કોની હાલત હરિયાણા જેવી થશે? મહારાષ્ટ્રમાં 150 બળવાખોર વધારી રહ્યા છે પડકાર

મહારાષ્ટ્રમાં હરિયાણાનો ખૂબ ઉલ્લેખ થઈ રહ્યો છે. મહાવિકાસ અઘાડી (MVA)ને લોકસભાની ચૂંટણીમાં સારી જીત મળી હતી, પરંતુ ઉમેદવાર પસંદ કરવામાં જે પ્રકારે મતભેદ દેખાયા છે, તેનાથી એવી આશંકાઓ વધવા લાગી છે કે ક્યાંક હરિયાણા જેવી હાલત ન થઈ જાય કે અતિ-આત્મવિશ્વાસમાં નુકસાન ન થઈ જાય. માનવામાં આવે છે કે હરિયાણામાં એવું જ થયું હતું. કુમારી સેલજા અને ભુપિન્દર સિંહ હુડ્ડાના પરસ્પર ઝઘડાથી ખોટો સંદેશ ગયો અને પોતાના જ બળવાખોર એટલા ઊભા થઈ ગયા કે તેઓ ઘણી સીટો હારવાનું કારણ બની ગયા.

હવે એવો જ ડર મહારાષ્ટ્રમાં પણ છે, પરંતુ આ વખતે નુકસાન કોઈનું પણ થઈ શકે છે એટલે કે MVA અને મહાયુતિ બંને જ બળવાખોર અને પરસ્પર ઝઘડાથી પરેશાન છે. કાલે નૉમિનેશનનો અંતિમ દિવસ હતો. અત્યાર સુધી મળીને 150 બળવાખોર ઊભા થઈ ચૂક્યા છે, જે બંને જ ગઠબંધન માટે માથાનો દુઃખાવો બની શકે છે. હવે આ બળવાખોરોને રાજી કરવા માટે 6 દિવસનો સમય બચ્યો છે કેમ કે 4 નવેમ્બરે નોમિનેશન પરત ખેચવાની અંતિમ તારીખ છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે એજ ગઠબંધન લીડ બનાવશે, જેના બળવાખોર ઓછા હશે.

હાલમાં કોઈ પણ ગઠબંધન આ પ્રકારના પ્રયાસોમાં સફળ થતું જોવા મળી રહ્યું નથી. ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ અને વિપક્ષી MVAનું કહેવું છે કે તેમણે બધી 288 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. અત્યાર સુધી આવેલા આંકડા મુજબ MVAના 286 ઉમેદવારોએ નોમિનેશન દાખલ કર્યું છે. તેમાં 103 કોંગ્રેસના છે તો 96 ઉદ્ધવ સેનાના છે તો 87 ઉમેદવાર NCP SPના છે. હવે મહાયુતિની વાત કરીએ તો આ ગ્રુપથી કુલ 284 નામાંકન દાખલ થયા છે.

હવે મહાયુતિની વાત કરીએ તો 2 પાર્ટીઓ 5 સીટો પર સામસામે છે. એ સિવાય 2 સીટ પર ઉમેદવાર જ ન જાહેર કરી શકાયા. ભાજપને તેના કારણે પરેશાની થઈ રહી છે. બોરીવલી જેવી સીટ પર ગોપાલ શેટ્ટી બળવાખોર થઈને લડી રહ્યા છે, જ્યારે પાર્ટીએ સંજય ઉપાધ્યાયને ઉતાર્યા છે. એજ પ્રકારે નાંદગાંવ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે છગન ભુજબલના ભત્રીજા સમીરે નોમિનેશન ભર્યું છે. અહીથી પહેલા જ એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર ઉતારી ચૂકી છે અને ધારાસભ્ય સુહાસ કાંડે મેદાનમાં છે.

બંને જ ગઠબંધનના વરિષ્ઠ નેતા માને છે કે બળવાખોરોની ઉમેદવારી એક પડકાર રહેશે, છતા બંને તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે બળવાખોરોને મનાવવામાં વ્યસ્ત છીએ.  ઉમેદવારી પરત ખેચવાની અંતિમ તારીખ 4 નવેમ્બર છે. ત્યારબાદ જ કહી શકાશે કે કયા ગઠબંધનને કેટલા નુકસાનની સંભાવના છે અને કેટલા બળવાખોર ઉતર્યા છે. નવાબ મલિક પણ શિવજીનગર સીટ પરથી ઉતરી ગયા છે, અહી પણ એક મુશ્કેલી છે. એ સિવાય ઉદ્ધવ સેના અને કોંગ્રેસના ઉમેદવાર પણ સોલાપુર વેસ્ટ સહિત ઘણી સીટો પર સામસામે છે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.