કોની હાલત હરિયાણા જેવી થશે? મહારાષ્ટ્રમાં 150 બળવાખોર વધારી રહ્યા છે પડકાર

મહારાષ્ટ્રમાં હરિયાણાનો ખૂબ ઉલ્લેખ થઈ રહ્યો છે. મહાવિકાસ અઘાડી (MVA)ને લોકસભાની ચૂંટણીમાં સારી જીત મળી હતી, પરંતુ ઉમેદવાર પસંદ કરવામાં જે પ્રકારે મતભેદ દેખાયા છે, તેનાથી એવી આશંકાઓ વધવા લાગી છે કે ક્યાંક હરિયાણા જેવી હાલત ન થઈ જાય કે અતિ-આત્મવિશ્વાસમાં નુકસાન ન થઈ જાય. માનવામાં આવે છે કે હરિયાણામાં એવું જ થયું હતું. કુમારી સેલજા અને ભુપિન્દર સિંહ હુડ્ડાના પરસ્પર ઝઘડાથી ખોટો સંદેશ ગયો અને પોતાના જ બળવાખોર એટલા ઊભા થઈ ગયા કે તેઓ ઘણી સીટો હારવાનું કારણ બની ગયા.

હવે એવો જ ડર મહારાષ્ટ્રમાં પણ છે, પરંતુ આ વખતે નુકસાન કોઈનું પણ થઈ શકે છે એટલે કે MVA અને મહાયુતિ બંને જ બળવાખોર અને પરસ્પર ઝઘડાથી પરેશાન છે. કાલે નૉમિનેશનનો અંતિમ દિવસ હતો. અત્યાર સુધી મળીને 150 બળવાખોર ઊભા થઈ ચૂક્યા છે, જે બંને જ ગઠબંધન માટે માથાનો દુઃખાવો બની શકે છે. હવે આ બળવાખોરોને રાજી કરવા માટે 6 દિવસનો સમય બચ્યો છે કેમ કે 4 નવેમ્બરે નોમિનેશન પરત ખેચવાની અંતિમ તારીખ છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે એજ ગઠબંધન લીડ બનાવશે, જેના બળવાખોર ઓછા હશે.

હાલમાં કોઈ પણ ગઠબંધન આ પ્રકારના પ્રયાસોમાં સફળ થતું જોવા મળી રહ્યું નથી. ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ અને વિપક્ષી MVAનું કહેવું છે કે તેમણે બધી 288 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. અત્યાર સુધી આવેલા આંકડા મુજબ MVAના 286 ઉમેદવારોએ નોમિનેશન દાખલ કર્યું છે. તેમાં 103 કોંગ્રેસના છે તો 96 ઉદ્ધવ સેનાના છે તો 87 ઉમેદવાર NCP SPના છે. હવે મહાયુતિની વાત કરીએ તો આ ગ્રુપથી કુલ 284 નામાંકન દાખલ થયા છે.

હવે મહાયુતિની વાત કરીએ તો 2 પાર્ટીઓ 5 સીટો પર સામસામે છે. એ સિવાય 2 સીટ પર ઉમેદવાર જ ન જાહેર કરી શકાયા. ભાજપને તેના કારણે પરેશાની થઈ રહી છે. બોરીવલી જેવી સીટ પર ગોપાલ શેટ્ટી બળવાખોર થઈને લડી રહ્યા છે, જ્યારે પાર્ટીએ સંજય ઉપાધ્યાયને ઉતાર્યા છે. એજ પ્રકારે નાંદગાંવ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે છગન ભુજબલના ભત્રીજા સમીરે નોમિનેશન ભર્યું છે. અહીથી પહેલા જ એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર ઉતારી ચૂકી છે અને ધારાસભ્ય સુહાસ કાંડે મેદાનમાં છે.

બંને જ ગઠબંધનના વરિષ્ઠ નેતા માને છે કે બળવાખોરોની ઉમેદવારી એક પડકાર રહેશે, છતા બંને તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે બળવાખોરોને મનાવવામાં વ્યસ્ત છીએ.  ઉમેદવારી પરત ખેચવાની અંતિમ તારીખ 4 નવેમ્બર છે. ત્યારબાદ જ કહી શકાશે કે કયા ગઠબંધનને કેટલા નુકસાનની સંભાવના છે અને કેટલા બળવાખોર ઉતર્યા છે. નવાબ મલિક પણ શિવજીનગર સીટ પરથી ઉતરી ગયા છે, અહી પણ એક મુશ્કેલી છે. એ સિવાય ઉદ્ધવ સેના અને કોંગ્રેસના ઉમેદવાર પણ સોલાપુર વેસ્ટ સહિત ઘણી સીટો પર સામસામે છે.

Related Posts

Top News

CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
National 
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
Sports 
કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
World 
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો
Copyright (c) Khabarchhe All Rights Reserved.