હવે દેશમાં પહેલીવાર શેરબજારમાં પ્રોપર્ટી, ઇન્ફ્રામાં રોકાણ કરવા નવી સિસ્ટમ લોન્ચ

નિવેશ માટે રિયલ એસ્ટેટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સૌથી સારા વિકલ્પના રૂપમાં જોવામાં આવે છે. આવી કંપનીઓમાં જોખમ ઓછું હોય છે અને તેનું રિટર્ન પણ સારું મળે છે. પરંતુ, આ પ્રકારની કંપનીઓમાં નિવેશ માટે ઘણા બધા પૈસાની જરૂર હોય છે, જેના કારણે ઘણા બધા નિવેશક આ પ્રકારની કંપનીઓમાં ડાયરેક્ટ પોતાના પૈસા લગાવી નથી શકતા પરંતુ, હવે તેનો વિસ્તાર કરતા નિવેશકોને આ લાભ પણ આપવામાં આવી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની એક શાખા એનએસઈ ઇન્ડિસેઝ લિમિટેડે મંગળવારે દેશનું પહેલું રિયલ એસ્ટેટ નિવેશ ટ્રસ્ટ (REIT) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિવેશ ટ્રસ્ટ (InvIT) ઇન્ડેક્સ લોન્ચ કર્યું છે. આ એક નિવેશ વાહન છે જે રાજસ્વ પેદા કરનારી રિયલ એસ્ટેટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિનો માલિકી હક આપે છે.

NSE ઇન્ડ઼ેક્સના CEO મુકેશ અગ્રવાલે કહ્યું કે, સૂચકાંકનો ઉદ્દેશ્ય NSE પર સાર્વજનિક રૂપથી સૂચિબદ્ધ અને કારોબાર કરનારી આરઈઆઈટી અને ઇનવિટના પ્રદર્શનને ટ્રેક કરવાનો છે. REITs અને InvITs ને પેદા કરનારા પાયાના ઢાંચા અને રિયલ એસ્ટેટ પરિયોજનાઓ વિરુદ્ધ ધન ભેગુ કરવા માટે મજબૂત વૈકલ્પિક નાણાકીય સાધનોના રૂપમાં માન્યતા પ્રાપ્ત છે.

તેમણે આગળ કહ્યું કે, આ ઉપકરણ રિયલ એસ્ટેટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓ માટે એક્સપોઝર પ્રદાન કરે છે અને ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ જેવી નિયમિત સંપત્તિમાં નિવેશ થી થનારા જોખમોથી અલગ પ્રકારનું જોખમ પ્રદાન કરે છે. તેના દ્વારા નિવેશક પોતાના રિસ્કને ડાઇવર્સિફાઇ કરીને ઇક્વિટી ડેટ અને ગોલ્ડ જેવા એસેટ ક્લાસની જેમ જ નિયમિત આવક પ્રાપ્ત કરી શકે છે.

REITs રિયલ એસ્ટેટ પરિયોજનાઓમાં નિવેશ કરે છે જ્યારે InvITs લાંબી અવધિની સાથે પાયાની ઢાંચા પરિયોજનાઓમાં નિવેશ કરે છે. આ ટ્રસ્ટોના માધ્યમથી નિવેશકોને ખરીદવામાં આવેલા યૂનિટના આધાર પર ડિવિડન્ટના રૂપમાં આપવામાં આવે છે, જેના દ્વારા સારું રિટર્ન પણ મળે છે.

નિફ્ટી REITs અને InvITs ઇન્ડેક્સની બેઝ વેલ્યૂ 1000 છે અને તેને ત્રિમાસિક આધાર પર રિવ્યૂ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં સામેલ સિક્યોરિટીઝના વેટેજનું નિર્ધારણ તેના ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના આધાર પર હશે જે 33 ટકા સિક્યોરિટીઝ કેપને આધિન હશે. આ ઇન્ડેક્સમાં સામેલ ટોપ 3 સિક્યોરિટીઝનું વેટેજ 72 ટકા કરતા વધુ ના હોઇ શકે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.