નેપાળમાં 24 ભારતીયો ભીખ માગતા ઝડપાયા, ભારતમાં કુદરતી આફતથી પીડિત હોવાનું કહી...

નેપાળથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નાના નાના બાળકોની સાથે નેપાળની સડકો પર ભીખ માગતા 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજોને આધારે 24 ભારતીયો નેપાળ પહોંચ્યા હતા અને જાહેરમાં ભીખ માંગતા હતા. પોલીસના ધ્યાન પર આ વાત આવતા તમામની ધરપકડ કરીને પછી ભારત પાછા મોકલી આપવામા આવ્યા છે. આ તમામ 24 લોકો નેપાળમાં પણ સાથે જ રહેતા અને આ તમામ 24 લોકો રાજસ્થાનના વતની છે.

નેપાળ પોલીસે ભીખ માંગતા 24 ભારતીયોને પકડ્યા છે. પોલીસનો દાવો છે કે તે કુદરતી આફતનો શિકાર હોવાનો દાવો કરીને લોકો પાસે ભીખ માંગતા હતા. એ બધા લોકો સાથે રહેતા હતા. પોલીસનું એમ પણ કહેવું છે કે નેપાળમાં તહેવાર શરૂ થતાં જ ભારતમાંથી આવતા ભીખારીઓની સંખ્યામાં વધારો થાય છે.

નકલી દસ્તાવેજો ધરાવવા અને કુદરતી આફતનો ભોગ બનનાર હોવાનું કહીને નેપાળ પોલીસે 12 સગીરો સહિત ભારતમાંથી 24 ભીખારીઓની ધરપકડ કરી હતી. નેપાળ પોલીસે કહ્યું કે તેમની પુછપરછ કરીને ભારત પાછા મોકલી આપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા તમામ 24 ભીખારી ભારતના રાજસ્થાન સાથે સંબંધ ધરાવતા હતા અને તમામ 24 લોકોને ભારત-નેપાળ બોર્ડર વિસ્તારના નેપાળ બાજુના બિર્ટામોડની શેરીઓમાં ભીખ માંગતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

નેપાળ પોલીસે કહ્યુ કે આ લોકો હાથમાં 6 મહિનાના બાળક સહિત અનેક નાના બાળકોને સાથે રાખીને જુદા જુદા બહાના બનાવીને પૈસા માટે ભીખ માંગતા હતા. પોલીસના કહેવા મુજબ આ બધા ભીખારીઓ બોગસ દસ્તાવેજોના આધારે નેપાળમાં ઘુસી આવ્યા હતા અને ભારતમાં કુદરતી આફતથી પીડિત હોવાનો દાવો કરતા હતા.

ભીખારીઓ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ભારતમાં કુદરતી આફતનો ભોગ બન્યા છે અને આફતને કારણે તેમણે પોતાના ઘર ગુમાવી દીધા છે. પોલીસે બિરતમોદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી શોધી કાઢ્યું હતું કે તેઓ બિરતમોડ બસપાર્ક ખાતે ભાડાના રૂમમાં જૂથોમાં રહેતા હતા.

નેપાળ પોલીસના કહેવા મુજબ,તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પોલીસ વાહનમાં કાંકરભીટ્ટા વિસ્તારમાં મેચી પુલ પર સરહદની બીજી બાજુ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે નેપાળમાં તહેવારોની સિઝન આવતા જ નેપાળમાં સરહદ પારથી ભિખારીઓની સંખ્યા વધવા લાગે છે.

આવા ગણ્યા ગાંઠ્યા લોકોને કારણે દેશની બદનામી થાય છે, પરંતુ આવા નફફ્ટ લોકોને કોઇ ફરક પડતો હોતો નથી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.