દિલ્હીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલ શેની દોડાદોડી કરી રહ્યા છે?

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલનું આગામી રાજકીય પગલું શું હશે? છેલ્લા ઘણા દિવસોથી આ વિષય પર અટકળો ચાલી રહી હતી. હવે આ અટકળોને વધુ બળ મળ્યું છે. ચર્ચા છે કે કેજરીવાલ હવે રાજ્યસભામાં જશે અને આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ખરેખર, આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભામાં એક બેઠક ખાલી કરવાની તૈયારી કરી રહી છે. પાર્ટીએ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા છે.

જોકે, પાર્ટીએ આ અટકળોને નકારી કાઢી છે. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કડ કહે છે કે, 'અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં નથી જઈ રહ્યા... જ્યાં સુધી અરવિંદ કેજરીવાલનો સવાલ છે, પહેલા મીડિયા સૂત્રો કહેતા હતા કે તેઓ પંજાબના CM બનશે. હવે મીડિયા સૂત્રો કહી રહ્યા છે કે, તેઓ રાજ્યસભામાંથી ચૂંટણી લડશે. આ બંને સ્ત્રોતો બિલકુલ ખોટા છે. અરવિંદ કેજરીવાલ AAPના રાષ્ટ્રીય સંયોજક છે. હું સહમત છું કે તેમની માંગ ખૂબ મોટી છે, પરંતુ તે કોઈ એક સીટ સુધી મર્યાદિત નથી...'

Arvind-Kejriwal

લુધિયાણા પશ્ચિમ બેઠક પર 11 જુલાઈ પહેલા પેટાચૂંટણી યોજાવાની છે. નિયમો અનુસાર, કોઈપણ સંસદીય કે વિધાનસભા બેઠક છ મહિનાથી વધુ સમય માટે ખાલી રહી શકતી નથી. 11 જાન્યુઆરીએ AAPના ધારાસભ્ય ગુરપ્રીત સિંહ ગોગીના અવસાન પછી આ બેઠક ખાલી પડી હતી.

મીડિયા સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે, લુધિયાણાના ઉદ્યોગપતિ અરોરા રાજ્યસભામાંથી તાત્કાલિક રાજીનામું આપશે નહીં.

હાલમાં AAP પાસે પંજાબમાંથી સાત રાજ્યસભા સાંસદો છે. આમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, ક્રિકેટર હરભજન સિંહ, શિક્ષણવિદ અશોક મિત્તલ, ઉદ્યોગસાહસિક વિક્રમજીત સિંહ સાહની અને સંજીવ અરોરાનો સમાવેશ થાય છે.

Arvind-Kejriwal1

આ અટકળોને એ કારણે પણ મજબૂતી મળી કારણ કે, દિલ્હીની ચૂંટણીમાં તેમની બેઠક ગુમાવ્યા પછી, તેમના માટે કોઈ રાજકીય વિકલ્પો દેખાતા નહોતા. દિલ્હીમાં આગામી રાજ્યસભાની ચૂંટણી 2030માં યોજાવાની છે, જ્યારે પંજાબમાં 2028માં. આવી સ્થિતિમાં રાજ્યસભા ખાલી કરવી એ એકમાત્ર વિકલ્પ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

8 ફેબ્રુઆરીએ જ્યારે દિલ્હી ચૂંટણીના પરિણામો જાહેર થયા, ત્યારે મીડિયા સૂત્રો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એક TVના એક્ઝિક્યુટિવ એડિટરે કહ્યું હતું કે, 'તેમના (કેજરીવાલના) શુભેચ્છકો તેમને બંધારણીય રક્ષણ માટેના વિકલ્પો શોધવાની સલાહ આપશે. કારણ કે હવે તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ CM છે. રાજ્યસભા આમાં એક રસ્તો હોઈ શકે છે. ચૂંટણીઓ તો બહુ દૂર છે. આવી સ્થિતિમાં, કોઈ વર્તમાન સાંસદે જ રાજીનામું આપવું પડશે. જોકે, (આ બધા છતાં) મને નથી લાગતું કે આ તેમનો પહેલો વિકલ્પ હશે. મને લાગે છે કે તેઓ એવા નેતા નથી કે જે રાજ્યસભાનો રસ્તો અપનાવે.'

બંધારણીય રક્ષણની સાથે, તેમના જેલ જવાની શક્યતા પર પણ બંધારણમાં ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીની દારૂ નીતિને કારણે કેજરીવાલને તિહાર જેલમાં રહેવું પડ્યું. આવી સ્થિતિમાં, એવી ચર્ચા થઈ હતી કે, જો ભૂતપૂર્વ ધારાસભ્ય જેલમાં રહે અને વર્તમાન રાજ્યસભા સાંસદ જેલમાં રહે તો ફરક પડશે. આ અંગે TVના મીડિયા સૂત્ર કહે છે, 'હા, તે 'વધારે લડવા માટેની હિમ્મત રાખવી' જેવું છે. સૌથી મહત્વની વાત એ છે કે, કેજરીવાલ જેલમાં ન જવા જોઈએ. AAPમાં એવું કહેવામાં આવતું હતું કે, જો કેજરીવાલ એક દિવસ માટે પણ પાર્ટીમાં ન હોય તો કોઈને ખબર નહીં પડે કે આગળ શું કરવું. જ્યારે તેઓ આટલા દિવસો જેલમાં રહ્યા, ત્યારે પાર્ટીમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ. કેજરીવાલ માટે પોતાના વિજેતા ધારાસભ્યોને પાર્ટીમાં રાખવાનો પણ એક પડકાર છે.'

Arvind-Kejriwal2

તાજેતરમાં, પંજાબમાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું હતું કે, કેજરીવાલ હવે પંજાબ જશે અને લુધિયાણાથી વિધાનસભા પેટાચૂંટણી લડશે. પરંતુ AAPએ આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. દિલ્હી ચૂંટણીના પરિણામો પછી, એવી અટકળો ચાલી રહી હતી કે કેજરીવાલ પંજાબમાં CM ભગવંત માનનું સ્થાન લેશે. પાર્ટીએ આ વાતને પણ નકારી કાઢી.

બધી અટકળો અને અનુમાન છતાં, નિષ્ણાતો હજુ પણ માને છે કે કેજરીવાલ પાસે BJP સમક્ષ પોતાનો મુદ્દો મજબૂતીથી રજૂ કરવા માટે રાજ્યસભા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી કેજરીવાલ BJPના પ્રવેશ વર્મા સામે ચૂંટણી લડી રહ્યા હતા. પરવેશ દિલ્હીના ભૂતપૂર્વ CM સાહિબ સિંહ વર્માના પુત્ર છે. ચૂંટણીમાં તેમણે કેજરીવાલને લગભગ ચાર હજાર મતોથી હરાવ્યા. આ બેઠક પર પૂર્વ CM શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ ચૂંટણી લડી રહ્યા હતા. તેમને ફક્ત 4568 મત મળ્યા.

પરવેશ વર્માને કેજરીવાલને હરાવવાનું ઈનામ મળ્યું. BJPએ તેમને દિલ્હીના DyCM બનાવ્યા છે.

About The Author

Related Posts

Top News

આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા...
World 
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

IPL મેચ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે હાથ ન મળાવવા બદલ વિરાટ કોહલીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને સોશિયલ મીડિયા...
Sports 
હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસે દબોચી...
Gujarat 
RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?

મહારાષ્ટ્રના સંભાજીનગરના એક યુવક અભિજીત ભગવાનરાવ દીપકેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અભિજીત સોશિયલ મીડિયા...
National 
'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.