36 કલાક ક્યાં રહ્યા પાલઘરના ધારાસભ્ય? મૌન પર સવાલ

2024ની મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશનની અંતિમ તારીખ મંગળવારે હતી. આ દરમિયાન પાલઘરથી શિંદે સેનાના નિવર્તમાન ધારાસભ્ય શ્રીનિવાસ વંગા ટિકિટ કપાયા બાદ ગુમ થઈ ગયા હતા. તેઓ 36 કલાક બાદ રાત્રે 3:00 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યા હતા. તેઓ પરિવારને મળ્યા અને ત્યારબાદ 1-2 દિવસ માટે પાછા બહાર જતા રહ્યા. ધારાસભ્ય શ્રીનિવાસ વંગાએ પરિવારને કહ્યું હતું કે તેમને આરામની જરૂરિયાત છે. જો કે, તેઓ ઘરે પાછા ફરતા પોલીસ અને તેમના પરિવારની ચિંતા ઓછી થઈ ગઈ છે.

શિવસેના શિંદે ગ્રુપમાંથી ટિકિટ ન મળ્યા બાદ ધારાસભ્ય શ્રીનિવાસ વંગા ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે તેમની શોધખોળ ચાલુ કરી હતી, પરંતુ તેમના કોઈ પુરાવા મળ્યા નહોતા. ટિકિટ કપાયા બાદથી તેમનો ફોન બંધ આવી રહ્યો હતો. એવામાં પરિવારજનોને ચિંતા થાય તે સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે વંગા એ ધારાસભ્યોમાંથી હતા જેમણે એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું અને બળવા બાદ શિંદે ગ્રુપ સાથે જતા રહ્યા હતા. ટિકિટ કપાયા બાદ વંગાએ શિંદે ગ્રુપ સામેલ થવાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

તેમણે નિવેદન આપ્યું હતું કે, મેં એકનાથ શિંદેનું સમર્થન કરીને મોટી ભૂલ કરી છે. શ્રીનિવાસ વંગા ભાજપના દિવંગત સાંસદ ચિંતામન વંગાના પુત્ર છે. વર્ષ 2019ની ચૂંટણીમાં, તેમણે અવિભાજિત શિવસેનાના ઉમેદવાર તરીકે પાલઘર સીટ પરથી ચૂંટણી લડી હતી અને ધારાસભ્ય બન્યા હતા. વિભાજન બાદ વંગાએ શિંદેને સમર્થન આપ્યું હતું.

કોણ કેટલી સીટો પર ચૂંટણી લડી રહ્યુ છે?

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના શિંદે ગ્રુપ 80 સીટો પર, ભાજપ 148 અને અજીત પવારની NCP માત્ર 53 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ 102 સીટો પર, શિવસેના UBT ના 96સીટો પર અને શરદ પવારની NCP 86 સીટો પર ચૂંટણી લડી રહી છે. રાજ્ય વિધાનસભાની 288 સીટો છે, જેમના માટે 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.

About The Author

Related Posts

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.