36 કલાક ક્યાં રહ્યા પાલઘરના ધારાસભ્ય? મૌન પર સવાલ

2024ની મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશનની અંતિમ તારીખ મંગળવારે હતી. આ દરમિયાન પાલઘરથી શિંદે સેનાના નિવર્તમાન ધારાસભ્ય શ્રીનિવાસ વંગા ટિકિટ કપાયા બાદ ગુમ થઈ ગયા હતા. તેઓ 36 કલાક બાદ રાત્રે 3:00 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યા હતા. તેઓ પરિવારને મળ્યા અને ત્યારબાદ 1-2 દિવસ માટે પાછા બહાર જતા રહ્યા. ધારાસભ્ય શ્રીનિવાસ વંગાએ પરિવારને કહ્યું હતું કે તેમને આરામની જરૂરિયાત છે. જો કે, તેઓ ઘરે પાછા ફરતા પોલીસ અને તેમના પરિવારની ચિંતા ઓછી થઈ ગઈ છે.

શિવસેના શિંદે ગ્રુપમાંથી ટિકિટ ન મળ્યા બાદ ધારાસભ્ય શ્રીનિવાસ વંગા ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે તેમની શોધખોળ ચાલુ કરી હતી, પરંતુ તેમના કોઈ પુરાવા મળ્યા નહોતા. ટિકિટ કપાયા બાદથી તેમનો ફોન બંધ આવી રહ્યો હતો. એવામાં પરિવારજનોને ચિંતા થાય તે સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે વંગા એ ધારાસભ્યોમાંથી હતા જેમણે એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું અને બળવા બાદ શિંદે ગ્રુપ સાથે જતા રહ્યા હતા. ટિકિટ કપાયા બાદ વંગાએ શિંદે ગ્રુપ સામેલ થવાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

તેમણે નિવેદન આપ્યું હતું કે, મેં એકનાથ શિંદેનું સમર્થન કરીને મોટી ભૂલ કરી છે. શ્રીનિવાસ વંગા ભાજપના દિવંગત સાંસદ ચિંતામન વંગાના પુત્ર છે. વર્ષ 2019ની ચૂંટણીમાં, તેમણે અવિભાજિત શિવસેનાના ઉમેદવાર તરીકે પાલઘર સીટ પરથી ચૂંટણી લડી હતી અને ધારાસભ્ય બન્યા હતા. વિભાજન બાદ વંગાએ શિંદેને સમર્થન આપ્યું હતું.

કોણ કેટલી સીટો પર ચૂંટણી લડી રહ્યુ છે?

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના શિંદે ગ્રુપ 80 સીટો પર, ભાજપ 148 અને અજીત પવારની NCP માત્ર 53 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ 102 સીટો પર, શિવસેના UBT ના 96સીટો પર અને શરદ પવારની NCP 86 સીટો પર ચૂંટણી લડી રહી છે. રાજ્ય વિધાનસભાની 288 સીટો છે, જેમના માટે 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.

About The Author

Related Posts

Top News

શું સંઘ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો રસ્તો તૈયાર કરશે?

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને વધતી રાજકીય ગરમી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન...
Politics 
શું સંઘ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો રસ્તો તૈયાર કરશે?

કોહલી સાથેની તકરાર બાદ ટ્રેવિસ હેડના પરિવારને મળી ગાળો, પત્ની જેસિકાનું છલકાયું દર્દ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 22 મે (શુક્રવાર)ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ...
Sports 
કોહલી સાથેની તકરાર બાદ ટ્રેવિસ હેડના પરિવારને મળી ગાળો, પત્ની જેસિકાનું છલકાયું દર્દ

વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર...
Gujarat 
વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.