ભારતીય બેંકોમાં મુકેલા પૈસા અમેરિકા કરતા વધુ સુરક્ષિત, જાણી લો નિયમ

અમેરિકામાં એક પછી એક મોટી બેંક નાદાર થઈ ગઈ છે. સરકાર એ બેંકોમાં પૈસા જમા કરાવનારા ડિપોઝિટર્સને એ વિશ્વાસ અપાવી રહી છે કે, તેમના પૈસા સુરક્ષિત છે અને તેમને તે પૈસા પાછા આપી દેવામાં આવશે પરંતુ, કેટલા સુરક્ષિત છે, નિયમાનુસાર જમા કરાવવામાં આવેલી કુલ રકમના કેટલા ટકા પૈસા પાછા મળશે? આજે અમે તમને જણાવીશું.

અમેરિકાની સરખામણીમાં બેંકોમાં મુકેલા પૈસા ભારતમાં વધુ સુરક્ષિત છે. ભારતમાં જો તમારા 100 રૂપિયા જમા છે તો બેંક ડૂબવાની સ્થિતિમાં તમને 98 રૂપિયા મળશે પરંતુ, અમેરિકામાં આ અમાઉન્ટ માત્ર 66 રૂપિયા છે. એટલે કે ભારતમાં જમા પૈસા 98% જ્યારે અમેરિકામાં મુકેલી અમાઉન્ટ 66% જ સુરક્ષિત છે. ભારતીય બેંકોમાં જમા રૂપિયા પર વીમા સુરક્ષા મળેલું હોય છે. આથી, બેંક ડૂબવાની સ્થિતિમાં જમા કરાવવામાં આવેલી રકમ પાછી મળી જાય છે. રેમન્ડ જેમ્સ એન્ડ એસોસિએટ્સના એક રિપોર્ટમાં તેની જાણકારી સામે આવી છે.

ભારતીય બેંકોમાં કેટલી સુરક્ષા?

ટોપ- 10 બેંક- 98%

ક્ષેત્રીય ગ્રામીણ બેંક- 82.9%

લોકલ એરિયા બેંક- 76.4%

કો-ઓપરેટિવ બેંક- 66.5%

SBIનો રિપોર્ટ જણાવી રહ્યો છે કે અમેરિકી બેંકમાં મુકેલા પૈસા કેટલા સેફ?

ટોપ- 10 બેંક- 38.4-66%

નાની બેંક- 30-45%

અમેરિકાની બેંકોમાં ત્યાંના સ્ટાર્ટઅપે પૈસા જમા કરાવ્યા હતા. આર્થિક અસ્થિરતા વચ્ચે સ્ટાર્ટઅપ્સે પૈસા કાઢવાના શરૂ કરી દીધા. બેંક પાસે પૈસા નહોતા. આથી તે બેંકોએ પોતાના ખરીદેલા બોન્ડ્સ વેચવા પડ્યા. બોન્ડને વેચવામાં આશરે 15000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયુ. બેંક જમા કરાવવામાં આવેલા પૈસામાંથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બોન્ડ ખરીદે છે. જેથી સમયની સાથે તેમને એ પૈસામાંથી કમાણી થઈ શકે. અમેરિકાની સરકારે બોન્ડ પર આપવામાં આવેલા વ્યાજ દરમાં મોંઘવારી અને મંદીના પગલે વ્યાજ દર ઓછાં કરી દીધા હતા, જેને કારણે બેંકોએ બોન્ડ વેચવામાં નુકસાન સહન કરવુ પડ્યું. ત્યારબાદ બેંકોએ 20000 કરોડની કેશ ઈશ્યૂ કરી. તેનાથી બજારમાં એવા સમાચાર ફેલાઇ ગયા કે બેંકો પાસે પૈસા નથી અને તેની અસર એ બેંકોના શેર પર પડી. જોતજોતામાં જ આ બેંક નાદાર જાહેર થઈ ગઈ. નાદાર થયેલી બેંકોના લિસ્ટમાં માત્ર એક બેંક નહીં પરંતુ, અત્યારસુધી અમેરિકાના બે અને યુરોપની સૌથી મોટી બેંક સુઈસ પણ સામેલ થઈ ચુકી છે.

Top News

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય
Copyright (c) Khabarchhe All Rights Reserved.