંટણીમાં BSP નેતા માયાવતીએ તેમને પશ્ચિમ UPના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ BSP કંઈ પ્રગતિ કરી શકી ન હતી અને તેમણે BSP છોડવી પડી હતી, જોકે માયાવતીએ એવો દાવો કર્યો હતો કે, તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.

પશ્ચિમ UPના સહારનપુર અને મુઝફ્ફરનગરની આસપાસના જિલ્લાઓમાં નસીમુદ્દીન સિદ્દીકીની મુસ્લિમ વોટ બેંક પર મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. એ વાત અલગ છે કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ નોંધપાત્ર કરિશ્મા બતાવી શક્યા નથી.

About The Author

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.