કોની હાલત હરિયાણા જેવી થશે? મહારાષ્ટ્રમાં 150 બળવાખોર વધારી રહ્યા છે પડકાર

મહારાષ્ટ્રમાં હરિયાણાનો ખૂબ ઉલ્લેખ થઈ રહ્યો છે. મહાવિકાસ અઘાડી (MVA)ને લોકસભાની ચૂંટણીમાં સારી જીત મળી હતી, પરંતુ ઉમેદવાર પસંદ કરવામાં જે પ્રકારે મતભેદ દેખાયા છે, તેનાથી એવી આશંકાઓ વધવા લાગી છે કે ક્યાંક હરિયાણા જેવી હાલત ન થઈ જાય કે અતિ-આત્મવિશ્વાસમાં નુકસાન ન થઈ જાય. માનવામાં આવે છે કે હરિયાણામાં એવું જ થયું હતું. કુમારી સેલજા અને ભુપિન્દર સિંહ હુડ્ડાના પરસ્પર ઝઘડાથી ખોટો સંદેશ ગયો અને પોતાના જ બળવાખોર એટલા ઊભા થઈ ગયા કે તેઓ ઘણી સીટો હારવાનું કારણ બની ગયા.

હવે એવો જ ડર મહારાષ્ટ્રમાં પણ છે, પરંતુ આ વખતે નુકસાન કોઈનું પણ થઈ શકે છે એટલે કે MVA અને મહાયુતિ બંને જ બળવાખોર અને પરસ્પર ઝઘડાથી પરેશાન છે. કાલે નૉમિનેશનનો અંતિમ દિવસ હતો. અત્યાર સુધી મળીને 150 બળવાખોર ઊભા થઈ ચૂક્યા છે, જે બંને જ ગઠબંધન માટે માથાનો દુઃખાવો બની શકે છે. હવે આ બળવાખોરોને રાજી કરવા માટે 6 દિવસનો સમય બચ્યો છે કેમ કે 4 નવેમ્બરે નોમિનેશન પરત ખેચવાની અંતિમ તારીખ છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે એજ ગઠબંધન લીડ બનાવશે, જેના બળવાખોર ઓછા હશે.

હાલમાં કોઈ પણ ગઠબંધન આ પ્રકારના પ્રયાસોમાં સફળ થતું જોવા મળી રહ્યું નથી. ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ અને વિપક્ષી MVAનું કહેવું છે કે તેમણે બધી 288 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. અત્યાર સુધી આવેલા આંકડા મુજબ MVAના 286 ઉમેદવારોએ નોમિનેશન દાખલ કર્યું છે. તેમાં 103 કોંગ્રેસના છે તો 96 ઉદ્ધવ સેનાના છે તો 87 ઉમેદવાર NCP SPના છે. હવે મહાયુતિની વાત કરીએ તો આ ગ્રુપથી કુલ 284 નામાંકન દાખલ થયા છે.

હવે મહાયુતિની વાત કરીએ તો 2 પાર્ટીઓ 5 સીટો પર સામસામે છે. એ સિવાય 2 સીટ પર ઉમેદવાર જ ન જાહેર કરી શકાયા. ભાજપને તેના કારણે પરેશાની થઈ રહી છે. બોરીવલી જેવી સીટ પર ગોપાલ શેટ્ટી બળવાખોર થઈને લડી રહ્યા છે, જ્યારે પાર્ટીએ સંજય ઉપાધ્યાયને ઉતાર્યા છે. એજ પ્રકારે નાંદગાંવ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે છગન ભુજબલના ભત્રીજા સમીરે નોમિનેશન ભર્યું છે. અહીથી પહેલા જ એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર ઉતારી ચૂકી છે અને ધારાસભ્ય સુહાસ કાંડે મેદાનમાં છે.

બંને જ ગઠબંધનના વરિષ્ઠ નેતા માને છે કે બળવાખોરોની ઉમેદવારી એક પડકાર રહેશે, છતા બંને તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે બળવાખોરોને મનાવવામાં વ્યસ્ત છીએ.  ઉમેદવારી પરત ખેચવાની અંતિમ તારીખ 4 નવેમ્બર છે. ત્યારબાદ જ કહી શકાશે કે કયા ગઠબંધનને કેટલા નુકસાનની સંભાવના છે અને કેટલા બળવાખોર ઉતર્યા છે. નવાબ મલિક પણ શિવજીનગર સીટ પરથી ઉતરી ગયા છે, અહી પણ એક મુશ્કેલી છે. એ સિવાય ઉદ્ધવ સેના અને કોંગ્રેસના ઉમેદવાર પણ સોલાપુર વેસ્ટ સહિત ઘણી સીટો પર સામસામે છે.

About The Author

Related Posts

Top News

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.