મંદિરમાં 28 લાખનું છત્તર-મુગટની ચોરી, મૂર્તિ સિવાય બધું લઇ ગયા

જસનાથ સંપ્રદાયના બિકાનેરના સૌથી મોટા જસનાથજી મહારાજ મંદિરમાં ચોરી થઈ છે. ચોરોએ લગભગ 40 કિલો ચાંદી (28 લાખ)ની કિંમતની વિશાળ છત્તર અને મુગટની ચોરી કરી હતી. આ સાથે 100 ગ્રામ (6 લાખ) સોનાના ઘરેણા અને 2.5 લાખ રૂપિયા રોકડા પણ લઈ ગયા હતા. તેમજ ઘણી વસ્તુઓની પણ ચોરી થઈ છે. ઘટના બાદ ચોરો CCTV કેમેરાનું રેકોર્ડિંગ પણ લઈ ગયા હતા. SP તેજસ્વની ગૌતમ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્તારમાં નાકાબંધી કરીને દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

શ્રીડુંગરગઢના કટારિયાસરમાં જસનાથ સિદ્ધ સંપ્રદાયનો સૌથી વધુ પ્રભાવ છે. મંદિરમાં સોમવારે રાત્રે ચોરીની ઘટના બની હતી. મંગળવારે સવારે પૂજારી અને ભક્તો પહોંચ્યા ત્યારે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. સંપ્રદાયના લોકોને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ગ્રામજનોએ વાહનોના વ્હીલના નિશાન જોઈને ચોરોની શોધખોળ શરૂ કરી હતી. ચોરો કઈ દિશામાં ગયા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ જામસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

મંદિરનો દરવાજો તોડીને ચોરો પ્રવેશ્યા હતા. તૂટેલા ગેટમાંથી પોલીસે ફિંગર પ્રિન્ટ લીધા હતા. અહીં CCTV કેમેરાનું રેકોર્ડિંગ મશીન પણ લગાવવામાં આવ્યું હતું, જેને ચોરો પોતાની સાથે લઈ ગયા હતા. હાલ મંદિર બંધ છે. ચોરોએ મંદિરમાં માત્ર મૂર્તિઓ જ છોડી દીધી છે. બાકીનું બધું ચોરી ગયા હતા. પોલીસ ગામમાં લાગેલા અન્ય કેમેરા, CCTV કેમેરાના ફૂટેજ એકત્ર કરી રહી છે. તે ચોરો સાથે જોડાયેલી તમામ માહિતી એકઠી કરી રહી છે. સિદ્ધ સમાજના કટારિયાસર ધામમાં બનેલી આ ઘટના બાદ સિદ્ધ સમાજના લોકોમાં રોષ ફેલાયો છે.

ચોરીનું રહસ્ય ખોલવા પોલીસની ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મંદિરની અંદર અને બહાર જઈને ચોરીનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. FSLની ટીમ પણ મંદિરમાં ફિંગર પ્રિન્ટ લેવા આવી રહી છે.

મંદિરમાં ચોરીની જાણ થતાં જસનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મંદિર બંધ હોવાના કારણે લોકોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. ત્યારે મંદિરમાં ચોરીની ઘટનાને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આરોપ છે કે ચોર આસાનીથી તમામ સામાન લઈને ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસને કોઈ સુરાગ પણ ન મળ્યો. પોલીસ પેટ્રોલીંગના અભાવે આવી સ્થિતિ સર્જાઈ રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે મંદિરમાં સોમવારે રાત્રે આ ચોરી થઈ હતી. મંગળવારે સવારે પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે સંપ્રદાયના લોકોને જાણ કરવામાં આવી હતી. જામસર પોલીસે ગુનો નોંધ્યો છે. ચોરોનું લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.