તંબાકુ ઉત્પાદનોથી ભારતમાં નીકળે છે દર વર્ષે 1.7 લાખ ટન કચરો

તંબાકુ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે, તેને લઇને એક નવો સર્વે સામે આવ્યો છે. દુનિયામાં દર વર્ષે 31 મેના રોજ આંતરરાષ્ટ્રીય તંબાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે તંબાકુથી થઇ રહેલા મોત અને તેના દુષ્પરિણામ વિશે લોકોને ચેતવણી આપવામાં આવે છે. 31 મેના રોજ તંબાકુ પર વર્ષ દરમિયાન થયેલા રિસર્ચના પરિણામો પણ સામે આવે છે.

આ કડીમાં બુધવારે AIIM, ICMR અને NICPRએ એક રિસર્ચ રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. અધ્યયનમાં એ વાત સામે આવી છે કે, ભારતમાં દર વર્ષે તંબાકુ ઉત્પાદોથી 1.7 લાખ ટન કચરો મનુષ્યના શરીરમાં જાય છે. આ સાથે જ મનુષ્યોના શરીરમાં પ્રતિ વર્ષ 82 હજાર પ્લાસ્ટિક કણ પ્રવેશ કરે છે, જે ઘણા પ્રકારના રોગોને જન્મ આપે છે.

દેશના 17 રાજ્યોમાં તંબાકુ ઉત્પાદન અને તેનાથી થનારા ઘાતક કચરા પર કરવામાં આવેલા અધ્યયનથી આ જાણકારી સામે આવી છે. તેનું સેવન કરનારા લોકો માટે તો તે હાનિકારક છે જ સાથે જ તે પર્યાવરણ પર પણ ખરાબ પ્રભાવ પાડે છે. જોધપુર એમ્સ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને યુપીના નોયડા સેક્ટર-39 સ્થિત રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટીટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચના અધ્યયનમાં એ વાત સામે આવી છે કે, તંબાકુ ઉત્પાદોના પેકેજિંગ માટે દર વર્ષે દેશમાં આશરે 22 લાખ વૃક્ષો પણ કાપવામાં આવે છે. તેના દ્વારા વર્ષભરમાં ઉત્પન્ન થનારો કચરો 89402.13 ટન છે. આ વજન કાગળની 11.9 કરોડ નોટબુક બરાબ છે. તેમજ, પેકેજિંગથી ઉત્પન્ન 6073 ટન ગેર-બાયોડિગ્રેડેબલ એલ્યૂમિનિયમ પેકેટ કચરાથી 33 બોઇંગ 747 વિમાન બનાવી શકાય છે. સાથે જ તેનાથી નીકળનારા ફિલ્ટરના અપશિષ્ટથી 9 મિલિયન સ્ટાન્ડર્ડ આકારના ટીશર્ટ બનાવી શકાય છે.

પર્યાવરણના જાણકારોના જણાવ્યા અનુસાર, તંબાકુનો પ્લાસ્ટિકયુક્ત કચરો લોકોની સાથોસાથ પર્યાવરણ માટે ખતરનાક છે. મનુષ્યોના શરીરમાં દર વર્ષે 82 હજાર પ્લાસ્ટિક કણ પ્રવેશ કરે છે, જે વિવિધ પ્રકારના રોગોને જન્મ આપે છે. જોકે, આ કચરો સામાન્યરીતે ખુલ્લા અનિયંત્રિત ડમ્પ સાઇટો, નાળા અને નદીઓમાં ફેંકી દેવામાં આવે છે આથી, તે હજુ વધુ ખતરનાક બની જાય છે.

સંયુક્ત  રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, વિશ્વમાં આશરે 125 કરોડ લોકો તંબાકુનું સેવન કરે છે. તેમા 15 વર્ષ કરતા વધુ ઉંમરના આશરે 25 કરોડ કરતા વધુ ભારતીય પણ સામેલ છે. ચીન બાદ ભારત તંબાકુનું બીજું સૌથી મોટું ઉપભોક્તા અને ઉત્પાદક દેશ સતત બની રહ્યો છે. તંબાકુના સેવનથી વિશ્વમાં દર વર્ષે 80 લાખ કરતા વધુ લોકોના મોત થાય છે. ભારતમાં પણ તંબાકુથી મરનારાઓની સંખ્યા પ્રતિવર્ષ 15 લાખ સુધી પહોંચવાની છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.