કોની હાલત હરિયાણા જેવી થશે? મહારાષ્ટ્રમાં 150 બળવાખોર વધારી રહ્યા છે પડકાર

મહારાષ્ટ્રમાં હરિયાણાનો ખૂબ ઉલ્લેખ થઈ રહ્યો છે. મહાવિકાસ અઘાડી (MVA)ને લોકસભાની ચૂંટણીમાં સારી જીત મળી હતી, પરંતુ ઉમેદવાર પસંદ કરવામાં જે પ્રકારે મતભેદ દેખાયા છે, તેનાથી એવી આશંકાઓ વધવા લાગી છે કે ક્યાંક હરિયાણા જેવી હાલત ન થઈ જાય કે અતિ-આત્મવિશ્વાસમાં નુકસાન ન થઈ જાય. માનવામાં આવે છે કે હરિયાણામાં એવું જ થયું હતું. કુમારી સેલજા અને ભુપિન્દર સિંહ હુડ્ડાના પરસ્પર ઝઘડાથી ખોટો સંદેશ ગયો અને પોતાના જ બળવાખોર એટલા ઊભા થઈ ગયા કે તેઓ ઘણી સીટો હારવાનું કારણ બની ગયા.

હવે એવો જ ડર મહારાષ્ટ્રમાં પણ છે, પરંતુ આ વખતે નુકસાન કોઈનું પણ થઈ શકે છે એટલે કે MVA અને મહાયુતિ બંને જ બળવાખોર અને પરસ્પર ઝઘડાથી પરેશાન છે. કાલે નૉમિનેશનનો અંતિમ દિવસ હતો. અત્યાર સુધી મળીને 150 બળવાખોર ઊભા થઈ ચૂક્યા છે, જે બંને જ ગઠબંધન માટે માથાનો દુઃખાવો બની શકે છે. હવે આ બળવાખોરોને રાજી કરવા માટે 6 દિવસનો સમય બચ્યો છે કેમ કે 4 નવેમ્બરે નોમિનેશન પરત ખેચવાની અંતિમ તારીખ છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે એજ ગઠબંધન લીડ બનાવશે, જેના બળવાખોર ઓછા હશે.

હાલમાં કોઈ પણ ગઠબંધન આ પ્રકારના પ્રયાસોમાં સફળ થતું જોવા મળી રહ્યું નથી. ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ અને વિપક્ષી MVAનું કહેવું છે કે તેમણે બધી 288 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. અત્યાર સુધી આવેલા આંકડા મુજબ MVAના 286 ઉમેદવારોએ નોમિનેશન દાખલ કર્યું છે. તેમાં 103 કોંગ્રેસના છે તો 96 ઉદ્ધવ સેનાના છે તો 87 ઉમેદવાર NCP SPના છે. હવે મહાયુતિની વાત કરીએ તો આ ગ્રુપથી કુલ 284 નામાંકન દાખલ થયા છે.

હવે મહાયુતિની વાત કરીએ તો 2 પાર્ટીઓ 5 સીટો પર સામસામે છે. એ સિવાય 2 સીટ પર ઉમેદવાર જ ન જાહેર કરી શકાયા. ભાજપને તેના કારણે પરેશાની થઈ રહી છે. બોરીવલી જેવી સીટ પર ગોપાલ શેટ્ટી બળવાખોર થઈને લડી રહ્યા છે, જ્યારે પાર્ટીએ સંજય ઉપાધ્યાયને ઉતાર્યા છે. એજ પ્રકારે નાંદગાંવ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે છગન ભુજબલના ભત્રીજા સમીરે નોમિનેશન ભર્યું છે. અહીથી પહેલા જ એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર ઉતારી ચૂકી છે અને ધારાસભ્ય સુહાસ કાંડે મેદાનમાં છે.

બંને જ ગઠબંધનના વરિષ્ઠ નેતા માને છે કે બળવાખોરોની ઉમેદવારી એક પડકાર રહેશે, છતા બંને તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે બળવાખોરોને મનાવવામાં વ્યસ્ત છીએ.  ઉમેદવારી પરત ખેચવાની અંતિમ તારીખ 4 નવેમ્બર છે. ત્યારબાદ જ કહી શકાશે કે કયા ગઠબંધનને કેટલા નુકસાનની સંભાવના છે અને કેટલા બળવાખોર ઉતર્યા છે. નવાબ મલિક પણ શિવજીનગર સીટ પરથી ઉતરી ગયા છે, અહી પણ એક મુશ્કેલી છે. એ સિવાય ઉદ્ધવ સેના અને કોંગ્રેસના ઉમેદવાર પણ સોલાપુર વેસ્ટ સહિત ઘણી સીટો પર સામસામે છે.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.