એક કુરકુરેના ટુકડાએ હેમંતનો જીવ કંઈ રીતે લઈ લીધો, તમે સાચવજો

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના અરકી સબડિવિઝનના ઘનગુઘાટ પંચાયતના તાલ ગામમાં થયેલા એક દુ:ખદ દુર્ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી દીધો છે. અહીં ફક્ત 28 વર્ષીય હેમંત શર્માના અકાળ મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. કુરકુરે ખાતી વખતે, કુરકુરેનો એક ટુકડો હેમંતની શ્વાસનળીમાં ફસાઈ ગયો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે ગામમાં અને આસપાસના વિસ્તારોમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

Himanchal-Man-Kurkure2
mbmnewsnetwork.com

મૃતકના પિતા દીપરામ શર્માએ જણાવ્યું કે, તેમનો પુત્ર હેમંત શર્મા કસૌલીની એક ખાનગી હોટલમાં કામ કરતો હતો અને પરિવારની આર્થિક જવાબદારીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો. તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા, હેમંત ઘરે કુરકુરે ખાતો હતો, ત્યારે કુરકુરેનો એક ટુકડો તેની શ્વાસનળીમાં ફસાઈ ગયો. દીપરામ શર્માએ જણાવ્યું કે ટુકડો ફસાઈ ગયા પછી, હેમંતને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેને ગભરાટ થવાનું એકદમ વધી ગયું. પરિવારે જરા પણ વિલંબ કર્યા વિના તેને સારવાર માટે MMU સુલતાનપુર લઈ ગયા.

Himanchal-Man-Kurkure1
etvbharat.com

પરિવારના જણાવ્યા મુજબ, MMU સુલતાનપુરના ડોક્ટરોએ હેમંતને પ્રાથમિક સારવાર આપી, પરંતુ તેની હાલત ગંભીર થતી ગઈ. તેની હાલતને જોતાં, ડોક્ટરોએ તેને વધુ સારી સારવાર માટે PGI ચંદીગઢ રિફર કર્યો. પરિવારને આશા હતી કે, હેમંત જલ્દી સ્વસ્થ થઈ જશે અને ઘરે પાછો ફરશે, પરંતુ ભાગ્યને કંઇક અલગ જ મંજુર હતું. દીપરામ શર્માએ જણાવ્યું કે PGI ચંદીગઢના ડોક્ટરોએ હેમંતની સારવાર શરૂ કરી અને તેને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા. જોકે, તેની હાલતમાં અપેક્ષા મુજબ સુધારો થયો નહીં. બુધવારે બપોરે સારવાર દરમિયાન હેમંતે અંતિમ શ્વાસ લીધા.

હેમંત શર્માના મૃત્યુના સમાચાર તાલ ગામમાં પહોંચતા જ, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું. પરિવારનો સહારો ગણાતા હેમંતના અકાળ મૃત્યુથી બધાને આઘાત લાગ્યો. સ્થાનિકો અને વિસ્તારના રહેવાસીઓએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. આ ઘટના ફરી એકવાર સાવધાની અને સતર્કતાના મહત્વને પણ દર્શાવે છે, કારણ કે કયારેક નાની બેદરકારી પણ ગંભીર અકસ્માતને નોતરું આપી શકે છે.

Himanchal-Man-Kurkure3
saamtv.esakal.com

તબીબી નિષ્ણાતો ભોજન કે નાસ્તો ખાતી વખતે ઉતાવળ ન કરવાની સલાહ આપે છે. નાની ખાવાની વસ્તુ પણ શ્વાસનળીમાં ફસાઈ શકે છે, જેના કારણે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. ખાસ કરીને બાળકો અને યુવાનોએ જમતી વખતે વાત કરવાનું, મજાક કરવાનું કે ઉતાવળે ખાવાનું ટાળવું જોઈએ. આ ઘટના દરેક માટે એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે, ખાતી વખતે અને પીતી વખતે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. નાની બેદરકારી પણ ગંભીર પરિણામો લાવી શકે છે. હેમંત શર્માના દુ:ખદ મૃત્યુએ ફરી એકવાર લોકોને સાવધાની અને જાગૃતિનું મહત્વ યાદ અપાવ્યું છે.

About The Author

Related Posts

Top News

એક કુરકુરેના ટુકડાએ હેમંતનો જીવ કંઈ રીતે લઈ લીધો, તમે સાચવજો

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના અરકી સબડિવિઝનના ઘનગુઘાટ પંચાયતના તાલ ગામમાં થયેલા એક દુ:ખદ દુર્ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી દીધો છે. અહીં...
National 
એક કુરકુરેના ટુકડાએ હેમંતનો જીવ કંઈ રીતે લઈ લીધો, તમે સાચવજો

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.